SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૧, ૨ ૩૬૯ “શ્રુતજ્ઞાનપ્રેમીઓ અને સંઘોનાં જ્ઞાનખાતાંઓ આ કાર્ય માટે ઉદાર બને તો આ વિષયના જાણકારોને મોકલી દેશ-વિદેશના ભંડારો તપાસી જે ગ્રંથો પ્રાપ્ત થાય તે મેળવી પ્રતો કરાવી – નકલો કરાવીને જૈનસંઘના એ ખોવાયેલા શ્રુતજ્ઞાનને પાછું મેળવી શકાય. “આજના જ્ઞાનખાતાઓ જ્ઞાનદૃષ્ટિને બદલે માત્ર ચાતુર્માસ પધારેલા સાધુને જ્ઞાનના કાર્ય માટે ના ન પડાય માટે, સામાન્ય રીતે, જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરે તેવું બને છે; પણ ઉપર્યુક્ત દૃષ્ટિ આવી જાય અને તે માટે ભાવિક ધર્મપ્રેમીઓ અને સંઘો જો ઉદાર બને તો શ્રી જૈનશાસનની એવી અજોડ વ્યવસ્થા છે કે કોઈપણ ક્ષેત્ર સીદાય નહીં, તેમ જ્ઞાનક્ષેત્ર પણ સીદાય નહિ. “ભારતભરના સંઘોમાંથી ૨૫-૫૦ મુખ્ય સંઘો પણ એવા નીકળે કે ૨૦-૨૫ ટકા જ્ઞાનદ્રવ્ય આ ખોવાયેલા શ્રુતજ્ઞાન મેળવવા પાછળ ખર્ચે તો જૈન શ્રુતભંડાર વધુ સમૃદ્ધ બન્યા વિના રહેશે નહિ. પછી આ કાર્ય માટે રસ ધરાવનારા મહાત્માઓ-આદિનો સંપર્ક સધાતાં અણધારી સફળતા મળ્યા વિના રહેશે નહિ. શ્રીસંઘમાં સુખી ધર્મપ્રેમીઓ વિદ્યમાન હોય અને શ્રીસંઘનાં જ્ઞાનખાતાં પણ સધ્ધર હોય, છતાં શ્રી જૈનશાસનના પ્રાણસ્વરૂપ શ્રુતજ્ઞાન જ્યાં-ત્યાં પડ્યું હોય, જેમ-તેમ પડ્યું હોય, નાશ પામતું હોય, તો તે ઘણું દોષરૂપ ગણાય. એથી જ આ દિશામાં શ્રુતજ્ઞાનપ્રેમી સંઘો, કાર્યકર્તાઓ અને સંઘોના ટ્રસ્ટીઓ જાગૃત બની પોતાની શ્રુતભક્તિને જાગૃત કરીને ખોવાયેલા શ્રુતજ્ઞાનને પાછું મેળવવા પ્રયત્નશીલ બને એ જ શુભ અભિલાષા.’ ‘શ્રી મહાવીરશાસને' પોતાની વાત સ્પષ્ટ રૂપમાં કહી છે; સાથેસાથે, શરમાશરમીથી જ્ઞાનદ્રવ્યનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે એ અંગે પણ ધ્યાનપાત્ર ટકોર કરી છે. છેવટે જ્ઞાનદ્રવ્યનો શ્રુતજ્ઞાનના રક્ષણ અને ઉદ્ધાર માટે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવાની માગણી કરી છે. આ દિશામાં આપણો સંઘ વધારેમાં વધારે ધ્યાન આપે. (તા. ૨-૧૦-૧૯૭૬ ) (૨) જૈન સાહિત્યનો ઉદ્ધાર આ ઘડીનો તગાદો સરિતાનાં પાણી અને સંતોની વાણી ઉપર સૌ કોઈનો સરખો અધિકાર ગણાય છે; એના ઉ૫૨ કોઈનો વિશેષ હક્ક કે ઇજારો હોતો નથી. એને બંધિયાર બનાવવા જતાં એનો વિકાસ અટકી જાય છે અને એનું હીર હણાવા લાગે છે. જો સંતો અને જીવનસાધકો પોતે જ વિશ્વની મૂડી હોય અને એનો લાભ લેવાનો માનવમાત્રનો અધિકાર હોય, તો એમની સાધનાના નિચોડરૂપ એમની અનુભવવાણીના અમૃતનું આચમન કરવાનો અધિકાર અમુકને જ હોય એવું બને ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy