SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જિનમાર્ગનું અનુશીલના કે ધર્મપુસ્તકો લખવાં-લખાવવાં. (પુત્વત્તિi) એ શ્રાવકને માટે ધર્મફત્ય લેખાવા લાગ્યું. શ્વેતાંબરોના પ્રાચીન અને આધુનિક પણ) ગ્રંથભંડારો જોતાં એની એક વિશેષતા તરફ વિદ્વાનોનું ધ્યાન ગયા વગર નથી રહેતું કે એ ભંડારોમાં તાંબર પરંપરાના ગ્રંથો ઉપરાંત દિગંબર પરંપરાના, વળી વૈદિક (હિંદુ) અને બૌદ્ધ પરંપરાના પણ, તેમ જ દેશમાંના બીજા કોઈ પણ ગ્રંથભંડારમાં સદંતર અલભ્ય એવા ગ્રંથોની પ્રતો પણ મળી આવી છે. આથી દેશ-વિદેશના વિદ્વાનોમાં જૈનવિદ્યા અને ભારતીય વિદ્યાઓના અધ્યયનના અન્વયે આ ભંડારોની ખ્યાતિ ખૂબ ફેલાઈ છે. આનો અર્થ એ થયો કે શ્વેતાંબર જૈનોએ પુસ્તકો લખાવવામાં અને એની જ્ઞાનભંડારો દ્વારા સુરક્ષા કરવામાં સાંપ્રદાયિક સંકુચિત દષ્ટિ ન રાખતાં જ્ઞાનની દૃષ્ટિએ જ સાચવવાની ઉદાર અને દીર્ઘ દૃષ્ટિ શરૂઆતથી જ રાખી છે. શ્વેતાંબર જૈનસંઘ કે વ્યક્તિ હસ્તકના આવા પ્રાચીન જ્ઞાનભંડારો મોટે ભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અને મારવાડ-મેવાડ સહિત રાજસ્થાનમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં લીંબડી, ભાવનગર જેવાં સ્થાનમાં, કચ્છમાં રુણી, કોડાય વગેરે સ્થળોએ, ગુજરાતમાં પાટણ, ખંભાત, અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં, રાજસ્થાનમાં જેસલમેર જેવા દૂરના સ્થાને પણ આવા પ્રાચીન અને અમૂલ્ય ગ્રંથભંડારો આવેલા છે. આમ છતાં આપણી બેદરકારીને કારણે અત્યાર સુધીમાં અસંખ્ય હસ્તલિખિત ગ્રંથો કાળનો કોળિયો બની ગયા, અને આપણા અજ્ઞાનને લીધે વેચાઈને કે બીજી રીતે પરદેશોમાં પહોંચી ગયા એની કથા બહુ જ કરુણ છે. અને, છેલ્લા પાંચેક દાયકા દરમિયાન આ દિશામાં આપણે ઠીકઠીક જાગૃત થયા હોવા છતાં, આવા ગ્રંથોના વિનાશની કે વેચાણની પ્રક્રિયા સાવ અટકી ગઈ છે એવું નથી. આ ભંડારોનાં મૂલ્ય અને ઉપયોગિતા આપણને જેમ જેમ સમજાતાં થયાં, તેમતેમ એની વ્યવસ્થા તરફ આપણે ધ્યાન આપતા ગયા છીએ, અને વિદ્વાનો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી પણ કેટલીક ગોઠવણ આપણે ત્યાં થવા લાગી છે. આમ છતાં હજી સંખ્યાબંધ ભંડારો એવા છે, જેમની સામગ્રી વિદ્વાનો માટે દુર્લભ છે. કેટલાંક સ્થાનોમાં હજી પણ આવા પ્રાચીન ગ્રંથોની વિગતવાર યાદીઓ તૈયાર થવી અને એનો સરળતાપૂર્વક ઉપયોગ થઈ શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. એ માટે જ્યાં પૈસાની સગવડનો અભાવ હોય ત્યાં આવી સગવડ કરવાની પણ જરૂર છે. ખપી વિદ્વાનોને પડતી અગવડના ત્રણેક કિસ્સાઓ અમારા જાણવામાં આવ્યા છે, એથી જ આ નોંધ લખવાનું અને દુરસ્ત માન્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy