SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ જિનમાર્ગનું અનુશીલન પહોંચે તો આ દ્વાદશાંગ વાણીના અવશેષો પછી ક્યાં સચવાશે? આફ્રિકા, ચીન વગેરેના દાખલાઓ આપણી સામે જ છે. પ્રાચીન પ્રતિમાઓ ખંડિત થઈ જતાં ગમે ત્યારે નવીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી શકાય છે, પ્રાચીન મંદિરો જીર્ણ થઈને પડી જાય તો ગમે ત્યારે નવાં મંદિરો ઊભાં કરી શકાય છે, ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી થઈ જાય, તો કદાચ, પ્રચાર દ્વારા એ વધારી શકાય છે, પરંતુ પ્રાચીન આચાર્યોના જે શબ્દો ગ્રંથોમાં ગૂંથી લેવામાં આવ્યા છે, એ જો એક વાર નષ્ટ થઈ જાય તો એનો પુનરુદ્ધાર થવો સર્વથા અસંભવ છે. શું લાખો-કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ સંપૂર્ણ દ્વાદશાંગી શ્રુતનો ઉદ્ધાર કરી શકાય એમ છે ખરો? કદી નહીં. એટલા માટે જ પ્રાણવાન દેશ, રાષ્ટ્ર અને સમાજ પોતાના પ્રાચીન સાહિત્યના એક-એક ટુકડા માટે પોતાની સમગ્ર શક્તિ વાપરીને એનું રક્ષણ કરે છે. એ ધ્યાનમાં રાખવું ઘટે કે અત્યાર લગી જે ઉપાયોથી ગ્રંથરક્ષા થતી રહી, એ ઉપાયો હવે કામ લાગે એવા નથી રહ્યા. અત્યારે સંહારક શક્તિએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આ યુગમાં સાહિત્યના રક્ષણનો એનાથી ચઢિયાતો બીજો કોઈ ઉપાય નથી કે ગ્રંથોની હજારો પ્રતિઓ છપાવીને બધે ફેલાવી દેવામાં આવે, જેથી ગમે તેવી સ્થિતિ આવી પડવા છતાં, કયાંક ને કયાંક એની હસ્તી ટકી રહે. - “આપણે-જ્ઞાનના આવા ઉત્તમ સંગ્રહો તરફ આટલા બધા ઉદાસીન રહીએ છીએ અને એના સર્વનાશનું જોખમ વહોરીને ચૂપચાપ બેસી રહ્યા છીએ, એ આપણી શ્રુતભક્તિનું નવું બુદ્ધિહીન સ્વરૂપ છે. “આ પ્રશ્ર સમસ્ત જૈન સમાજે વિચારવા જેવો છે. એમાં ઉદાસીનતા ઘાતક નીવડવાની છે.” ડૉ. હીરાલાલજીનું આ લખાણ કેવળ જૈનસંઘને માટે જ નહીં, પણ બધા ય હસ્તલિખિત ગ્રંથભંડારોના વ્યવસ્થાપકોને માટે ઉપયોગી થઈ શકે એવું છે. તેમાં ય અત્યારના અણુબોંબ જેવાં પળવારમાં સર્વનાશ વેરી શકે એવાં અસ્ત્રોના યુગમાં આ બાબતમાં કેટલું સાવધાન રહેવાની જરૂર છે – એ તરફ એમણે યથાર્થ આંગળી ચીંધી છે. પ્રાચીન ગ્રંથોની સાચવણીના એક ઉપાય તરીકે એમણે એની હજારો પ્રતિઓ છપાવીને જુદે જુદે સ્થળે ફેલાવી દેવાનું જે સૂચન કર્યું છે તે ઘણું મહત્ત્વનું છે. એમ થવાથી પ્રાચીન ગ્રંથોનો ઉપયોગ સરળ અને વ્યાપક બનશે; સાથે-સાથે એનું રક્ષણ પણ વિશેષ પ્રમાણમાં થઈ શકશે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે હસ્તલિખિત ગ્રંથોની આવી મહત્તા અને ઉપયોગિતા સમજીને આપણી કેન્દ્ર સરકારે આવા ગ્રંથોની યાદીઓ છપાવવા માટે ઘણી સારી મદદ આપવાની યોજના કરી છે. (આ અંગેની વિશેષ માહિતી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર', અમદાવાદ-૩૮૦૦૦૯ – એ સરનામે લખવાથી મળી શકશે.) (તા. ૩૦-૭-૧૯૬૦ અને તા. ૧-૮-૧૯૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy