SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩, ૪ (૬) હસ્તપ્રતોને ઉકેલવાની અને સાચવવાની કળાના જાણકાર માણસો તૈયા૨ થઈ શકે એવી કંઈક ગોઠવણની ખાસ જરૂર છે. આવી અગમચેતી નહીં દાખવીએ, તો અત્યારની આની જાણકા૨ થોડીક વ્યક્તિઓથી જ્ઞાનસેવા અને જ્ઞાનોદ્ધારનું કામ કાયમ કેવી રીતે ચાલી શકશે ? કુશળ ધાર્મિક શિક્ષકોની અછત કરતાં પણ આ અછત વધુ ચિંતાજનક છે. ટૂંકમાં કહીએ, તો આપણી જ્ઞાનસંપત્તિને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાનું આ કામ એવું મોટું છે, કે એ માટે, મંદિરોના જીર્ણોદ્ધાર-ખાતાની જેમ જ્ઞાનોદ્વારનું એક મોટું ખાતું ચલાવવું જરૂરી થઈ પડે. આવું ખાતું કેવું હોય અને કેવી રીતે કામ કરી શકે એનો ઉત્તમ નમૂનો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરરૂપે જોવા મળે છે. આ કાર્ય માટે પૂરેપૂરાં સલાહસૂચન અને માર્ગદર્શન આપી શકે એવી સમર્થ આ સંસ્થા છે, અને એના કાર્યકરોનું જૂથ આ બાબતમાં ખૂબ કુશળ છે. (તા. ૨૮-૭-૧૯૭૩) (૪) કચ્છનું ઉપેક્ષિત વિધાધન મુંબઈથી પ્રગટ થતા કચ્છી દશા ઓસવાળ જૈન જાતિના માસિક મુખપત્ર ‘પ્રકાશ-સમીક્ષા'ના ગત જૂન-જુલાઈ-ઑગસ્ટ માસના સંયુક્ત અંકમાંના ભાઈશ્રી કરમશી ખેતશી ખોનાના ‘શ્રી અંચળગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આવશ્યકતા’ એ લેખ તરફ અમારું ધ્યાન ગયું છે; અને એમાં કરવામાં આવેલ સૂચન તરફ જૈનસંઘનું ધ્યાન દોરવા આ નોંધ લખવા પ્રેરાયા છીએ. શ્રી કરમશીભાઈ લખે છે : ૩૭૯ “હાલમાં જ લેખકશ્રી પાર્શ્વભાઈએ એકાદ માસનો કચ્છનો સંશોધન-પ્રવાસ પૂર્ણ કરી એ વિશે પોતાના વિચારો મિત્રો અને આગેવાનોને પત્રો દ્વારા કે રૂબરૂ મળીને જણાવેલ છે. આ પ્રવાસ દરમિયાન એમને પ્રાપ્ત થયેલ અનેક જાણકારીનું ભાથું એમના પ્રકાશ્યમાન બે ગ્રંથોમાં પ્રતિબિંબિત થશે. અહીં તેમણે વર્ણવેલ આપણા જ્ઞાનભંડારોની અવદશા વિશે સંક્ષેપમાં દૃષ્ટિપાત કરી એના ઉપાય વિશે જણાવવું પ્રસ્તુત છે. “અંચલ-ગચ્છના પૂર્વાચાર્યોએ જૈન શ્રુતને બધે પ્રસારિત કરવામાં કે તેને ગ્રંથબદ્ધ કરી જાળવી રાખવામાં ઉલ્લેખનીય પ્રયાસો કર્યા છે, એમના ઉપદેશથી ગચ્છના શ્રેષ્ઠીવર્યોએ એ દિશામાં પ્રચુર ધનવ્યય કરવામાં જરી યે કચાશ રાખી નથી. પરિણામે ગચ્છના મહત્ત્વના દરેક સ્થાનમાં સમૃદ્ધ જ્ઞાનપરબ પ્રસ્થાપિત થઈ અને પ્રતિદિન વૃદ્ધિવંત બનતી રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy