SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૬ ૩૮૯ અમે એમનું એ લખાણ (મૂળ હિંદીનો ગુજરાતી અનુવાદ) અહીં સાભાર રજૂ કરીએ છીએ : “આને (શ્રી વીરસેનાચાર્યવિરચિત “ધવલા' ટીકા સહિતના શ્રી ભગવતપુષ્પદંત તથા ભૂતબલિ વિરચિત પખંડાગમને) તૈયાર કરવામાં અમને જે અનુભવ મળ્યો છે, તેથી અમારું હૃદય અંદર ને અંદર ખેદ અને વિષાદના આવેગથી રડી રહ્યું છે. “આ સિદ્ધાંત-ગ્રંથોમાં જે અપાર જ્ઞાનરાશિ ભરેલો છે, એનો ગઈ કેટલીય શતાબ્દીઓ લગી આપણા સાહિત્યને કશો લાભ નથી મળી શક્યો; કેમ કે એની જે એકમાત્ર પ્રતિ હતી, તે, ગમે તે રીતે, તિજોરીમાં બંધ થઈ ગઈ હતી, અને એ અધ્યયનની વસ્તુ મટીને પૂજાની વસ્તુ બની ગઈ હતી. જો આ ગ્રંથો સાહિત્ય-ક્ષેત્રમાં સુલભ રહ્યા હોત, તો એને આધારે અત્યાર સુધીમાં, ન માલૂમ, કેટલું અને કેવી કોટિનું સાહિત્ય રચાયું હોત, અને આપણા સાહિત્યને કેવી ય દિશા અને ગતિ મળી ગઈ હોત ! સિદ્ધાંતની કેટલીય ગૂંચો, કે જેને ઉકેલવામાં વિદ્વાનોનાં પુષ્કળ સમય અને શક્તિનો હાસ થતો રહ્યો છે, એ આ ગ્રંથોમાં ઉકેલાયેલી પડી છે. આટલી વિપુલ સંપત્તિ મળવા છતાં આપણે દરિદ્ર જ બની રહ્યા; અને આ દરિદ્રતાનાં સૌથી વધારે સંતાપ અને દુઃખનો અનુભવ અમને આ ગ્રંથોનું સંપાદન કરતાં થયો છે ! જે પ્રતોને આધારે અમે સંશોધન કરતા હતા તે ખામીઓ અને ભૂલોથી ભરેલી છે. અમારે એના એક-એક શબ્દના સંશોધનને માટે, ન માલૂમ કેટકેટલી માનસિક કસરત કરવી પડી છે, અને કેટલા દિવસો સુધી, સતના બે-બે વાગ્યા સુધી બેસીને અમારા લોહીને સૂકવવું પડ્યું છે ! આમ છતાં ય અમે જે સંશોધન કર્યું છે, એને માટે સોળે સોળ આના અમને ખાતરી નથી કે આચાર્યે રચેલા શબ્દો એ જ છે. ભલે અમારે આ બધું કરવું પડ્યું, પણ ખરી રીતે મૂડબિદ્રીની આદર્શ પ્રતિઓમાં દૃષ્ટિપાત કરવા માત્રથી પણ એ કઠિન સ્થળો અંગેનો નિર્વિવાદ નિર્ણય થઈ શકવાની સંભાવના હતી. અમને થયેલા અનુભવ એવા માનવીના જીવન જેવો હતો કે જેના પિતાની અઢળક સંપત્તિ ઉપર તાળું લગાવીને કોઈ બેસી ગયું હોય, અને એ પોતે એક-એક ટુકડાને માટે ભીખ માગતો ફરતો હોય ! “આનાથી આપણને કેટલું બધું નુકસાન થયું! જેટલો સમય અને પરિશ્રમ એના સંશોધનમાં લાગી રહ્યો છે, એટલામાં જો મૂળ પ્રતિ મળી શકી હોત, તો ન માલૂમ, કેટલી સાહિત્ય-સેવા થઈ શકી હોત, અને સમાજનું કેટલું ભલું કરી શકાયું હોત ! સમય અને શક્તિના આવા જ અપવ્યયથી સમાજની પ્રગતિ રૂંધાઈ જાય છે. અત્યારની મંદગતિ જોતાં, કોણ જાણે આ ગ્રંથોના ઉદ્ધારમાં કેટલો સમય ખરચાશે! “આ સમય સાહિત્ય, કળા અને સંસ્કૃતિને માટે ભારે આપત્તિનો સમય છે, રાજદ્વારી અશાંતિને કારણે હજારો વર્ષોની સાંસ્કૃતિક સંપત્તિ અમુક મિનિટોમાં જ ભસ્મસાત્ થઈ જાય. ભગવાન એવું ન થવા દે, પણ જો આવી આફત અહીં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy