SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર ઃ ૭, ૮ ૩૯૩ જેસલમેરના આ જ્ઞાનભંડારોમાંના ગ્રંથોની પ્રાચીનતાનો વિચાર કરતાં એમ લાગે છે કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને પરમહંત મહારાજ કુમારપાળના સ્વર્ગારોહણ પછી ગુજરાતમાં જ્યારે અજયપાળનો ત્રાસ પ્રવર્તી રહ્યો અને એનો મુખ્ય શિકાર જ્યારે જૈન મંદિરો અને જૈન ભંડારો બનવા લાગ્યા, ત્યારે એ બહુમૂલા શાસ્ત્રગ્રંથોને બચાવવા ગુજરાતના સીમાડા બહાર મોકલી દેવામાં આવ્યા હતા, તેથી ૭૦૦-૮૦૦ વર્ષ કે તેથી ય વધુ પ્રાચીન ગ્રંથો જેસલમેરના આ જ્ઞાનભંડારોમાં મળી આવવાનો સંભવ છે. એથી પુણ્યવિજયજીની આ યાત્રાને અમે અનિલાભદાયી સાહિત્ય-યાત્રા' તરીકે ઓળખાવીએ છીએ. આશા છે જૈનસંઘના લક્ષ્મીનંદનો, ભારતીય અને જૈન સંસ્કૃતિના પ્રેમી વિદ્વાનો અને મુનિવરો સહુ કોઈ જૈનધર્મની સેવાના મહાન યજ્ઞમાં સાથ આપવાના આ ધન્ય અવસરને ઉમળકાભેર વધાવી લેશે. (તા. ૨૦-૧૧-૧૯૪૯) (૮) જ્ઞાનોદ્ધારનો એક સ્મારકરૂપ પુરુષાર્થ આગમ-પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જ્ઞાનોદ્ધારનાં જુદાં-જુદાં અનેક ક્ષેત્રે, એકલે હાથે જે કામ કરી ગયા, તે સાચે જ વિરાટ છે. એનું મૂલ્યાંકન કરવાનું તો આપણું ગજું જ નથી. જેમ-જેમ સમય વીતતો જશે તેમ-તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈનસંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધનની ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે. તેઓના સ્વર્ગવાસથી પડેલી મોટી ખોટ ક્યારે કોના દ્વારા, કેવી રીતે પુરાશે? આમ છતાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના જીવન અને કાર્યને કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ જોઈ શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંત-અખૂટ હોવાનું વારંવાર કહ્યું છે. મુનિ શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાનું ધર્મપુરુષો કે માનવજાતના સેવકો પોતાના જીનકાળ દરમિયાન જે અકથ્ય કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શક્તિ અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ છે. આ પરથી આપણે કંઈક આશા ધારણ કરીને જૈનસંઘે જ્ઞાનોદ્ધારનો પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ મુક્ત મનથી વિચાર કરીએ. શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારને ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની ઉપયોગી વિગતો કંઈક આમ આપી શકાય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy