SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જિનમાર્ગનું અનુશીલન “કચ્છની જ વાત કરીએ, તો અહીં લગભગ પ્રત્યેક મુખ્ય ગામમાં હસ્તલિખિત ગ્રંથોના ભંડારો આજે પણ જીર્ણશીર્ણ દશામાં રહ્યા છે ખરા. આ ભંડારોમાં સુવર્ણાક્ષરી શાહીથી લિપિબદ્ધ સચિત્ર હાથપ્રતો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. પરજાઉ જેવા તદ્દન નાના ગામમાં આચાર્ય મલયગિરિ જેવા મહાન ગ્રંથકારની હસ્તલિખિત કૃતિઓ ઉપલબ્ધ થાય એ શું ઓછા અચંબાની વાત છે ? “પરંતુ આ બધા ભંડારોમાં હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં ઘોર ઉદાસીનતા સેવાઈ છે. સુથરીનો જ દાખલો લઈએ, તો અહીં સ્તવનો કે પ્રતિક્રમણની છાપેલી ચોપડીઓ સ્ટીલના કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે; જ્યારે અપ્રાપ્ય હસ્તલિખિત ગ્રંથરાશિને ઠાંસીઠાંસીને પોટલાંઓમાં ભરવામાં આવેલ છે; અને એ પોટલાંઓ પણ બહાર પડેલ છે. આવું તો લગભગ બધે જ છે. જો આ પોટલાંઓને વ્યવસ્થિત કરવામાં આવે અને તેનું તલસ્પર્શી સંશોધન કરવામાં આવે તો તેમાંથી ઘણી અમૂલ્ય સામગ્રી મળી આવે એમ છે. આવાં પોટલાઓમાંથી જ શ્રી પાર્શ્વભાઈએ મુક્તિસાગરસૂરિષ્કૃત ‘અર્બુદાચલ રાસ' શોધી કાઢ્યો, જે રાસસંગ્રહમાં પ્રકટ થશે. “પહેલાં આપણાં ધનિકો પોતાને ઘેર પણ હાથપ્રતોનો સંગ્રહ રાખતા; આવા સંગ્રહો પણ ઠીક સંખ્યામાં હતા. પરંતુ હાલ એવું જાણવા મળ્યું છે કે આવા વ્યક્તિગત ભંડારોની પ્રતોને નદીના પાણીમાં પધરાવી દેવામાં આવે છે. આવો જ એક દાખલો અબડાસાના પ્રવાસ દરમિયાન સાંભળવામાં આવેલો. “પૂજ્યપાદ દાદા શ્રી ગૌતમસાગરજી મહારાજને જ્ઞાનભંડારો સ્થાપવાના ભારે કોડ હતા. એમના પ્રયાસોને પરિણામે કચ્છમાં ભુજ અને માંડવીમાં મોટા હસ્તલિખિત સંગ્રહો અસ્તિત્વમાં આવ્યા, દાદાગુરુજી પોતે પણ પ્રતો લખતા . ગ્રંથરત્નોનો પુનરુદ્ધાર કરવામાં એમણે સતત પ્રયાસો કરેલા. પરંતુ એમના પછી હાલ કોઈ પણ ત્યાગીઓને આ દિશામાં નામમાત્રનો પણ રસ હોય એમ જણાતું નથી. મુનિરાજો અને સાધ્વીશ્રીજીઓને પોતાને જ રસ ન હોય, ત્યાં તેઓ શ્રાવકોને ગ્રંથોદ્ધારનો ઉપદેશ તો ક્યાંથી આપવાના ? એમના દુર્લક્ષને પરિણામે પ્રતિદિન આપણાં જ્ઞાનભંડારોની પ્રતોની સંખ્યા ઘટતી જાય છે. જ્ઞાન પ્રત્યેની આવી ઘોર ઉપેક્ષા એ જ આપણી અવનતિનું મૂળ છે એ સત્ય હજી પણ આપણે સમજી શકતા નથી એ મોટી કરુણતા છે. પરંતુ આ કરુણતાની રિસીમા તો એ છે કે આજે આપણા જ્ઞાનભંડારો, જેમના વિકાસમાં આપણા પૂર્વાચાર્યોએ પોતાનું જીવન ખર્ચેલું, તે બધા મોટી કીમતે વેચાઈ રહ્યા છે. “કચ્છની મોટી પોશાળ, જખૌના ગોરજી હસ્તક આદિ અનેક પોશાળોના સંગ્રહો આપણી પાસેથી ચારના ય ચાલ્યા ગયા છે. આ સંગ્રહોમાં આપણા પૂર્વાચાર્યોનાં પ્રશસ્ત કાર્યો વિશે ઘણું સાહિત્ય હતું. રહ્યાસહ્યા ભંડારો પણ વેચાઈ જવાની સ્થિતિમાં છે. મુનિરાજો કે આગેવાનોની ઊંઘ ઊડતી નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy