SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૬ (૬) જ્ઞાન-ભંડારોનો વહીવટ મોટે ભાગે સંઘની માલિકીના જ્ઞાનભંડારો વસાવવાની પરિપાટી આપણે ત્યાં પ્રાચીનકાળથી ચાલી આવે છે. આગળ જતાં વ્યક્તિગત માલિકીના ગણી શકાય એવા પણ જ્ઞાનભંડારોના થોડાક દાખલાઓ મળી શકે એમ છે, અને કોઈ ઉપાશ્રયની શ્રીપૂજ કે યતિની ગાદીની સાથે સંકળાયેલ હોવાથી અમુક અંશે વ્યક્તિગત માલિકીના લેખી શકાય એવા પણ ગ્રંથભંડારો છે. એટલે પછી એની સાચવણી અને એના ઉપયોગ માટેની વ્યવસ્થા અને વહીવટનો સવાલ પણ જૂના કાળથી જ આપણે હલ કરવો પડ્યો છે. કેટલાય સમૃદ્ધ અને ઉપયોગી જ્ઞાનભંડારોના ઉપયોગની આડે આવતી વહીવટી ગેરવ્યવસ્થા દૂર કરવા માટે લખવું અમને જરૂરી લાગે છે. તે પહેલાં આપણા જ્ઞાનભંડારોના મહત્ત્વ અંગે થોડુંક લખવું ઉચિત લેખાશે. આપણા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારો એ આપણી બીજી બધી સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક સંપત્તિ કરતાં વધારે મૂલ્યવાન તેમ જ પાયારૂપ સંપત્તિ છે. અને એની સાચવણીમાં જ આપણાં સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસની સુરક્ષા છે; ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનો બોધપાઠ અને વારસો પણ મોટે ભાગે એમાંથી જ મળે છે. એટલે આવા ગ્રંથભંડારોનું જતન અને એનો સૌ ખપી વ્યક્તિ છૂટથી ઉપયોગ કરી શકે એવી એ આપણી બહુ મોટી ફ૨જ બની રહે છે. વ્યવસ્થા વીરનિર્વાણ-સંવત્ ૯૮૦માં (વિક્રમ સંવત્ ૫૧માં) દેવર્નિંગણી ક્ષમાશ્રમણ દ્વારા વલભીપુરમાં થયેલી શ્રમણસંઘની બેઠકમાં લેવાયેલા શકવર્તી નિર્ણય મુજબ માત્ર કંઠસ્થ રખાતાં શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાની પ્રથા એક વાર શરૂ થઈ, ત્યાર પછી તો આપણે ત્યાં પ્રાચીન તેમ જ નવાંનવાં રચાતાં પુસ્તકોને લખવાં-લખાવવાં એ પવિત્ર ફરજ લેખાવા લાગી, અને જે કાળે જે સાધનો આ માટે સુલભ હતાં, તેનો ઉપયોગ છૂટથી થવા લાગ્યો. જ્યારે દેવનાગરી લિપિના બદલે બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી તેટલા પ્રાચીન કાળમાં લખાયેલાં પુસ્તકો તો અત્યારે મળતાં નથી; પણ વલભી-વાચના પછી પુસ્તકો લખાવવાની જે પ્રથા ચાલી તેથી દરેક સૈકે અનેક પુસ્તકો લખાતાં રહ્યાં. એટલે અત્યારે જૈન-ધર્મના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો તાડપત્ર ઉપર દેવનાગરી ભાષામાં લખાયેલા મળે છે. પછી કાગળનો ઉપયોગ શરૂ થયો ત્યારથી આપણા ગ્રંથો કાગળ ઉપર હાથે લખાવા શરૂ થયા; અને છેલ્લે-છેલ્લે યંત્રયુગમાં મુદ્રણકળા(છાપખાના)ની શરૂઆત થઈ, તો આપણે ધર્મશાસ્ત્રોને છપાવવાં શરૂ કર્યાં. (અલબત્ત, ઓછા શાસ્ત્રજ્ઞ અને ઓછા અભ્યાસી એવા અનધિકારીઓને હાથે છપાયેલા ગ્રંથોમાં અનેક અશુદ્ધિઓ આવી જવા પામી.) એક વા૨ના કંઠસ્થ આગમોને ગ્રંથસ્થ કરવાની શરૂઆત થઈ તે એટલે સુધી - Jain Education International ૩૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy