SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૧ ૩૬૭ આગમસૂત્રોને પુસ્તકરૂપે લખાવવાની પ્રણાલિકા શરૂ કરી. શ્રી દેવર્કિંગણીનું આ યુગકાર્ય, જૈનસંસ્કૃતિને માટે, યુગો સુધી મહાન ઉપકાર કરનારું બની રહ્યું છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. પછી તો વિવિધ વિષયનું જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાતું ગયું અને પુસ્તકરૂપે લખાતું રહ્યું. એ બધાનું સમુચિત રક્ષણ કરવાનું કામ આપણા જ્ઞાનભંડારોએ કર્યું. પુસ્તકોની રચના કરવી, પુસ્તકો લખાવવાં અને એમાં સહાયક થવું – એમ વિવિધ પ્રકારે જ્ઞાનની સાધના અને ભક્તિ કરવાનો જે મહિમા જૈન સંસ્કૃતિએ વર્ણવ્યો છે, એનું જ આ સુપરિણામ છે; અને આજે પણ આ મહિમા જૈનસંઘમાં સચવાઈ રહ્યો છે એ ગૌરવ લેવા જેવી વાત છે. આથી જૈનસંઘ ઉપરાંત અન્ય સમાજોને પણ સારા પ્રમાણમાં લાભ મળતો રહે છે એ દેખીતું છે. (૨) ઇતર સમાજને મળેલા આ લાભનો ખ્યાલ જૈન જ્ઞાનભંડારોનું અવલોકન કરવાથી તરત જ આવી શકે છે, કેમ કે જૈનસંઘ-હસ્તક હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં જૈન સાહિત્યના ગ્રંથોની જેમ જ અન્ય ધર્મોના ધર્મગ્રંથો તેમ જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, છંદ, અલંકાર, મંત્રતંત્ર, જ્યોતિષુ, વૈધક જેવી સાર્વજનિક વિદ્યાઓનાં જુદીજુદી ભાષાઓમાં રચાયેલાં નાનાં-મોટાં પુસ્તકો પણ હજારોની સંખ્યામાં સચવાયેલાં છે. આવા ગ્રંથોમાં અન્ય ધર્મના કે બીજા વિષયના થોડાક ગ્રંથો એવા પણ છે કે જેની એકમાત્ર નકલ જૈનસંઘ-હસ્તક કોઈક જ્ઞાનભંડારમાંથી જ મળી છે. વળી, નિર્ભેળ જ્ઞાનસાધનાની ભાવનાથી પ્રેરાઈને જેમ વિદ્યાસાધક જૈન શ્રમણોએ લોકોપયોગી સાર્વજનિક વિદ્યાનાં પુસ્તકોનું સર્જન કર્યું છે, તેમ ચારેક-ક્યારેક અન્ય ધર્મના ગ્રંથો ઉપર પણ વિવેચન કર્યું છે. જૈનસંઘમાં છેક પ્રાચીન સમયથી પોષાયેલી જ્ઞાનોપાસનાની આવી વ્યાપક ભાવના અન્યત્ર જવલ્લે જ જોવા મળે છે. (૩) જૈન જ્ઞાનભંડારોની ત્રીજી વિશેષતા છે એમાંથી મળી આવતી ચિત્રસામગ્રી. આ ચિત્રસામગ્રી જેટલી વૈવિધ્યવાળી છે, એટલી જ વિપુલ છે. એને લીધે જૈન જ્ઞાનભંડારોની દેશ-વિદેશમાં ખૂબ ખ્યાતિ થયેલી છે; અને કળાના અભ્યાસીઓ અને ચાહકો એના તરફ ખૂબ આકર્ષાયા છે. જૈનસંઘની જ્ઞાનભક્તિ આજે પણ એવી વ્યાપક છે એની ખાતરી દર વરસે પ્રગટ થતાં પુસ્તકો, સ્થપાતાં પુસ્તકાલયો કે જ્ઞાનભંડારો અને સંઘના ખર્ચે ચાલતી પાઠશાળાઓ તથા જ્ઞાનશાળાઓ ઉપરથી પણ થાય છે. વળી, દેશના વ્યાવહારિક શિક્ષણ માટે પણ જૈનસંઘ પૂરેપરી ઉદારતાથી ફાળો આપે છે તે સુવિદિત છે. આમ છતાં, આપણાં પવિત્ર આગમસૂત્રો તથા જૈન સાહિત્યના અન્ય ગ્રંથોના પ્રકાશનની દિશામાં હજી આપણે ઘણું-ઘણું કરવાનું બાકી છે તે આપણે સ્વીકારવું જોઈએ. આનો અર્થ એવો નહીં સમજવો કે પ્રાચીન ગ્રંથો જેવા મળે તેવા જ રૂપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy