SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૮ ૩પ૧ છે, એટલી જ જાગૃતિ એણે વિદ્યાવિકાસ, જ્ઞાનપ્રસાર અને શાસ્ત્રીય અધ્યયન માટે દાખવવી જોઈએ, અને એ માટેના ખર્ચમાં જરા ય પણતા રાખવી ન જોઈએ. અહીં એ જણાવીએ કે થોડાંક વર્ષ પહેલાં બનારસમાં સ્થપાયેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શન અને પ્રાકૃત ભાષામાં પણ આચાર્યની પરીક્ષા લેવાની જોગવાઈ કરાઈ છે. - શ્રી બાબુ લક્ષ્મીચંદ્રજી, જેઓ બનારસની ભારતીય જ્ઞાનપીઠના મંત્રી અને સાહુ શ્રી શાંતિપ્રસાદજીના અંગત મંત્રી છે, એમણે પોતાના ઉદ્ઘાટન-ભાષણમાં અત્યારે ઓસરતી જતી ધર્મજ્ઞાનની રુચિ અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમ જ અત્યારની વધતી જતી જિજ્ઞાસા તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું – “અત્યારે સૌથી વધારે કડવું સત્ય તો એ છે કે સમાજને - સામાન્ય જનસમૂહને - ધાર્મિક પંડિત, ક્રિયા કરવાનાર અને વ્યાખ્યાતાની એટલી જરૂર નથી લાગતી જેટલી પહેલાં લાગતી હતી. પહેલાં લોકો વિદ્વાનોનાં બારણે જઈ પહોંચતા હતા અને વિદ્વાનો અકિંચન રહીને પણ આવા બહુમાનથી સંતોષ અનુભવતા હતા. દુઃખની વાત છે કે અત્યારે સમાજમાં વિદ્વાનોનું આવું મૂલ્ય નથી રહ્યું. તો પછી સવાલ થાય છે કે વિદ્વાનોએ શું કરવું? શું વિદ્વાનોએ પોતાનું આસન ઉપાડી લઈને વેપારમાં લાગી જવું? આનો જવાબ પણ આપણે અત્યારના યુગને ખ્યાલમાં રાખીને જ શોધવો પડશે. આપણે ગમે તેટલું પ્રતિપાદન કરીએ કે આ યુગ અધાર્મિક છે, તો પણ સાચી વાત તો એ છે કે અત્યારના જેટલી વ્યાપક જિજ્ઞાસા અને એ જિજ્ઞાસાની પૂર્તિનાં સાધનોની વિપુલતા પહેલાંના કોઈ યુગમાં નહોતી. એટલે સવાલ તો એ છે કે આપણે અત્યારના માનવીની એ જિજ્ઞાસાને અત્યારના જીવનને લક્ષમાં રાખીને, આધુનિક ભાષા અને શૈલીમાં તૃપ્ત કરી શકીએ એમ છીએ કે નહીં ?” . આમ પૂછડ્યા પછી એનો ઉત્તર આપતાં તેઓ પોતે જ કહે છે – “આપણે ધર્મતત્ત્વોના મર્મને, દર્શનની ઉચ્ચતાને, ચિંતનની ગંભીરતાને, સાહિત્ય અને સંસ્કૃતિના અનુભવને દુર્ગમતામાંથી બહાર કાઢીને નવીન શૈલીએ, અત્યારના જીવનને ખ્યાલમાં રાખીને પ્રગટ કરીએ તો સમાચારપત્રોની કંડિકાઓ, પ્રકાશકોનાં સામયિકો, રેડિયો-સ્ટેશનો વગેરે, તેમ જ સભાઓના ખંડો અને સભાઓની વ્યાસપીઠો દેશ-વિદેશમાં આપણા માટે ખુલ્લાં છે. આપણે – આપણી શિક્ષણ સંસ્થાઓએ – આવા વિદ્વાનો તૈયાર કરવા જોઈએ. “અત્યારે આપણને એવા વિદ્વાનોની જરૂર છે કે જેઓ અંગ્રેજીમાં અને દેશીપરદેશી અન્ય ભાષાઓમાં યોગ્ય પ્રકારનું ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક સાહિત્ય સર્જી શકે. આપણી પાસે એવા કેટલા વિદ્વાનો છે, જેઓ બન્ડ રસેલ, વ્હાઈટહેડ કે રાધાકૃષ્ણના સાહિત્યથી પરિચિત હોય અને પોતાના ધર્મ અને દર્શનના જ્ઞાનનો પરિચય કરાવીને એમના (જિજ્ઞાસુના) જૈનધર્મસંબંધી જ્ઞાનને પરિપૂર્ણ કરી શકે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy