SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૨ જિનમાર્ગનું અનુશીલન ત્યાર બાદ ધાર્મિક અભ્યાસ વ્યાપક દૃષ્ટિએ કરવાની જરૂર અંગે તેઓએ કહ્યું – - “સંસ્થાના સંચાલકો અને બીજા બધા ય વિદ્વાનોએ એ વાત સમજી લેવી જોઈએ કે ચાહે ધાર્મિક ક્ષેત્રમાં હોય કે ચાહે દાર્શનિક ક્ષેત્રમાં હોય, અથવા તો સાહિત્યક્ષેત્રમાં હોય, આપણે કેવળ જૈન ગ્રંથોનું જ્ઞાન મેળવીને એને પૂરતું માની લેવાની ભૂલ નહીં કરવી જોઈએ.” પં. શ્રી કૈલાશચંદ્રજી અને બાબુશ્રી લક્ષ્મીચંદ્રજીનાં ભાષણોનાં આ અવતરણો ઉપરથી એ સહેજે સમજી શકાશે કે હવે પછી જૈનધર્મ-સંબંધી પણ જે વિદ્યાધ્યયન કરવામાં આવે તે સર્વસ્પર્શી વ્યાપક દૃષ્ટિએ જ થવું જોઈએ, અને જૈન ધર્મ-દર્શનસંસ્કૃતિને લગતું જે સાહિત્ય સર્જાય તે પણ આવી જ વ્યાપક દૃષ્ટિએ તેમ જ આધુનિક શૈલી અને ભાષામાં એવી રીતે સર્જાવું જોઈએ કે જે લોકરુચિને પોષે અને લોકજિજ્ઞાસાને સંતુષ્ટ કરે. આવા વિદ્વાનો અને આવું સાહિત્ય જ આજના યુગની માગણીને અને જિજ્ઞાસાને પૂરી કરી શકશે. (તા. ૪-૮-૧૯૬ ૨) (૯) વિધાયત્નમાં ગુજરાત ગુજરાતની જાણીતી સાહિત્ય-સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદુ’નું અઠ્ઠાવીસમું અધિવેશન ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં પોરબંદર મુકામે, વયોવૃદ્ધ સાક્ષરવર્ય શ્રી રામપ્રસાદભાઈ બક્ષીના પ્રમુખપદે મળ્યું હતું. આ અધિવેશનના સંશોધન-વિભાગના પ્રમુખ તરીકે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની વરણી કરાઈ હતી. આ વિભાગના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં કેટલીક ઉપયોગી માહિતી આપવામાં આવી હતી, કેટલીક ધ્યાનમાં લેવા જેવી ટકોર કે ટીકા હતી. અને આ ક્ષેત્રનાં મોટા ભાગનાં નવાં પ્રકાશનોની યાદી પણ રજૂ કરવામાં આવી હતી. આમાંની કેટલીક વિગતો અહીં સાભાર રજૂ કરીએ છીએ. વિશ્વના મહાન ઇતિહાસકાર લેખાતા આર્નોલ્ડ ટોયલ્બીને અંજલિ આપતાં તેઓએ કેવું સાચું કહ્યું હતું ! – “ગત વર્ષમાં મહાન ઇતિહાસ-લેખક આર્નોલ્ડ શ્રેયબીનું અવસાન થયું. તેમણે પોતાની આગવી દૃષ્ટિથી દુનિયાના ઇતિહાસનો અદ્વિતીય ગ્રન્થ આપણને આપ્યો છે. તે ગ્રન્થનું તારણ યાદ કરીને જ આપણે તેમને અંજલિ આપી શકીશું. તેમનું કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy