SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૮ ૩૪૯ “મારા “નૈન સાહિત્ય તિદાસી પૂર્વટિકા' નામે પુસ્તક માટે જુદાજુદા સાહિત્યનું અધ્યયન કરતાં મને જણાયું છે, કે ભારતીય ધર્મોનો ઇતિહાસ હજુ પણ અંધારામાં છે, અને કોઈ એક ધર્મના સાહિત્યને વાંચવા માત્રથી જ એ ધર્મનો સાચો ઇતિહાસ જાણી શકાતો નથી. એ માટે તો એ સમયે પ્રવર્તમાન બીજા ધર્મોના સાહિત્યના અભ્યાસની પણ જરૂર રહે છે, કારણ કે જે ધર્મો એકીસાથે લેફૂલે છે તે આપસ-આપસમાં એકબીજાના પ્રભાવથી વંચિત રહી શકતા નથી. એટલા માટે ભારતના જૂનામાં જૂના જૈનધર્મ, બૌદ્ધધર્મ અને વૈદિક ધર્મો વચ્ચે અરસપરસ જે આપલે થતી રહી છે, એને ત્રણ ધર્મોના તુલનાત્મક અધ્યયનથી જ સમજી શકાય એમ છે.” આ મુદ્દો, ખરી રીતે તો, અત્યારના યુગની એક મહત્ત્વની જરૂરિયાત તરફ અંગુલીનિર્દેશ કરે છે. ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક તેમ જ રાષ્ટ્રીય – એ દરેક ક્ષેત્રનો વિકાસ કંઈ ઘઉં-બાજરીના વાવેતરવાળાં ખેતરોની જેમ એકબીજાથી સાવ નિરપેક્ષ રીતે થતો નથી; પણ એ પ્રત્યેક ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રના તેમ જ કોઈ ક્ષેત્રના એક ફાંટા ઉપર અન્ય ફાંટાઓના સંસ્કારો તાણાવાણાની જેમ ગૂંથાઈ જાય છે. આવી અસરને અટકાવવી શકય નથી. મુશળધાર વરસાદના જુદાજુદા પ્રવાહો એકબીજા સાથે ભેળસેળ થયા વગર નથી રહેતા. એટલે કોઈ પણ ધર્મનાં સ્વરૂપ, વિકાસ તેમ જ ઇતિહાસને યથાર્થરૂપે સમજવા હોય તો આનુષગિક અને સમકાલીન બધાં બળોનો, બધી પરિસ્થિતિનો અને ખાસ કરીને એ ધર્મે જે-જે ધર્મો ઉપર અસર કરી હોય તેમ જ એ ધર્મ જે-જે ધર્મપરંપરાઓની અસર નીચે આવ્યો હોય એનું યથાર્થ જ્ઞાન મેળવવું અનિવાર્ય બની જાય છે. અત્યારના યુગમાં તો કોઈ પણ વિષયનું ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવું એ સત્યગામી અધ્યયનની સર્વમાન્ય પદ્ધતિ લેખાય છે; “સારું કે સાચું તે મારું એવી સત્યગ્રાહક અને ગુણગ્રાહક દૃષ્ટિને બદલે “મારું તે સારું' એવી પથિક અને વ્યામોહભરી સંકુચિત દૃષ્ટિનો હજી પણ જેઓ આદર કરવા ચાહતા હોય એમની વાત જુદી છે. પોતાના ઉપર સૂચવેલ મુદ્દાના સમર્થનમાં ભારતીય સંસ્કૃતિ અંગે તેઓ કહે છે – “પ્રાચીન સંસ્કૃતિનું ઘડતર બે સંસ્કૃતિઓના મિલનથી થયું હતું. આ બે સંસ્કૃતિઓ તે વૈદિક અને શ્રમણ. વૈદિક અને શ્રમણ સંસ્કૃતિઓ વચ્ચે જે અથડામણો થઈ એના જ ફળ રૂપે ઉપનિષદોની ધારાઓ પ્રવાહિત થઈ. એમાં તો જેમ કેટલીક વેદોને અનુકૂળ વાતો છે તો કેટલીક વેદવિરોધી વાતો પણ છે. જો કોઈ વિદ્વાન અંધ અનુસરણનો માર્ગ છોડીને નિષ્પક્ષ દૃષ્ટિએ ઉપનિષદોનું તુલનાત્મક અધ્યયન કરે તો કેટલાંય રહસ્યો પ્રગટ થઈ શકે એમ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy