SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૧૨ ૩૬૧ (૧૨) આધુનિક જાગતિક જૈન-વિધાધ્યયન સર્વગ્રાહી ચિત્રણની તાતી જરૂર અહિંસાપ્રધાન, પ્રાચીન અને ગૌરવવન્તી સંસ્કૃતિ તરીકે જૈન સંસ્કૃતિએ અનેક અભ્યાસીઓ, વિદ્વાનો અને તત્ત્વચિંતકોનું ધ્યાન, ઘણા લાંબા સમયથી આકર્ષે છે. પશ્ચિમના વિદ્વાનોને જ્યારથી વિશેષ પ્રમાણમાં ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષણ જાગ્યું, તેની શરૂઆતનાં કેટલાંક વર્ષો લગી, એમાંના કેટલાક વિદ્વાનો જૈન ધર્મ કે જૈન સંસ્કૃતિને બૌદ્ધ ધર્મ કે બૌદ્ધ સંસ્કૃતિની શાખા માનવા દોરવાઈ ગયા હતા એ જાણીતી બીના છે. વળી પોતાના જ દેશની સંસ્કૃતિને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જાણવા-સમજવાનું ભૂલીને અને માત્ર પશ્ચિમના વિદ્વાનોનાં ભૂલભરેલાં વિધાનોનું અનુકરણ કરીને, આપણા થોડાક ભારતીય વિદ્વાનો પણ એવા ભ્રમમાં હતા. પણ પછી તો મુખ્યત્વે પશ્ચિમના વિદ્વાનોના જ જૈનધર્મ-વિષયક વિશેષ અધ્યયન અને અવલોકને એ સાબિત કર્યું કે એમની પોતાની કે એમના પુરોગામી પંડિતોએ ઊભી કરેલી એ માન્યતા નિરાધાર છે. પરિણામે, આ ભ્રમણામાં ફસાયેલા આપણા ભારતીય વિદ્વાનો પણ જૈનધર્મને સ્વતંત્ર ધર્મ તરીકે ઓળખતા થયા. આમ ભ્રમભરેલી માન્યતાનાં થોડાંક વર્ષોનો આ કાળ બાદ કરતાં, જૈન ધર્મ અને સંસ્કૃતિની સ્વતંત્ર દ્વારા જ માન્ય છે. પછી તો એના અભ્યાસ પ્રત્યે વિદ્વાનોનું આકર્ષણ વધતું ગયું છે. જૈનધર્મ પ્રત્યે જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આકર્ષાવાનું મુખ્ય કારણ જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની ભાવનાને સાતત્યથી સાચવી રાખનાર જૈન સાહિત્ય છે. જૈન સાહિત્યમાં સર્વજ્ઞપ્રણીત આત્મજ્ઞાન કે તત્ત્વજ્ઞાનને લગતા મૌલિક આગમગ્રંથોથી માંડીને શૃંગાર સહિત જુદાજુદા રસો, વૈદ્યક-જ્યોતિષ સહિત જુદીજુદી વિદ્યાઓ, ઇતિહાસ ખગોળ કે ભૂગોળ જેવા વિષયો અને લોકભોગ્ય સરળ સ્તવનો, કાવ્યો, રાસો સુધ્ધાંનો સમાવેશ થઈ જાય છે. આવી બહુમુખતાને લઈને જુદા-જુદા વિષયના જિજ્ઞાસુઓને એના પ્રત્યે આદર જાગે એ સ્વાભાવિક છે. જૈનેતર વિદ્વાનોએ તટસ્થવૃત્તિથી કરેલા જૈન સાહિત્યનાં અધ્યયન, અધ્યાપન કે અવલોકનનો વિચાર કરતાં તેમાં દેશ બહારના વિદ્વાનોનો ફાળો પ્રમાણમાં વધુ નોંધાયો હોય એમ લાગે છે. આ પરદેશના વિદ્વાનોમાં ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, ઈટલી, નોર્વે, સ્વીડન જેવા યુરોપના પંડિતોનો તેમ જ અમેરિકા સુધ્ધાના વિદ્વાનોનો સમાવેશ થાય છે. છેલ્લાં સો-એક વર્ષના ગાળામાં યુરોપ અને અમેરિકામાં થઈ ગયેલ તેમ જ અત્યારે હયાત એવા, જૈન સાહિત્ય પ્રત્યે આદર ધરાવનાર વિદ્વાનોની સંખ્યા ૧૦૦થી પણ વધુ થઈ જાય એટલી છે; આ સંખ્યા નાનીસૂની ન ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy