SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮', જિનમાર્ગનું અનુશીલન વળી, બૌદ્ધિક શક્તિ અને હૃદયશક્તિ) એ માનવજીવનને ઇતર પ્રાણીજગતથી જુદું પાડતું અને વિશિષ્ટતા આપતું ભેદક તત્ત્વ છે, એટલે બુદ્ધિના વિકાસમાં જ માનવીની પશુતાનો હાસ અને માનવતાનો વિકાસ રહેલો છે. અને એક વાર બુદ્ધિની પ્રભા વિસ્તરવા લાગી, પછી તો એમાં જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જ રહેવાની; અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે માનવીની વિદ્યાસાધનાની ઝંખના પણ વધારે તીવ્ર બનવાની. આ જિજ્ઞાસા અને આવી ઝંખના એ તો વ્યક્તિ અને સમાજ બંનેના ભલાની દૃષ્ટિએ ખૂબ આવકારપાત્ર બાબત છે, અને એથી એને સંતોષવાની અને પ્રોત્સાહન આપતા રહેવાની જરૂર છે. ખરેખર તો, જ્યારે જિજ્ઞાસા અને વિદ્યાઝંખના જાગી ઊઠી છે, ત્યારે આપણા હાથમાં ફક્ત એટલી જ વાત છે કે એને આપણે નહેરના પાણીની જેમ યોગ્ય દિશામાં વાળીને એમાંથી સારાં ફળ નિપજાવવાં છે કે એને વરસાદનાં પાણીની જેમ ગમે ત્યાં વહી જવા દેવાં? - વિશ્વની અન્ય સંસ્કૃતિ અને વિદ્યાની જેમ ભારતીય સંસ્કૃતિ તથા વિદ્યા તરફ પણ વિશ્વભરના જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને વિદ્વાનોનું ધ્યાન ઘણા દાયકાઓ પહેલાં ગયું છે, અને એ અધ્યયનરુચિ હમણાં-હમણાં વધારે પ્રબળ પણ બની છે. પરદેશના કેટલા બધા અભ્યાસીઓ આપણા દેશમાં આવવા લાગ્યા છે! એ જ રીતે આપણા દેશના કેટલા બધા વિદ્વાનો પરદેશનાં વિદ્યાધામોમાં જવા લાગ્યા છે ! આ પરિસ્થિતિનો આપણે વિશેષ લાભ પ્રાપ્ત કરવો હોય તો એને વ્યવસ્થિત બનાવવાની ખાસ જરૂર છે; પરદેશમાં આ બાબત તરફ વિશેષ ધ્યાન અપાઈ પણ રહ્યું છે : દાખલા તરીકે – એક મહિના પહેલાં જ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ભારતીય દર્શનોના અધ્યાપન માટે કેનેડાની ટૉરોન્ટો યુનિવર્સિટીના આમંત્રણથી ત્યાં ગયા. એમને આ કામ માટે કેનેડા આવવાનું આમંત્રણ આપતો જે પહેલો પત્ર ટોરોન્ટો યુનિવર્સિટીના “ઇસ્ટ એશિયન સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃતના પ્રાધ્યાપક ડો. વારે લખ્યો હતો, એમાં એમણે નિમંત્રણની ભૂમિકારૂપે લખ્યું હતું – બૌદ્ધદર્શનના પ્રમાણવાદ તેમ જ વિશ્વનું પૃથક્કરણ કરતાં ભારતીય દર્શનોની બીજી શાખાઓની સમજૂતી આપવામાં, તેમ જ એ ઉપર વિવેચન કરવામાં સમર્થ હોય એવા વિરલ વિદ્વાનોમાંના એક વિદ્વાન તરીકે હું તમને લાંબા સમયથી પિછાણું છું; તેથી જ તમને અહીં બોલાવવાનો વિચાર મને આવ્યો છે.” આમ નિમંત્રણના કારણનો નિર્દેશ કરીને પોતાને ત્યાં ચાલતા કામનો ખ્યાલ આપતાં તેઓ એ જ તા. ૯-૪-૧૯૬ ૭ના પત્રમાં લખે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy