SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આ રીતે સાંસ્કૃતિક અસરો નિર્દેશી જૈન સાહિત્યની મહત્તા અંગે કહ્યું છે “જૈનધર્મની આટલી પ્રાચીન પરંપરાના વારસા રૂપે આપણને જે અમૂલ્ય સાહિત્ય પ્રાપ્ત થયું છે, એમાં જો કોઈ સારભૂત તત્ત્વ ન હોત તો જૈનધર્મ આ દેશમાં આટલા વખત સુધી ટકી જ ન શકત. જૈનધર્મની નક્કરતાનો ખ્યાલ તો આપણને અન્ય દર્શનોના એ ગ્રંથો ઉપરથી આવે છે કે જેમાં જૈનધર્મનું ખંડન કરવામાં આવ્યું છે. કોઈના વિરોધીઓની સંખ્યા વધારે હોય તો તે એના મહત્ત્વને જ સ્થાપિત કરે છે. ચાહે બૌદ્ધ ધર્મનું પાલીભાષાનું સાહિત્ય જુઓ કે હિંદુઓનાં પુરાણો કે દર્શનગ્રંથો જુઓ; એમાં જૈનોનું ખંડન અવશ્ય મળવાનું. જ્યાં સુધી જૈન સાહિત્ય અને જૈન સાહિત્યમાં જણાવેલ તત્ત્વોના જાણકાર અને એના વ્યાખ્યાતા વિદ્વાનો સુરક્ષિત છે ત્યાં સુધી જૈનધર્મનું મહત્ત્વ સુરક્ષિત છે.” છેવટે તો કોઈ પણ ધર્મ એના અનુયાયીઓમાં જીવતો રહે છે અને એનાં શાસ્ત્રોમાં, સાહિત્યમાં સુરક્ષિત રહે છે. એટલે કોઈ પણ ધર્મનાં શાસ્ત્રોનું ઉપર જણાવ્યું તેવી સર્વસ્પર્શી, મર્મસ્પર્શી, તલસ્પર્શી એવી વ્યાપક દૃષ્ટિએ અધ્યયન કરવું એ દરેક ધર્માનુયાયીની ફરજ થઈ પડે છે. મતલબ કે દરેક ધર્મમાં કેટલાક તો એ ધર્મના આવા પારગામી વિદ્વાન્ હોવા જ જોઈએ; અને સામાન્ય સમાજે પણ ધર્મતત્ત્વો અને ધર્મના ઇતિહાસનું પાયાનું જ્ઞાન મેળવવું જોઈએ. આ પછી વિદ્યા-પ્રવૃત્તિને આગળ વધારવા માટે અને વિદ્વાનોને વિશેષ ઊંડા અધ્યયનનું પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ તેઓ પોતાનાં બે સૂચનો કરે છે : ‘(૧) અત્યારે જે વિદ્વાનો આગળ વધા૨ે અધ્યયન કરવા ઇચ્છતા હોય, એમને વિશેષ આર્થિક સગવડ (સ્કૉલરશિપ) આપીને આગળ અધ્યયન કરવામાં સહકાર આપવો જોઈએ. જે વિદ્યાર્થીઓ બનારસના સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શન અને પ્રાકૃત વિષય લઈને ‘આચાર્ય’ પરીક્ષા પસાર કરવા ઇચ્છતા હોય, એમને વિશેષ છાત્રવૃત્તિઓ આપવી જોઈએ. અત્યારે બનારસનાં વિશ્વવિદ્યાલયોમાં (હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેમ જ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં) પાલિ વિષય દાખલ થયેલ છે, અને જૈન વિદ્યાર્થીઓ પણ એ વિષયનો અભ્યાસ કરે છે. આ રીતે જ આપણે પ્રાકૃત ભાષાના અધ્યયનને પ્રોત્સાહન આપવું જોઈએ... (૨) જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા કોઈ પણ વિષય ઉપર મૌલિક ગ્રંથ લખનાર વિદ્વાનને દર વર્ષે ઓછામાં ઓછા એકવીસસો રૂપિયાનું પારિતોષિક આપી શકાય એવી વ્યવસ્થા થવી જોઈએ. આથી વિદ્વાનોમાં ગ્રંથસર્જનની પ્રવૃત્તિની સાથોસાથ જ્ઞાનાર્જનની ભાવનાને પણ પ્રોત્સાહન મળશે.'' વિદ્યાપ્રસાર અને વિદ્વાનોને ઉત્તેજન માટે બીજા માર્ગો પણ વિચારી અને યોજી શકાય. આનો અર્થ એ થયો કે અન્ય ધર્મપ્રવૃત્તિઓને માટે જૈનસંઘ જેટલો જાગૃત ૩૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy