SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જિનમાર્ગનું અનુશીલન અને સાહિત્યનું પ્રકાશન અત્યારની જરૂરિયાતને પૂરી કરે એવી ઢબનું થાય એ રીતે નવેસરથી ગોઠવણ કરવાની. અને જો આપણે ઇચ્છીએ, તો સાહિત્યપ્રકાશનની બાબતમાં આવી નવા પ્રકારની ગોઠવણ કરવાનું કામ જરા ય મુશ્કેલ નથી. આપણે ત્યાં પણ, ભલે ઓછી સંખ્યામાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિના આદર્શ નમૂનારૂપ કહી શકાય એ રીતે કેટલાક પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદન-પ્રકાશન થયું જ છે; અને આવું આદર્શ સંશોધન કરવાની દૃષ્ટિ ધરાવતા થોડાક પણ ઉચ્ચ કોટિના વિદ્વાન્ સંશોધકો પણ આપણે ત્યાં છે. એટલે આ પરંપરાને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરીએ, અને દરેક ગ્રંથ સંશોધનની પદ્ધતિ પ્રમાણે ઉત્તમ રીતે પ્રગટ કરવાનો બે-એક દાયકા સુધી આગ્રહ રાખીએ, તો અત્યારે મુશ્કેલ લાગતું કામ સહજ-સરળ બની જવામાં અને ગ્રંથસંશોધન-પ્રકાશનની એક આદર્શ પરંપરા ઊભી થવામાં ઝાઝો વખત નહીં લાગે. ખરેખર તો જેને સાહિત્યના પુનરુદ્ધારનું જ આ કામ છે. વળી સરવાળે આ કામ ધર્મપ્રભાવનાનું પણ પવિત્ર કાર્ય તા. ર૭-૧-૧૯૬૮ને રોજ મુંબઈમાં શ્રી શ્વેતાંબર તેરાપંથી મહાસભાના ઉપક્રમે, આચાર્યશ્રી તુલસીજીના સાંનિધ્યમાં, “જૈન દર્શન અને સંસ્કૃતિ પરિષ’નું ત્રીજું અધિવેશન મળ્યું, તે પ્રસંગે જાણીતા વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યેએ જૈન સાહિત્યનું મહત્ત્વ અને એના પુનરુદ્ધારની જરૂર ચીંધતું જે પ્રવચન કર્યું હતું, એની ટૂંકી નોંધ તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર જૈન-ભારતી'ના તા. ૩-૩-૧૯૬૮ના અંકમાં આપવામાં આવી છે; તેઓ કહે છે – જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્ય છે, અને જૈન સમાજ એનો માલિક નહીં, પણ ફક્ત સંરક્ષક છે; આ સાહિત્ય તો જેઓ એનું અધ્યયન કરવા ઇચ્છે એ સૌનું છે. જૈન સાહિત્યનો ભંડાર વિશાળ છે, તેમ જ જૈન સંતોએ ક્યારેય ભાષાનો આગ્રહ રાખ્યો નથી. એમણે હમેશાં લોક-ભાષામાં જ સાહિત્યનું સર્જન કર્યું છે. જૈનોએ નથી કોઈ ભાષાને દેવભાષા બનાવી અને નથી કોઈ વ્યક્તિને ભૂદેવ બનાવી. જૈન સમાજે જૈન સાહિત્યને છુપાવીને રાખ્યું છે, પણ હવે એ બધા લોકો પાસે પહોંચતું થાય એ જરૂરી છે. શબ્દોની સાઠમારીમાં પડ્યા વગર, નિરાગ્રહ દષ્ટિએ, જૈન સાહિત્યનો પુનરુદ્ધાર કરવાની જરૂર છે.” ડૉ. ઉપાધ્યે આજીવન વિદ્યાવ્યાસંગી હોવાથી એમણે અનેક પ્રાચીન જૈન ગ્રંથોનું નમૂનેદાર સંશોધન કરીને એનો પુનરુદ્ધાર કર્યો છે, એટલે એમણે અહીં સ્વાનુભવને આધારે તેમ જ અત્યારના સમયની જરૂરિયાતને અનુલક્ષીને જ કહ્યું છે. (તા. ૩૩-૧૯૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy