SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૫ જોધપુરમાં પહેલાંના કેટલાક નાના-મોટા ગ્રંથભંડારો તો હતા જ; પણ રાજસ્થાન સરકારે ત્યાં “રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાન' નામે કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના કરી, અને એનું મુખ્ય સંચાલકપદ (માનાર્ડ ડિરેક્ટર-પદ) પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીને સોંપ્યું ત્યારથી, ખાસ કરીને મુનિજીના પ્રયત્નથી અને એમના પ્રત્યેની શ્રદ્ધાને કારણે, એ સંસ્થામાં આશરે નાના-મોટા મળીને ચાલીસથી પચાસ હજાર હસ્તલિખિત ગ્રંથોનો વિપુલ સંગ્રહ થઈ ગયો છે. આ જ રીતે બીકાનેરમાં પણ હસ્તલિખિત ગ્રંથોના નાના-મોટા અનેક ભંડારો મોજૂદ છે. પાકિસ્તાન-હિંદુસ્તાન વચ્ચેના તાજેતરનું યુદ્ધ ઉગ્ર બનતાં પાકિસ્તાનના સિંધની સહરદની સમીપમાં હોવાને કારણે આ બધાં સ્થાનો ઉપર વિમાની આક્રમણનો ભય ઊભો થયો હતો. જોધપુરે તો લડાયક વિમાનોમાંથી કરવામાં આવતી બોમ્બવર્ષાનો અનેક વાર ભયંકર જાત-અનુભવ કર્યો, જેસલમેર તેમ જ એની આસપાસના પ્રદેશ ઉપર પણ બોમ્બમારાનો ભય સતત ઝઝૂમતો રહ્યો. એના લીધે જોધપુર અને જેસલમેરના આવા બહુમૂલા હસ્તલિખિત ગ્રંથભંડારોના ભાવિ માટે આપણે ખૂબ ચિંતાગ્રસ્ત બની ગયા હતા, અને આ ભંડારોને કેવી રીતે બચાવી શકીશું એ માટે આપણામાં એક પ્રકારનો ગભરાટ વ્યાપી ગયો હતો. તેથી તાર-ટપાલ દ્વારા કે બીજી રીતે લાગતા-વળગતાઓનો સંપર્ક સાધીને આ અંગે તત્કાળ કંઈક કરવાની જરૂર તરફ એમનું ભારપૂર્વક ધ્યાન દોર્યું હતું. જોધપુરની દિવસેદિવસે વધુ ને વધુ વણસતી અને ભયગ્રસ્ત થતી જતી સ્થિતિને કારણે ત્યાંના “રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાન'માંના હસ્તલિખિત ગ્રંથોના અતિવિપુલ ગ્રંથભંડારનું શું થશે, એ બાબતે મુનિશ્રી જિનવિજયજીને ભારે બેચેન અને ચિંતિત બનાવી મૂક્યા હતા. એમ કહી શકાય કે આ ચિંતાના ભારે એમનાં ઊંઘ અને આરામને ઉડાડી મૂક્યાં હતાં. આ વખતે તેઓ અમદાવાદમાં હતા અને એમની તબિયત પણ નાદુરસ્ત હતી, તેમ જ જોધપુરમાં આકાશમાંથી બોમ્બવર્ષો થયાના સમાચાર અવારનવાર મળતા રહેતા હતા. પણ એ કશાની પરવા કર્યા વગર તેઓ જાતે જોધપુર પહોંચી ગયા. ત્યાં અત્યારે તેઓ આ હસ્તલિખિત ગ્રંથભંડારની સુરક્ષિત સ્થાને બદલી કરવા અંગે વિચારણા ચલાવી રહ્યા છે. આશા રાખીએ કે રાજસ્થાન સરકાર પણ પરિસ્થિતિની વિકટતાને પિછાણીને તત્કાળ જરૂરી નિર્ણય લઈને એનો અમલ કરશે. હિંદુસ્તાનના સૌથી વધારે મહત્ત્વવાળા હસ્તલિખિત ભંડારોમાં જેસલમેરના ભંડારોનું સ્થાન આગળ પડતું છે. એમાંના તાડપત્રીય ગ્રંથો જેમ વિશેષ પ્રાચીન છે, તેમ વિશેષ મહત્ત્વના પણ છે. આ ભંડારોનાં વહીવટ અને વ્યવસ્થા સરકાર-હસ્તક નહીં, પણ જૈનસંઘ કે જૈન આગેવાનો-હસ્તક છે. એટલે એની સુરક્ષિતતા માટે સ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy