SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ જિનમાર્ગનું અનુશીલન પરિસ્થિતિ બહુ ઉત્સાપ્રેરક જણાતી નથી; જ્યારે બીજી બાજુ આપણાં જ્ઞાન અને કળાનો ખજાનો એવો તો વિપુલ, વિવિધવિષયસ્પર્શી અને સમૃદ્ધ છે, કે ભલભલા જ્ઞાનપિપાસુઓ અને કળાપ્રેમીઓનાં દિલ ડોલાવી મૂકે. આ બધું આપણું અમૂલ્ય સાંસ્કૃતિક ઝવેરાત વિશ્વ સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરવા માટે પહેલાં તો આપણે પોતે એના પારખુ બનવું પડે. આનો એકમાત્ર માર્ગ અનેક વિષયોનો ઊંડો અભ્યાસ કરવો એ જ છે. આવા અભ્યાસમાં આપણા ગુરુઓ આગળ વધવા માગતા હોય તો એ અધ્યયન-અધ્યાપનની પુરાણી રીતથી બનવું મુશ્કેલ છે. એ માટે આધુનિક સાધનો, પદ્ધતિઓ અપનાવવા જોઈએ; અને થોડાંક વિદ્યાકેન્દ્રો પણ ઊભાં કરવાં જોઈએ. પંજાબના કેટલાક ભાવનાશીલ, દીર્ઘદર્શી અને વિદ્યાપ્રેમી જૈન સગૃહસ્થોના દાન અને પ્રયત્નથી સને ૧૯૩૭માં બનારસમાં સ્થપાયેલ “શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ” જેનવિદ્યાના અધ્યયન માટેનું આધુનિક સગવડો અને આધુનિક અધ્યયન-પદ્ધતિ ધરાવતું આવું જ એક કેન્દ્ર છે, અને જૈન મુનિઓ પણ ત્યાં રહીને ઉચ્ચ અધ્યયન કરી શકે એવી આવકારપાત્ર જોગવાઈ કરવાની એની ભાવના છે. આ અંગે સંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે : વારાણસી વિદ્યાધામ છે. અહીંયાં પ્રાચીન વખતથી લઈને તે આજ સુધી શિક્ષણની અખંડ પરંપરા છે. હિંદુ વિશ્વવિદ્યાલયમાં ભારતીય વિદ્યાઓના અધ્યાપનની ખાસ વ્યવસ્થા થવાને કારણે આજે પરદેશોમાંથી પણ સારી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ અહીં આવે છે. બૌદ્ધ ભિક્ષુઓ અને વૈદિક સંન્યાસીઓ પણ પૂરતી સંખ્યામાં વિશ્વવિદ્યાલયનાં સાધનોનો લાભ ઉઠાવે છે. તેઓને અહીંયાં ભારતીય અને બિનભારતીય પરંપરાઓની બધી વિચારધારાઓનું અધ્યયન કરવાનો સુઅવસર સહેજમાં મળી રહે છે. આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં અમને ઘણી વાર વિચાર આવે છે કે આવી સગવડોનો લાભ જૈન સાધુ-સાધ્વીજીઓને શું ન મળી શકે? શું કોઈ એવી વ્યવસ્થા ન થઈ શકે કે જે દ્વારા જેન સાધુ-સાધ્વીજીઓ વારાણસીમાં સ્થિર થઈ જૈન વિદ્યા અને બીજી વિદ્યાઓનો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી શકે ? “પાર્શ્વનાથ વિદ્યાશ્રમ દેશની પ્રથમ જૈન સંસ્થા છે, જે સને ૧૯૩૭થી શિક્ષણાર્થીઓને જૈન વિદ્યાના ઉચ્ચતમ શિક્ષણની સગવડ આપતું આવ્યું છે. આજે તેની સ્થાપના થયાને ૨૮ વર્ષ થઈ ગયાં છે. હવે તો તે જૈનવિદ્યાનું, જૈન શિક્ષણનું ઉચ્ચતમ સર્વસાધનસંપન કેન્દ્ર બનેલ છે. અહીંયાં રહીને અનેક વિદ્વાનોએ વિશ્વવિદ્યાલયની ઊંચામાં ઊંચી પદવી પ્રાપ્ત કરેલી છે. અત્યારે પણ પાંચ વિદ્યાર્થીઓ વિવિધ જૈન વિષયો ઉપર સંશોધન કરી રહ્યા છે. વિદ્યાશ્રમની પાસે પૂરતી જમીન, વિશાળ પુસ્તકાલય, યોગ્ય શિક્ષિત વિદ્વાનો વગેરે અન્ય પ્રકારની ઘણી સગવડો છે. કોઈ પણ જૈન મુનિ અહીંયાં રહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy