SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૧૦ ૩૫૯ આ યુનિવર્સિટીમાં અમે સંસ્કૃતની ઓનર્સની ડિગ્રીનો અભ્યાસ કરાવીએ છીએ, અને એના ખાસ અંગરૂપે દર્શનને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત, ભારતીય દર્શનો'નો વિષય સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા પછીથી તે છેક પીએચ.ડી.ની પદવી સુધી રાખવામાં આવેલ છે. આ રીતે આ કામને માટે અમારે, વિદ્યાર્થીઓને સંસ્કૃત તર્કશાસ્ત્ર-દર્શનશાસ્ત્રના મૂળ ગ્રંથોને સમજાવી શકે એવા તેમ જ વ્યાપક રીતે ભારતીય તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર સારી રીતે ભણાવી શકે એવા વિદ્વાનોના જૂથની જરૂર છે. સાથેસાથે ભારતીય દર્શનોની આ તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રની શાખાને વધારે જાણીતી કરવા તેમ જ એની સમજૂતીને વ્યાપક બનાવવા માટે પણ અમે સંશોધનકાર્ય હાથ ધરવાના છીએ. ટૉરોન્ટોને માટે આ કાર્યક્રમ બિલકુલ નવો છે. પણ જો અમે યોગ્ય વિદ્વાનો મેળવી શકીએ, તો હું માનું છું કે એનું ભાવિ ઉજ્જવળ છે. આ વિષય ઘણો અગત્યનો હોવા છતાં, આ દિશામાં ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પ્રયત્ન કરી રહેલ છે. તેથી આ કાર્યક્રમ અમારે ત્યાં આગળ વધે એ માટે હું ખૂબ ઉત્સુક છું.” આ પછી તા. ૧૬-૧૧-૧૯૬ ૭ના પત્રમાં પ્રો. વાર્ડર લખે છે : “દિનાગ અને ધર્મકીર્તિ(બૌદ્ધ વિદ્વાનો)ના પ્રમાણવાદ અંગે મારે સ્નાતકો માટે એક જ્ઞાનસત્ર યોજવાનું છે, અને એમાં પીએચ ડી ના ત્રણ વિદ્યાર્થીઓ અને એક પ્રાધ્યાપક પણ જોડાવાના છે. અને આને લગતા ધર્મકીર્તિ અને ધર્મનીતિ પછીના તબક્કાનું અધ્યાપન મારે અમારા બીજા સત્રમાં (જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન) કરાવવાનું છે, અને એમાં મારે તમારી સહાયની ખૂબ જરૂર છે.” ડૉ. વાર્ડરના આ પત્રથી આપણને સહેજે ખ્યાલ આવી જવો જોઈએ કે પરદેશમાં ભારતીય દર્શનોના અભ્યાસ અંગે કેવી અભિરુચિ પ્રવર્તે છે અને એ ક્ષેત્રમાં કામ કરતા વિદ્વાનો કેવી ઝીણવટ, ખંત અને ધીરજથી પોતાની વિદ્યા-ઉપાસનામાં અને સંશોધનપ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહે છે. આમ, પંડિત શ્રી દલસુખભાઈ કેનેડાની ટૉરોન્ટો યુનિવર્સિટીમાં અત્યારે બૌદ્ધદર્શનના ગ્રંથોનું અધ્યાપન કરી રહ્યા છે. આ વિભાગમાં બીજા પણ ભારતીય વિદ્વાનો કામ કરી રહ્યા છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પરદેશના વિદ્વાનો ભારતની વિદ્યાનું મર્મસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયન-સંશોધન કરવાનો કેટલો ખંતપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે; અને એ દેશના લોકો એ માટે ખર્ચ પણ કેટલું બધું કરે છે ! - પરદેશના વિદ્વાનો ભારતીય વિદ્યાની જુદીજુદી શાખાના અધિકૃત વિદ્વાનો બનવા જે પ્રયત્નો કરી રહ્યા છે, તે પરંપરા કંઈ આજકાલની નથી; ઓછામાં ઓછા એક સૈકા જેટલી જૂની તો એ છે જ. અને એના પ્રતાપે આપણા તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy