SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩ હાલત ખૂબ શોચનીય માલૂમ પડી. કેટલીય પ્રતો ભેજ અને ઊધઈનો ભોગ થઈ ગઈ હતી, અને ત્યાં દુર્ગધ એવી હતી કે પ્રતો જોવાનું પણ અસહ્ય બની જાય. છતાં એમણે ધીરજપૂર્વક એ ભંડારને તપાસ્યો. નષ્ટ થયેલી અને સાજી રહેલી પ્રતોને જુદી કરી. ઊધઈ અને ભેજનો શિકાર થઈને નાશ પામેલી આશરે અઢીસો જેટલી પ્રતોને સાચવવાનું હવે કોઈ રીતે શકય ન હતું એટલે એનો નિકાલ કરાયો, અને બાકીની પ્રતો વિનાશમાંથી ઊગરી જાય એવી તાત્કાલિક ગોઠવણ કરાઈ. પણ આ માટેની પૂરેપૂરી ગોઠવણ તો આ ગ્રંથભંડારના સંચાલકોના સાથ અને સહકારથી જ થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. આ ભંડારમાંની પ્રતોમાંની આટલી બધી પ્રતોનો, કેવળ સંચાલકોની જરૂરી દેખરેખને અભાવે, નાશ થઈ ગયા પછી બાકીની પ્રતોની સુરક્ષા માટે અથવા એ પ્રતો ભાવનગર સંઘ હસ્તકના ભંડારને સોંપી દેવા અંગે ઘોઘાના આ ભંડારના સંચાલકોનું એક કરતાં વધુ વાર ધ્યાન દોરવા છતાં આ બાબતમાં કંઈ થઈ શક્યું હોય એમ જાણવા મળેલ નથી. આ ભંડારના સંચાલકોને પોતાની બેદરકારીને દૂર કરીને આ બાબતમાં પોતાની ફરજ બજાવવાની પ્રેરણા મળે એ દૃષ્ટિએ બે-એક વર્ષ પહેલાં ભાવનગરમાં ચાતુર્માસ બિરાજેલા એક જાણીતા આચાર્ય મહારાજનું ધ્યાન આ વાત તરફ દોરવામાં આવેલું, અને આ માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં આવેલી. અને આચાર્ય મહારાજે આ અંગે બનતું કરવાનું પણ કહેલું; પણ છેવટે કશું થઈ શક્યું નહીં. આવા ભંડારોમાંના જે ભંડારો વધારે હસ્તપ્રતો ધરાવતા હોય, એનું મહત્ત્વ વિશેષ હોય એ સ્વાભાવિક છે. પણ તેથી જે ભંડારોમાં ઓછી હસ્તપ્રતો હોય એ ભંડારોને ઓછા મહત્ત્વના માની લેવાની જરૂર નથી. ક્યારેક તો ઓછી પ્રતા ધરાવતા ભંડારમાંથી પણ એવી વિરલ અને દુર્લભ હસ્તપ્રત મળી આવે છે, જે અન્યત્ર ક્યાંય નથી મળતી ! આવી પ્રત મળી આવવાને કારણે કોઈ લુપ્ત થયેલ માની લેવામાં આવેલ ધર્મગ્રંથ કે બીજા વિષયના ગ્રંથનો અભ્યાસ કરવાનું અને લાભ લેવાનું શકય બની જાય છે; આ કંઈ જેવો-તેવો લાભ ન ગણાય. આ તો અમે અહીં માત્ર દાખલા જ યંક્યા છે. બાકી તો હજી આપણા કેટલાય નાના-મોટા હસ્તલિખિત ભંડારો વણશોધાયા રહ્યા છે, અને એમને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાનું કામ તો બાકી જ છે. અને જે ભંડારો સુરક્ષિત અને વ્યવસ્થિત છે એની પ્રતો બાબતે પણ, એને કોઈ પણ જાતના નુક્સાનનું જોખમ તો નથી ને – એની પણ અમુક-અમુક સમયે બરાબર તપાસ થતી રહે એ જરૂરી છે. જ્યારે આવા તપાસાયેલા જ્ઞાનભંડારોને તપાસવાનો, અને સુરક્ષિત ભંડારોને અવારનવાર દેખભાળ કરતાં રહેવાની જરૂરનો વિચાર કરવામાં આવે છે, ત્યારે પહેલો સવાલ એ થાય છે કે આ કામ પૂરી ચીવટ, ધીરજ અને ખંતથી કોણ કરે ? અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy