SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જિનમાર્ગનું અનુશીલન બની ગયું છે. આ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રતો સુરક્ષિત કરાઈ છે, અને વિદ્વાનો એ પ્રતોને સહેલાઈથી જોઈતપાસી શકે, તેમ જ એનો ઉપયોગ ઓછી મુસીબતે કરી શકે એવી સારી વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. આ જ્ઞાનમંદિરમાં પાટણના સંખ્યાબંધ જ્ઞાનભંડારો ભેળવી દેવામાં આવેલ હોવા છતાં, કેટલાક જ્ઞાનભંડારોના સંચાલકોએ વ્યવસ્થાનો લાભ લેવાનું ઉચિત ન માન્યું, અને વહીવટ પોતાના હાથ પર રાખવાનો આગ્રહ રાખ્યો. આ વહીવટકર્તાઓ પોતાના વહીવટમાં રહેલ જ્ઞાનભંડારોની સાચવણી માટે પોતાથી બનતું બધું કરે તો છે જ. આમ છતાં, પ્રતોની સાચવણીની અને વ્યવસ્થા સુલભતાની બાબતમાં એક વ્યક્તિ એક જાહેર સંસ્થાની તોલે ભાગ્યે જ આવી શકે એ એક હકીકત છે. તેથી પાટણના આવા ભંડારોમાં પણ ખામી દેખાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિરને સોંપવા બાકી રહી ગયેલા પાટણના આવા કેટલાક જ્ઞાનભંડારોમાં એક તાડપત્રીય પ્રતોનો ભંડાર પણ છે. કાગળ ઉપર લખાયેલ પ્રતો કરતાં તાડપત્ર ઉપર લખાયેલ પ્રતો મોટે ભાગે વધારે પ્રાચીન હોવાથી, ગ્રંથ-સંશોધનની દષ્ટિએ એનું મહત્ત્વ વધારે હોય એ સ્વાભાવિક છે. પોતાના સંશોધન-કાર્ય માટે પાટણ ગયેલા પેલા વિદ્વાને જ્યારે આ તાડપત્રીય ગ્રંથભંડારની મુલાકાત લીધી, ત્યારે એ પ્રતોની સ્થિતિ જોઈને એમના દુઃખનો પાર ન રહ્યો. કેવી કીમતી પ્રતો અને એની કેવી ઉપેક્ષા ! આવી અવ્યવસ્થામાં આ પ્રતો કેટલો વખત સુરક્ષિત રહેવાની ? એ વિદ્વાને પોતાની આ વેદના આપણા એક જાણીતા વિદ્વાનને લખી જણાવી હતી. આ વખતે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની દરમિયાનગીરી દ્વારા આ બાબતમાં સત્વર કંઈક જરૂરી પગલાં ભરવાનું વિચારાયું પણ હતું, પણ મહારાજશ્રીની ઉત્તરોત્તર કથળતી જતી તબિયતના કારણે આમાં કશું ન થઈ શક્યું. વળી એક વધુ દાખલો જાણવા જેવો છે : ભાવનગર પાસેના આપણા જાણીતા તીર્થ ઘોઘામાં પણ હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ છે; એમાં હજાર-બારસો જેટલી પ્રતો છે. વિ.સં. ૨૦૨૩માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાનો મણિમહોત્સવ ઉજવાયો તે વખતે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી ભાવનગર પધાર્યા હતા. એ મહોત્સવ પ્રસંગે શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી અમૃતભાઈ પંડિત, શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે પણ ભાવનગર ગયા હતા. આ ત્રણે મહાનુભાવો હસ્તપ્રતોના પારખું અને એની સાચવણીની પદ્ધતિના જાણકાર છે. મહારાજશ્રી સાથે ભાવનગરનો શ્રી ડોસાભાઈ અભેચંદની શ્રીસંઘની પેઢી હસ્તકનો જ્ઞાનભંડાર જોયા પછી તેઓ ઘોઘાનો ભંડાર જોવા ગયા. ત્યાં જે સ્થાનમાં હસ્તલિખિત પુસ્તકો રાખવામાં આવતાં હતાં, એ સ્થાનને ઉઘાડીને જોતાં ભંડારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy