SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૧૨, ૧૩ ૩૬૩ અમને આશા છે કે સારા ગ્રંથો મેળવવા માટે મોટાં ઇનામોની યોજના હાથ ધરવાનું સત્કાર્ય કરનાર ભાવનગરની ‘જૈન આત્માનંદ સભા’-હસ્તક જૈન સસ્તું સાહિત્ય પ્રકાશન-વિભાગ' જેવી સંસ્થા કે એવી બીજી કોઈ સંસ્થા આ કાર્યને હાથ ધરવાનો વિચાર કરશે. જે સંસ્થા આ કાર્ય હાથ ધરશે તે જરૂર પોતાના નામને દીપાવવાની સાથે જૈન સાહિત્યની એક બહુમૂલી સેવાના યશની ભાગીદાર બનશે. આવું કાર્ય હાથ ધરવાનો વિચાર થશે તો એને યોગ્ય રીતે પાર પાડી શકે એવા વિદ્વાન્ અવશ્ય મળી આવશે એ કહેવાની જરૂર ન હોય. (૧૩) ‘વિધાશ્રમ’ને પરિપૂર્ણ બનાવીએ જૈનસંઘે જ્ઞાનની પૂજા અને જ્ઞાનની સાચવણી માટે જેટલો ઉત્સાહ અને ૨સ દાખવ્યો છે, એટલો પ્રત્યક્ષ જ્ઞાનોપાસના કે જ્ઞાનોપાર્જનમાં ભાગ્યે જ દાખવ્યો છે. જૈન શાસ્ત્રોનાં અધ્યયન, સર્જન, રક્ષણની મોટા ભાગની જવાબદારી આપણે આપણા ગુરુવર્ગ ઉ૫૨ જ મૂકી દીધી છે; જૈન સાહિત્યના ઇતિહાસનો એકંદર ધ્વનિ જોતાં આ જવાબદારી આપણા ગુરુઓએ સારી રીતે અદા પણ કરી છે એમ કહેવું જોઈએ. સૈકેસૈકે જનતાએ જેવી જ્ઞાનસુધા અનુભવી તેને અનુરૂપ વિવિધ વિષયના સાહિત્યનું સર્જન એ જૈન શ્રમણોની એક નોંધપાત્ર સેવા અને વિશેષતા રહી છે. (તા. ૧૭-૨-૧૯૫૧) ભારતમાંના અંગ્રેજોના અમલ દરમિયાન દેશને એક લાભ તો અવશ્ય થયો કે વિદ્યાભ્યાસ અને સાહિત્યસર્જનના સીમાડા ઘણા વિસ્તૃત બની ગયા. હિંદુ-ધર્મનાં જે શાસ્ત્રોનું અધ્યયન બ્રાહ્મણવર્ગ પૂરતું જ મર્યાદિત હતું, તે વિશ્વમાનવ માટે ઉઘાડું થઈ ગયું. જૈનવિદ્યાની વિવિધ શાખાઓનું અધ્યયન અને સર્જન પણ સાધુસમુદાય પૂરતું જ મોટા ભાગે મર્યાદિત હતું, તે ગૃહસ્થો તેમ જ જૈનેતર જિજ્ઞાસુઓ માટે પણ મોકળું બની ગયું. આને પરિણામે દેશ-વિદેશમાં વ્યાપકપણે જૈનધર્મ અને સાહિત્ય પ્રત્યેની રુચિ અને જિજ્ઞાસામાં ઘણો વધારો થઈ ગયો. આ પરિસ્થિતિ ધર્મ અને સંઘની સાચી પ્રભાવનાની દૃષ્ટિએ અત્યંત આવકારપાત્ર ગણાય. પણ આવી ઉત્તમ તકનો પૂરેપૂરો લાભ આપણે ત્યારે જ લઈ શકીએ કે જ્યારે આપણો ગુરુવર્ગ, આપણા પૂર્વાચાર્યો અને પુરોગામી મુનિવરોની જેમ, જનસમુદાયની અત્યારની જિજ્ઞાસાને સંતોષીને, વૃદ્ધિંગત કરી શકે એ રીતે પોતાના જ્ઞાનને સુસમૃદ્ધ કરવા પ્રયત્નશીલ બને. આપણા ગુરુઓ અને ગુરુણીઓના વિશાળ સમુદાયમાં આવું વ્યાપક, તલસ્પર્શી અને સમયાનુરૂપ અધ્યયન કરનારા કેટલા – એનો વિચાર કરતાં Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy