SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ જિનમાર્ગનું અનુશીલન સંખ્યાબંધ ગ્રંથોને પહેલવહેલાં મુદ્રિત કરવાનું માન પણ પરદેશના વિદ્વાનોએ જ પ્રાપ્ત કર્યું છે. - આ બધાનો સાર એ છે કે “વીસમોથા વસુંધરા' (ધરતીને વીર જ ભોગવી જાણે)ની જેમ વિદ્યાને માટે પણ એમ જ કહેવું જોઈએ કે “ભણે તેની વિદ્યા”. આ ઉપરથી આપણા સંઘે અને ખાસ કરીને આપણા સાધુ-સમુદાયે તેમ જ વિદ્વાનોએ એ બોધપાઠ લેવાનો છે, કે આપણે ત્યાં જે કોઈ વ્યક્તિ અભ્યાસ કરવા આવે એને ઉમળકાથી આવકારવી જોઈએ, અને આપણે પણ જેનવિદ્યાના તેમ જ ભારતીય વિદ્યાના ઊંડા અને વ્યાપક અધ્યયન-સંશોધનમાં લાગી જવું જોઈએ. છેવટે તો આવી જ્ઞાનોપાસના જ આપણા સંઘ અને સમાજને વિશેષ પ્રભાવશાળી બનાવી શકશે; “જેની બુદ્ધિ એનું બળ' (વૃદ્ધર્યસ્થ વત્ત તથ) – એ કહેવતનો આ જ સાર છે. (તા. ૩-૨-૧૯૬૮) (૧૧) ભારતીય વિદ્યા માટે અનુકરણીય સખાવત ભારતીય વિદ્યાઓની વિવિધ શાખાઓના મર્મજ્ઞ જર્મન વિદ્વાન ડૉ. ગ્લાઝના ૭૨ વર્ષની ઉમરે, જર્મનીમાં મોટર-અકસ્માતમાં ગુજરી ગયા એ વાતને ત્રણ મહિના થયા. તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા, અને જિંદગીના અંત સુધી વિદ્યાની ઉપાસના કરતા રહ્યા હતા. હવે જાણવા મળે છે, કે તેઓ પોતાની પાછળ ૧,૮૦,૦૦૦ રૂપિયા જેટલી જે મિલકત મૂકતા ગયા છે, તેનો ઉપયોગ, એમની પોતાની ઇચ્છા મુજબ, ભારતીય વિદ્યાના અભ્યાસને ઉત્તેજન આપવા કરવામાં આવનાર છે. આ હેતુને પાર પાડવા આ રકમ જર્મનીની “ધી જર્મન ઓરિયેન્ટલ સોસાયટીને સોંપવામાં આવી છે, અને આ કાર્ય માટે એક ફાઉન્ડેશન(અભ્યાસપીઠ)ની સ્થાપના કરવામાં આવનાર છે. ડૉ. ગ્લાઝેનાની ઊંડી વિદ્યાતપસ્યા તો સૌને મુગ્ધ બનાવે અને સૌનાં શિર ઝુકાવે એવી હતી જ; એમની આ ઉદાર સખાવતે એના ઉપર સુવર્ણકળશ ચડાવી દીધો છે ! તેઓ ભારતીય વિદ્યાની સેવા કરવા માટે જ જીવ્યા, અને પોતાનું સર્વસ્વ ભારતીય વિદ્યાને ચરણે મૂકીને કૃતકૃત્ય થયા ! (તા. ૨૮-૯-૧૯૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy