SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ જિનમાર્ગનું અનુશીલન પણ ગુજરાતમાં જ રચાયેલ “બોધિચર્યાવતાર' અને “શિક્ષાસમુચ્ચય' જેવા બૌદ્ધ ગ્રન્થો, જે ભારતમાં અને વિદેશોમાં પણ પ્રતિષ્ઠિત થયા છે; એટલું જ નહીં, પણ જેમના અનુવાદો પણ તિબ્બતી આદિ ભાષામાં પણ થયા છે, તે વિષે “સાહિત્યદર્શનમાં ઉલ્લેખ પણ ન આવે તે ગુજરાતી પ્રજાના અજ્ઞાનમાં વધારો કરવાના પાપના ભાગી બનવા જેવું છે. આ “સાહિત્યદર્શનમાં બૌદ્ધ સાહિત્યને ફાળવવામાં આવેલ પાનાં તેના વિપુલ સાહિત્યને કોઈ પણ રીતે ન્યાય આપી શકે તેમ નથી.” જૈન કળા અને શિલ્પસ્થાપત્ય તથા પ્રદર્શનીય સામગ્રીના પરિચયને લગતા, થોડા વખતમાં પ્રકાશિત થનાર બે ગ્રંથોની માહિતી આપતાં કહેવામાં આવ્યું છે – ગુજરાત વિદ્યાપીઠમાં સમગ્ર ભારતવર્ષના કલા અને સ્થાપત્યના વિદ્વાનોને આમંત્રીને ગોષ્ઠી થઈ તેના ફળરૂપે ગુજરાત સરકાર તરફથી Aspects of Jaina Art And Architecture નામે એક બૃહદ્ ગ્રન્થ પ્રકાશિત થવામાં છે, તે સમગ્રભાવે ભારતીય કળામાં જૈનકળા-સ્થાપત્યનું મૂલ્યાંકન કરવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થશે એમાં શક નથી. ગુજરાત સરકારની જ સહાયતાથી લા.દ. વિદ્યામંદિરે એક સાહિત્યકલા-પ્રદર્શન યોજ્યું હતું. તેના અનુસંધાનમાં ગુજરાત સરકાર તરફથી બહુમૂલ્ય હસ્તપ્રતો આદિનું એક સૂચિપત્ર પણ પ્રકાશિત કરવાનું નક્કી થયું છે તે પણ અભિનંદનીય કાર્ય ગણાવું જોઈએ.” જૈનાચાર્યોએ રચેલ પુરાણ જેવા સાહિત્ય કે પ્રાચીન પ્રબંધાત્મક સાહિત્યને આધારે ગુજરાતનો ઇતિહાસ લખવામાં રહેલી મુશ્કેલી અને એના ઉકેલ અંગે તેઓએ કહેલું – જૈનાચાર્યોએ લખેલ પ્રબંધોને આધારે ગુજરાતનો ઈતિહાસ લખવામાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો અવસર ઇતિહાસના વિદ્વાનોને આવે જ. પરંતુ એમાંથી કેમ પાર ઊતરવું એની કળા હજી હસ્તગત કરવી બાકી છે એમ કહું તો ખોટું નથી. પુરાણ કે પ્રબંધમાંથી નિર્ભેળ સત્ય તારવવું અત્યંત કઠણ છે જ; પણ મધ્યસ્થ બુદ્ધિ હોય, તત્ત્વની સમજ હોય અને બહુશ્રુતપણું હોય તો સત્યને નહીં તો સત્યની નજીક પહોંચવામાં તો કશી મુશ્કેલી નડવી જોઈએ નહિ એમ મને લાગે છે. પુરાણ કે પ્રબંધનું બધું જ ખોટું એમ નહિ અને બધું જ યથાતથ એમ પણ નહિ; પરંતુ સત્ય તારવવાનો પ્રયત્ન કરનારને એક સાધન એ પણ છે એટલું તો સ્વીકારીને ચાલવું જ રહ્યું. એ સિવાયનાં આપણી પાસે એ કાળનાં અન્ય સાધનો બહુ વંચાં છે, તેથી એમાંથી સત્ય તારવવા સિવાય બીજો માર્ગ રહેતો નથી.” આ પ્રમાણે શ્રી દલસુખભાઈએ પોતાના ભાષણમાં, ઉપરની તેમ જ બીજી પણ કેટલીક માહિતી રજૂ કરી છે એ તો ખરું; પણ એમણે, “કડવું કહ્યા'નો દોષ વહોરીને પણ, ઉપરની તેમ જ બીજી પણ કેટલીક ટકોર કે ટીકા કરીને મોટી સેવા બજાવી છે. એ માટે એમને ધન્યવાદ ઘટે. એમનું આ બધું કથન બહેરે કાને ન અથડાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy