SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩ (૩) જ્ઞાનભંડારોની શોચનીય દશા અને આપણો સમયધર્મ ખંડિત મૂર્તિઓને અને જીર્ણ કે વેરવિખેર થયેલી હસ્તપ્રતોને તો પાણીમાં જ પધરાવાય; તો જ એની આશાતના અટકે, એવી આપણી માન્યતા સેંકડો વર્ષોથી ચાલે છે અને એનું આપણે ધર્મબુદ્ધિથી પાલન કરતા રહ્યા છીએ. પરિણામે, ઇતિહાસ અને કળા એ બંને દૃષ્ટિથી બહુ કીમતી એવી પ્રાચીન મૂર્તિઓ હજારોની સંખ્યામાં જળાશયોમાં પધરાવીને જ આપણે આપણી ફરજનું પાલન માન્યું ! જ્યારે આપણી દૃષ્ટિ પ્રાચીન મૂર્તિઓ, સ્થાપત્યો અને ગ્રંથો તરફ આવી સમજણ વગરની અને આપણને પોતાને જ નુકસાન કરનારી હતી, ત્યારે શાણા અંગ્રેજો આપણા દેશની સેંકડો પ્રાચીન ખંડિત મૂર્તિઓ પોતાના દેશમાં લઈ ગયા અને એનું બહુમૂલ્ય સંપત્તિની જેમ એમણે જતન કર્યું. બહુ મોડે-મોડે આપણને આપણી આ ભૂલ સમજાઈ અને પ્રાચીન ખંડિત મૂર્તિઓને પાણીમાં પધરાવી દેવાની આપણી પ્રવૃત્તિ બંધ થઈ. જો કે હજી પણ આપણે ત્યાં ધર્મશાસ્ત્રોના જાણકાર એવા ધર્મગુરુઓ વિદ્યમાન છે, જેઓ ખંડિત મૂર્તિઓનું જળાશયોમાં જ વિસર્જન કરાય એમ માને છે, અને પૂછનારને એવી જ સલાહ આપે છે. એમને તો આપણે શું કહી શકીએ ? જેઓ આવી ખંડિત મૂર્તિઓનું મૂલ્ય સમજે છે, તેઓ મારફત આવી ઇતિહાસ, કળા અને સંસ્કૃતિની દષ્ટિએ મહત્ત્વની સામગ્રીનું સારી રીતે જતન અને અધ્યયન થઈ શકે એવી વ્યવસ્થા થવી હજી બાકી જ છે. આ માટે કેટલાંક કેન્દ્રોમાં સંગ્રહસ્થાનો થવાં જોઈએ. હજી આપણા કેટલાય જ્ઞાનભંડારોમાં એવી બેહાલી પ્રવર્તે છે, જેથી દર વર્ષે સંખ્યાબંધ હસ્તલિખિત પ્રતો કાં તો ઊધઈથી કે કાં તો સુરક્ષા-વ્યવસ્થાના અભાવે નકામી થઈ જાય છે ! જોકે હવે આપણે જીર્ણ અને અસ્તવ્યસ્ત બની ગયેલી હસ્તપ્રતોનું પણ મૂલ્ય સમજતા થયા છીએ અને એની સાચવણી માટે કેટલીક ગોઠવણ પણ કરવા લાગ્યા છીએ. છતાં સામગ્રીના પ્રમાણમાં આ ગોઠવણ બહુ જ ઓછી, અધૂરી અને ખામીવાળી છે એમ કબૂલ કર્યા વગર ચાલે એમ નથી. પ્રાચીન શાસ્ત્રોની ઉપયોગિતાને કારણે જૈન શ્વેતાંબર-સંઘમાં જ્ઞાનભંડારો સ્થપાતા રહ્યા છે, તેમ દિગંબર-સંઘમાં પણ જિનમંદિર સાથે જ નાનો કે મોટો શાસ્ત્રભંડાર રાખવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલે છે. દિગંબર-સંઘ-હસ્તકના મધ્યપ્રદેશના શાસ્ત્રભંડારોની શોચનીય સ્થિતિ અંગેની થોડીક માહિતી ધ્યાનમાં લેવા જેવી છે. રાજસ્થાનમાં વ્યાવરમાં “ઐલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન' નામે એક સંસ્થા પ્રાચીન સાહિત્યના રક્ષણ અને સંશોધનનું કામ કરે છે. આ સંસ્થા તરફથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy