SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન કોઈ વિશિષ્ટ અપ્રકાશિત પ્રાચીન કૃતિ મળી આવે એ દૃષ્ટિએ, અવારનવાર જુદા-જુદા શાસ્ત્રભંડારોની તપાસને માટે વિદ્વાનોને મોકલવામાં આવે છે. થોડા મહિના પહેલાં (ગત જૂન માસમાં) આ સંસ્થા તરફથી પંડિત શ્રી હીરાલાલજી શાસ્ત્રી દિગંબર સંઘ હસ્તકના મધ્ય-પ્રદેશના શાસ્ત્રભંડારોનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ નિરીક્ષણને અંતે તેઓએ એ ભંડારોની જે શોચનીય સ્થિતિ નજરે નિહાળી તેનો ખ્યાલ આપતાં તેઓ કહે છે 398 બ્યાવરના ‘ઐલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન' તરફથી હું આ જૂન મહિનામાં મધ્યપ્રદેશના કેટલાક શાસ્ત્રભંડારોનું નિરીક્ષણ કરવા, કોઈ નવીન પુસ્તક મળી આવે એ આશાથી ગયો હતો. કોઈ નવીન ગ્રંથ તો ન મળ્યો, પણ શાસ્ત્રભંડારોની જે દુર્દશા દેખી એથી મન ખિન્ન થઈ ગયું. “સૌથી વધુ દુઃખ છતરપુરના એક મંદિરમાંનો શાસ્ત્રભંડાર જોવાથી થયું. ત્યાં લાકડાના કબાટના નીચેના ભાગના કાચ ફૂટી ગયા છે અને એમાં ઉંદરો પેસીને હસ્તપ્રતોને કાતરી ગયા છે. આના વ્યવસ્થાપક મંદિરની સામે જ રહે છે. માળાને મોકલીને એમને બોલાવ્યા તો જાણવા મળ્યું કે તેઓને પક્ષઘાત થયો છે. એમના સુપુત્રોને બોલાવ્યા તો ખબર મળી કે તેઓ બહારગામ ગયા છે. તેમનાં પત્નીને બોલાવ્યાં તો જવાબ મળ્યો કે ‘મને ફુરસદ નથી. પંડિતજીને કહેજો કે અમારાં શાસ્ત્રોને હાથ ન લગાવે; જેમ છે તેમ જ રહેવા દે !' ત્યાંનાં બીજાં પણ મંદિરોનાં લિસ્ટ તૈયાર કરવામાં આવ્યાં છે; એ જોયાં પણ એમાં કોઈ નવો ગ્રંથ ન મળ્યો, રીનાં પોટલાંઓમાંથી કદાચ સંસ્કૃત-પ્રાકૃતના અધૂરા ગ્રંથો મળી આવત; પણ એના વ્યવસ્થાપક એને બહારગામ આપી દેવાની વાત તો દૂર રહી, પોતાના ગામનાં મંદિરોમાંથી પણ કોઈ એક મંદિરમાં એ બધાંને ભેગાં કરીને વ્યવસ્થિત રીતે રાખવા તૈયાર નથી ! “ટકમગઢની પાસે ‘નિગોડા’ નામે પ્રાચીન સ્થાન છે... ત્યાં બે મંદિર છે. ત્યાંના લોકોએ કહ્યું કે ઘણી હસ્તપ્રતો બહુ જીર્ણ થઈ ગઈ હતી, એટલે એને ઘણા વખત પહેલાં જ તળાવમાં પધરાવી દેવામાં આવી છે... “વિજાવરમાં એક મંદિર છે... ત્યાંનો શાસ્ત્રભંડાર અત્યારે તો લોઢાના કબાટમાં મૂકવામાં આવ્યો છે, પણ પહેલાં એ લાકડાના કબાટમાં રખાતો હતો. એમાં ઉંદરોએ પેસીને પ્રતોનાં બંધન અને પ્રતોને પણ કાતરી ખાધાં હતાં. “ગયા વર્ષના મારા પ્રવાસ દરમિયાન મેં જે શહેરોના શાસ્ત્રભંડારોની દુર્દશાના સમાચાર વર્તમાન-પત્રોમાં પ્રકાશિત કર્યાં હતા, એની દશા હજી પણ દયા ઊપજે એવી છે; અને છતાં એના વ્યવસ્થાપકોને એની જરા પણ ચિંતા નથી ! “દરેક શહેરના સમાજને અને ખાસ કરીને વિદ્વાનોને મારું નિવેદન છે કે તેઓ પોતાના શહેરમાંના શાસ્ત્રભંડારોની સારી રીતે સંભાળ રાખે, જો સત્તાધારીઓ એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy