SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ જિનમાર્ગનું અનુશીલન એને પ્રકાશિત કરી દેવા. ભૂતકાળમાં અને કેટલાક પ્રમાણમાં અત્યારે પણ) આ રીતે પ્રાચીન ગ્રંથોને છપાવી દેવાથી એમાં સારા પ્રમાણમાં અશુદ્ધિઓ રહી જવા પામી છે. આમ ન બને અને પ્રાચીન ગ્રંથો વધારેમાં વધારે શુદ્ધ રૂપમાં જળવાય એ માટે પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ અને ઉપયોગ કરીને જ આવા ગ્રંથો છપાવવામાં આવે એ જરૂરી છે. એ રાજી થવા જેવી બીના છે કે આપણે ત્યાં આ રીતની પદ્ધતિથી સંશોધિત કરીને શુદ્ધ રૂપમાં પ્રાચીન પુસ્તકો છપાવવાનું કામ પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે, અને અત્યારે થઈ રહ્યું છે. આ પ્રકારની પદ્ધતિથી છપાયેલા ગ્રંથોનો એક પ્રકારનો જીર્ણોદ્ધાર જ થઈ જાય છે. એટલે આ પદ્ધતિ જેટલી વધુ અપનાવવામાં આવે, એટલી આપણી જ્ઞાનભક્તિ અને એ નિમિત્તે કરવામાં આવેલ ખર્ચ ઊગી નીકળે. ખરી રીતે તો, બધા ય પ્રાચીન ગ્રંથના મુદ્રણ-પ્રકાશન માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે, તો થોડા જ વર્ષોમાં આપણા બધા નહીં, તો મોટા ભાગના પ્રાચીન ગ્રંથો શુદ્ધ રૂપમાં આપણને મળી શકે અને સુરક્ષિત બની શકે. લાખાબાવળથી પ્રગટ થતા “શ્રી મહાવીરશાસન' માસિકના તા. ૧-૬-૧૯૭૬ના અંકના “ખોવાયેલ શ્રુતજ્ઞાનને પાછું મેળવવા પ્રયત્નની જરૂરિયાત' નામે મુખ્ય લેખમાં આ અંગે પ્રગટ કરવામાં આવેલા વિચારો ઉપયોગી અને જાણવા જેવા હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ : શ્રી તીર્થંકર-દેવોની શિષ્યપરંપરામાં ઊતરતું જ્ઞાન ધીમે-ધીમે ઘટતું જાય છે. કિંઠસ્થ ન રહેતાં હાથથી લખાતું ગયું અને પછી છપાતું ગયું છે. આમાં વિષમ કાળ અને અલ્પ સાધનને લીધે તથા સુરક્ષાના અભાવે ઠેર-ઠેર પડેલું લિખિત શ્રુતજ્ઞાન ઘણું નાશ પામી ગયું છે, ઘણું જ્યાં-ત્યાં ચાલ્યું ગયું છે; પરદેશમાં પણ ચાલ્યું ગયું છે. જર્મની અને બીજા પણ વિદેશોમાં એવા પુષ્કળ હસ્તલિખિત ગ્રંથો પડ્યા છે. ભારતમાં પણ શ્રી જૈનસંઘો સિવાયના ભંડારોમાં પણ પુષ્કળ જૈન ગ્રંથો પડ્યા છે. જૈન ભંડારોમાં પણ જોયા, મેળવ્યા અને સંશોધ્યા વિનાના પુષ્કળ ગ્રંથો પડ્યા છે. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલ વાચકવર શ્રીમાન યશોવિજયજી મ.ના પણ પુષ્કળ ગ્રંથો અલભ્ય બની ગયા છે, તો પછી તે પૂર્વના શાસ્ત્રજ્ઞ મહાત્માઓએ નિર્માણ કરેલા ગ્રંથોની ક્યાં વાત કરવી? છતાં આજે એ દિશામાં પ્રયત્ન થાય તો વિષમ કાળમાં પણ ઘણું-ઘણું કરી શકાય તેમ છે; અને તેમ કરતાં જે ગ્રંથરત્નો પ્રાપ્ત થશે તેની પ્રાપ્તિનો આનંદ પણ અનહદ રહેશે જ. “શ્રી દ્વાદશાર નયચક્ર'ની પૂજ્યવર મહો. શ્રી યશોવિજયજી મહારાજાએ સંશોધિત કરેલી પ્રત મુનિવરશ્રીને મળતાં, તે ગ્રંથની કિંમત જાણનાર એ વૃદ્ધ મુનિવર પણ, જેમ રજોહરણ લઈને નવદીક્ષિત નાચે, તેમ ગ્રંથને માથે મૂકીને નાચી ઊઠ્યા હતા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy