SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૬ ૧૫ પણ નિર્ભેળ-ચિત્તશુદ્ધિલક્ષી ધર્મભાવના ઉપર સાંપ્રદાયિકતાનો પડછાયો પડવા લાગે છે, ત્યારે આત્મસાધનાનો આ પાયાનો હેતુ વીસરાવા લાગે છે, અને શુદ્ધિની પ્રક્રિયા શિથિલ બને એવી શોચનીય પરિસ્થિતિ સરજાય છે. પછી તો શ્રદ્ધા બુદ્ધિ, તર્ક કે દલીલરૂપ જ્ઞાનમય ભૂમિકાને સહર્ષ આવકારીને પોતે પરિપુષ્ટ, વિશુદ્ધ, સુદઢ બનવાને બદલે એનાથી શેહ ખાઈને કે ભયભીત બનીને વિકાસની પ્રતિગામી એવી અંધશ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે. શ્રદ્ધા પોતે જ જો જ્ઞાનથી ડર ખાવા લાગતી હોય, તો પછી જ્ઞાનની પ્રાપ્તિનો સમર્થ અને નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન થઈ જ કેવી રીતે શકે ? પરિણામે, જ્ઞાનની – જ્ઞાનના સાધનો અને જ્ઞાનીઓની - સેવા-ભક્તિ-પૂજા સારા પ્રમાણમાં કરાવા છતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની તાલાવેલી અને એ માટેનો પુરુષાર્થ શિથિલ બની જાય છે, અને અંધશ્રદ્ધા અને અજ્ઞાન હૃદયનો કબજો લઈ લે છે. પછી તો આ સાંપ્રદાયિકતા વધુ ને વધુ કટ્ટર બનીને માનવીને સત્યમય ધર્મમાર્ગથી દૂર ને દૂર ખેંચી જઈને એને હઠાગ્રહી કે કદાગ્રહી બનાવી મૂકે છે. આવી કટ્ટર સાંપ્રદાયિકતાનો શિકાર બનનાર વ્યક્તિ “સારું કે સાચું તે મારું એવા કલ્યાણમય, ગુણગ્રાહક, સત્યગામી ધર્મમાર્ગથી ચલિત થઈને મારું તે જ સાચું કે સારું અથવા હું કહું તે જ સાચું અને સારું એવી ક્લેશકર, સત્યવિમુખ, હઠાગ્રહી મનોવૃત્તિમાં એવી તો અટવાઈ જાય છે કે એને પછી સારાસાર, કાર્યાકાર્ય અને સત્યાસત્યનો કોઈ વિવેક જ રહેતો નથી. પછી તો એ પોતાના અણુ જેટલા અને સાવ એકાંગી જ્ઞાનને હિમાલય જેટલું વિશાળ અને સર્વાગી માની લઈને ગુમાની બની જાય છે! પરિણામે. એનું માનેલું જ્ઞાન અજ્ઞાન કરતાં પણ વિશેષ હાનિકારક બની જાય છે. જૈનધર્મમાં (અને બીજા ધર્મોમાં પણ) પંથ, સંપ્રદાય, ફિરકા કે ગચ્છના નામે જે સાઠમારી અને ક્લેશ-કલહની મનોવૃત્તિ પ્રવેશી ગઈ છે અને એકબીજાને ઉતારી પાડવાની ઘાતક પ્રવૃત્તિ જોવાય છે, એ મુખ્યત્વે પોતે માનેલા જ્ઞાનના ગુમાનનું – હકીકતે અજ્ઞાનના અંધકારનું - જ દુષ્પરિણામ છે. વિશેષ ચિંતા ઉપજાવે એવી સ્થિતિ તો એ છે, કે આપણા ગુરુવર્યો રખેને શ્રદ્ધાનો છોડ ઊખડી જાય, એ ભયે નિર્ભેળ જ્ઞાનસાધના કરતાં અને ઉદારતાપૂર્વક તે જ્ઞાનનું દાન કરતાં ખચાય છે, અને પોતાના અલ્પ-સ્વલ્પ જ્ઞાનનું ગુમાન ધરીને વિશ્વસત્યની વધુમાં વધુ નજીક પહોંચવાના પ્રયત્નમાં પાછળ રહી જાય છે ! એટલે ધર્મનું તેજ પ્રગટાવવું કે વિસ્તારવું હોય, અથવા તો પ્રવચનની પ્રભાવના કરવી હોય, કે સંઘને સબળ અને તેજસ્વી બનાવવો હોય – સાથે-સાથે સમાજ અને વ્યક્તિને પ્રગતિને માર્ગે દોરવાં હોય – તો અજ્ઞાનના અંધકારને અને જ્ઞાનના અહંકારને નાથવાનો સતત અને પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. સત્યગ્રાહક, ગુણગ્રાહક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy