SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૭ અને ગુણગ્રાહક મનોવૃત્તિ કેળવે, તો જ મુશ્કેલીથી બચી શકાય એવી અટપટી આ માયાજાળ છે. જૈનધર્મે તો સત્યની સાધનાને મહાવ્રતનું બિરુદ આપીને અને “સઘં તો મ સામૂર્ય' (વિશ્વમાં સત્ય જ સારભૂત તત્ત્વ છે), “સવ્વસ HTTU હવાિ હૈ મેરાવી મા તર' (સત્યની આજ્ઞાને માન્ય કરવા તત્પર થયેલ મેધાવી મૃત્યુને તરી જાય છે) કે “સર્વ મથવ' (સત્ય એ જ પરમેશ્વર છે) એવાં ધર્મસૂત્રો દ્વારા ધર્મસાધના કે આત્મસાધનામાં સત્યનું સર્વોચ્ચપદ સમજાવ્યું છે, એટલું જ નહીં, જેનદર્શને સ્યાદ્વાદઅનેકાંતવાદની અને નયવાદની, બીજાં દર્શનો કરતાં જે સાવ અનોખી પદ્ધતિની શોધ કરી તેના કેન્દ્રમાં પણ સત્યની શોધ કે સાધના જ રહેલી છે. મતલબ કે આપણાથી જાણતાં-અજાણતાં સત્યના એકાદ અંશની પણ ઉપેક્ષા ન થઈ જાય એની પૂરેપૂરી જાગૃતિ જૈન દર્શને રાખી છે, અને એ માટેનો તાત્ત્વિક છતાં વ્યવહારુ એવો માર્ગ પણ બતાવી દીધો છે. સત્યની શોધની અને સત્યના સ્વીકારની આવી સુંદર પદ્ધતિ સમજ્યા પછી પણ જો આપણે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર, સાંપ્રદાયિક અભિનિવેશ કે કદાગ્રહને કારણે સત્યની શોધમાં કે સત્યના સ્વીકારમાં પાછા પડીએ તો એમાં બીજા કોનો દોષ કાઢી શકાય ? બે હાથે થાંભલાને મજબૂત રીતે પકડી રાખીને કોઈ માણસ થાંભલાએ પોતાને પકડી રાખ્યાની બૂમાબૂમ કરે તો એવા માનવીને કોણ છોડાવી શકે ? સત્યની શોધ એ જેમ મોટામાં મોટું વ્રત અને તપ છે, એમ એમાં જબરી નૈતિક હિંમત, નિર્ભયતા અને ગ્રંથિ વગરના મુક્ત મનની જરૂર પડે છે. સત્યના સાધકે પોતાના અંતરના અણુઅણુનો કબજો લઈને બેઠેલી જુગજુગ-જૂની માન્યતાને પણ, જરૂર લાગતાં, દેશવટો આપવા તૈયાર રહેવું પડે છે. સત્ય-અસત્યનો વિવેક કર્યા વગર, પોતાની જૂની કે નવી માન્યતાને જડતાપૂર્વક વળગી રહેતાં જ આ સત્યવ્રત ખંડિત થયું જ સમજો. આમ જોઈએ તો સત્ય વજ જેવું મજબૂત હોય છે, પણ એની શોધ કે ઉપાસના એવી નાજુક હોય છે કે જાણે કાચા સૂતરનો તાંતણો જ જોઈ લ્યો – જરાક આવેશ, આક્રોશ કે હઠાગ્રહનો ઝાટકો લાગ્યો કે એ તૂટી જ જવાનો ! એટલા માટે તો સત્યની શોધની અને સત્યને માર્ગે ચાલવાની પ્રક્રિયા તલવારની ધાર ઉપર ચાલવા જેવી નીડરતા અને ખબરદારી માગી લે છે. જેને માટે “સત્યમેવ નયતે” (સત્યનો જ જય થાય છે, એવું અડીખમ વિધાન કરવામાં આવ્યું છે, તે આવું નિર્ભેળ અને નિર્મળ સત્ય જ સમજવું. પણ આવા સત્યની શોધમાં તો કંઈકંઈ અવરોધો આવી પડે છે. બીજા અવરોધોની વાત તો દૂર રહી; અરે, ખુદ ધર્મ કે જેનો પાયો અને હેતુ બંને સત્ય છે, એના નામે જ ક્યારેક સત્યની ઉપેક્ષા અને અસત્ય કે અર્ધસત્યનું સમર્થન થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy