SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ જિનમાર્ગનું અનુશીલન ખોટા આંટા ખવરાવ્યા અને એમાં એટલો વખત નકામો ગયો કે છેવટે થાકીને મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો ! કેટલાંક વર્ષ પહેલાંની આ વાત છે; અને હજી પણ મારી આ ઇચ્છા સફળ નથી થઈ!” આ ત્રણ કિસ્સાઓને પણ કદાચ સારા કહેવડાવે એવી, એક વિચિત્ર વાત આ સ્થાને જાણવી રસપ્રદ થઈ પડશે, કે ક્વચિત્ એવું પણ બને છે કે પોતાની પાસે વિશાળ જ્ઞાનભંડાર હોવા છતાં, પોતાને કોઈ ગ્રંથની જરૂર પડે તો પોતાના જ્ઞાનભંડારનાં તાળાં ઉઘાડવાને બદલે બીજે ક્યાંકથી એ ગ્રંથ મળી શકતો હોય તો તે મેળવવાની મનોવૃત્તિ હોય છે! આજે જૈન સાહિત્ય તરફ દેશ-પરદેશના વિદ્વાનોનું ખૂબ ધ્યાન દોરાયું છે અને ચારેકોરથી હસ્તલિખિત તેમ જ છપાયેલ સાહિત્યની માગણી થયા કરે છે. તો જૈન સાહિત્યના પ્રચારને માટે કે જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો સામાન્ય જનસમૂહને પરિચય કરાવવા માટે અત્યારે સોનેરી સમય છે. આવા સમયે પણ જો આપણે આપણા જ્ઞાનભંડારો માટે આવું સંકુચિત વલણ રાખીએ, અને એના ખપી વિદ્વાનો માટે પણ એ સુલભ ન બનાવી શકીએ, તો તે આપણા માટે ઘણું જ હીણપતભર્યું છે. જ્ઞાનભંડારોને સાચવવા અને એમાંના પ્રાચીન ગ્રંથો રફેદફે ન થઈ જાય એની ખબરદારી એ એક વાત છે, અને એનો સદંતર ઉપયોગ જ ન થઈ શકે એવી વ્યવસ્થા એ સાવ જુદી વાત છે; એ તો કેવળ અજ્ઞાન જ છે. ગ્રંથોની સુરક્ષા માટે પણ, હવે તો હસ્તપ્રતોનો ઉપયોગ કરવા દેવાની મોકળાશમાત્ર કરીએ તે પૂરતું નથી, પણ વહેલામાં વહેલી તકે સામે ચાલીને એનો ઉપયોગ કરાવી સંશોધન-સંપાદનપૂર્વક પ્રતોની મુદ્રિત રૂપે વૃદ્ધિ કરીએ એવો યુગસંદર્ભ છે તે નીચેની પૂરક નોંધ બતાવશે. ડૉ. હીરાલાલજી જૈન એ ભારતના પ્રાચ્યવિદ્યાના વિશારદ વિદ્વાનોમાંના એક વિખ્યાત વિદ્વાન છે. દિગંબર સંઘના આગમિક આકર-ગ્રંથ “ષટ્રખંડાગમ' (‘ધવલા' ટીકા સહિત) મહાગ્રંથનું ૧૬ ભાગોમાં સંપાદન એમની દેખરેખ નીચે થયું છે. આ મહાગ્રંથના સંપાદન દરમિયાન આ ગ્રંથની મૂડબિદ્રીની પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત નહીં મળી શકવાને કારણે એ કાર્યમાં એમને કેટલી મુસીબત વેઠવી પડી એનું તેમ જ આ ગ્રંથોને સુરક્ષિત બનાવવાની તેમ જ એનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા થવાની કેટલી જરૂર છે, એ વાતની સચોટ અને હૃદયસ્પર્શી રજૂઆત તેઓએ આ મહાગ્રંથના પહેલા ભાગના પ્રાકકથનમાં ખૂબ વેદનાભરી વાણીમાં કરી છે. ત્રીસેક વર્ષ પહેલાં (સને ૧૯૩૯માં) લખાયેલું એમનું આ લખાણ થોડા વખત પહેલાં અમારા જોવામાં આવતાં, અત્યારે પણ એ એટલું જ ઉપયોગી લાગ્યું એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy