SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯ ૩૫૫ કહું છું, ત્યારે મારી માત્ર જૈનભક્તિ જ કારણ છે એમ ન માનવા વિનંતી કરું તો અસ્થાને નથી. આપ ભારતીય દર્શનોના અન્ય ગ્રન્થો સાથે આ ગ્રન્થોની તુલના કરો તો જ આપને મારી વાતનું સત્ય જણાશે. ભારતીય દર્શનોમાં વિવાદના જે અનેક પક્ષો છે, તેનું સર્વાગપૂર્ણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ રૂપે જે વિવેચન આ જૈન ગ્રન્થોમાં મળે છે, તેવું અન્યત્ર દુર્લભ છે. મારું તો ત્યાં સુધી કહેવાનું છે કે ભારતીય સમગ્ર દર્શનોના નિષ્ણાત થવું હોય તો ઉપર જણાવેલ ગ્રન્થો વાંચો; તેથી બહારનું નહિ વાંચ્યું હોય તો પણ ભારતીય દર્શનોની જરૂરી માહિતી તેમાંથી મળી જશે. આવા ઉત્તમ ગ્રન્થો ગુજરાતમાં લખાયા છતાં આપણે તેની ઉપેક્ષા કરી છે તે આપણું દુર્ભાગ્ય છે. સત્તરમી સદીના ઉપાધ્યાય યશોવિયે અમદાવાદથી બનારસ જઈને નવ્ય ન્યાયની વિદ્યા પ્રાપ્ત કરી. તે વિદ્યાનો ઉપયોગ સ્વતંત્ર ગ્રન્થો લખવામાં કર્યો અને પ્રાચીન ગ્રન્થો જેવા કે “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' અને “અષ્ટસહસીની નવ્યન્યાયનો આશ્રય લઈને ટીકા લખી તે ગ્રન્થોને અદ્યતન દાર્શનિક ગ્રન્થો બનાવી દીધા. આમ જૈન આચાર્યોએ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાનો સમાવેશ પોતાના ગ્રન્થોમાં કરી લેવા જે પ્રયત્ન કર્યો છે તે ગુજરાતને ગૌરવ અપાવે એવો છે. પરંતુ એ ગૌરવનાં ગીત ગાયે કશું જ વળે નહિ. એનો લાભ આપણી નવી પેઢીને મળે એ તરફ લક્ષ આપવાની જરૂર છે. આ અવસરે ભારતીય દર્શનો પૈકી હમણાં પ્રસિદ્ધ થયેલ ડૉ. નગીન શાહના ન્યાયવૈશેષિક દર્શન પ્રત્યે આપ સૌનું ધ્યાન દોરવું જરૂરી માનું છું... એ ગ્રન્થ ગુજરાતી ભાષાનો એ વિષયનો ઉત્તમ ગ્રન્થ છે, એટલું જ નહિ, પણ મારી જાણના જે અન્ય દેશી ભાષામાં તે વિષયના ગ્રંથો છે તે સૌમાં અગ્રસ્થાન ભોગવે એવો એ ગ્રંથ છે. તે વિષે પણ જો આપણી ઉપેક્ષા હોય તો પછી અન્ય દાર્શનિક ચર્ચામાં રસ કેવી રીતે જામે, એ પ્રશ્ન છે.” જ્ઞાનગંગોત્રીની ગ્રંથમાળામાં “સાહિત્યદર્શન' નામે સત્તરમા ગ્રંથમાં ગુજરાતમાં રચાયેલ વિપુલ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યના પરિચય માટે ફાળવવામાં આવેલી સાવ ઓછી જગ્યા અંગે ટકોર કરતાં શ્રી દલસુખભાઈએ સાચું જ કહ્યું કે – “જ્ઞાનગંગોત્રીનું પ્રકાશન સરદાર પટેલ યુનિવર્સિટીએ કરીને નવી પેઢીને અત્યંત ઉપકૃત કરેલ છે એમાં શક નથી. પરંતુ સાહિત્યદર્શન (ભાગ ૧૭)માં ગુજરાતમાં જે વિપુલ સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત-જૂની-ગુજરાતીમાં જૈન આચાર્યોએ લખ્યું છે, તેનો પરિચય આપવામાં, જેટલાં પાનાં “મેઘદૂત' માટે અપાયાં છે, તેટલાં જ છે! ગુજરાતીમાં લખાતા અને ગુજરાતી પ્રજા માટે લખાતા ગ્રન્થમાં આ પ્રકારની અક્ષમ્ય બેદરકારી ચલાવી લેવા જેવી નથી. આ ઉપરાંત ગુજરાતના જ સુપુત્રો ગુણમતિ અને સ્થિરમતિના બૌદ્ધ ગ્રન્થો વિષે એમાં એક શબ્દ કહેવામાં આવ્યો નથી; એટલું જ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy