SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૬ ૩૪૩ છતાં મક્કમતાપૂર્વક, સામાને સાચી વાત કહેવાની તેઓની આવડત આગવી છે. સાદું, નિર્મળ, ન્યૂનતમ જરૂરિયાતોવાળું અને ખડતલ એમનું જીવન છે. નાના કે મોટા, વ્યવહારના કે વિદ્વત્તાના દરેક કામમાં ચીવટ, ઠાવકાઈ, ચોકસાઈ જોવા મળે જ. તેઓ કચારેક નવો છતાં મર્મસ્પર્શી કટાક્ષ પણ પ્રયોજી જાણે છે. એમના વ્યવહા૨માં સરળતા, સુજનતા, સહાયવૃત્તિ, સ્પષ્ટતા અને નિખાલસતાનો અનુભવ કોઈને પણ થયા વગર નથી રહેતો. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા અને સાહિત્યના તેઓ સર્વમાન્ય વિદ્વાન છે. ડૉ. ઉપાધ્યેનું અંગ્રેજી પ્રવચન સાંભળવું એ જિંદગીનો એક લ્હાવો છે. તેમના વક્તવ્યમાં વિદ્વત્તા, વિચાર અને વાણીનું અદ્ભુત માધુર્ય પ્રવર્તે છે. ડૉ. ઉપાધ્યેનું અલીગઢનું પ્રમુખ તરીકેનું ભાષણ આવું જ ઉત્તમ અને ઉદાત્ત હતું : વિદ્વત્તાપૂર્ણ, માહિતીસભર અને વિચાર-સમૃદ્ધ. આવી વિદ્વત્પરિષદના પ્રમુખના ભાષણમાં મુખ્યત્વે વિદ્યાપ્રવૃત્તિ અને સંશોધન-સંપાદનની વાતો હોય; નીતિ-સદાચારની વાતને એમાં ભાગ્યે જ સ્થાન હોય. પણ ડૉ. ઉપાધ્યેએ દેશની વર્તમાન નીતિશૂન્યતાને ખ્યાલમાં રાખીને પ્રાચ્યવિદ્યાને લગતાં કાર્યો સાથે એનો સંબંધ જોડીને એનું જે રીતે યથાર્થ મૂલ્યાંકન કરી બતાવ્યું, તેથી એમના ભાષણની ગુણવત્તા અને મહત્તા ઔર વધી ગઈ, અને એમનું વક્તવ્ય વધુ સજીવ અને હૃદયસ્પર્શી બની શક્યું. એમનું આ ભાષણ અક્ષરેઅક્ષર મનનપૂર્વક વાંચવા જેવું છે. ડૉ. ઉપાધ્યેના આ ભાષણના છેલ્લા ફકરાની શરૂઆતની આ ૩-૪ લીટી ઉ૫૨થી પણ એમની ધ્યેયનિષ્ઠા અને મૂળગામી સાચી દૃષ્ટિનો ખ્યાલ મળી શકે એમ છે ઃ “ભાવી પેઢી આપણાં સ્થાનો, પગારો કે બીજા વિશિષ્ટ અધિકારો ઉપરથી આપણું એટલું મૂલ્યાંકન નથી કરવાની, જેટલું મૂલ્યાંકન પ્રાચ્યવિદ્યાની નોંધપાત્ર પ્રગતિમાં આપણે જે કાયમી વધારો કર્યો હશે એના ઉપરથી કરવાની છે.” આ ભાષણની અંતિમ પંક્તિઓ એના પ્રવક્તાની કાર્ય પ્રત્યેની અને સત્ય પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવે છે ઃ “સાચી દિશામાં નિષ્ઠાપૂર્વકનો કોઈ પણ પ્રયત્ન, એ પોતે જ એક ઇનામ છે. આપણા દુન્વયી વ્યવહારોની જેમ વિદ્યાઉપાસનામાં પણ જેની શોધ કરવી સૌથી વિશેષ અગત્યની છે તે છે સત્યઃ સવ્વ હોમિ સારમૂયમ્ '' * ૧૪ વિભાગીય પ્રમુખોનાં ભાષણો એક પછી એક થતાં નથી; સમયની મર્યાદાને પહોંચી વળવાને માટે એના બે ભાગ કરીને દરેકમાં સાત-સાત ભાષણો ગોઠવવામાં આવે છે : તેથી એમાં પણ અડધોઅડધ ભાષણો જતાં કરવાં પડે છે ! આર્થિક મર્યાદાને કારણે આ બધાં ભાષણો અધિવેશન વખતે છપાવવાની જોગવાઈ પણ કૉન્ફરન્સ તરફથી કરવામાં આવતી નથી. વળી, ભાષણો ટૂંકાવીને જ વંચાતા હોઈ, તે-તે વિભાગના પ્રમુખે ખૂબ જહેમત લઈને તૈયાર કરેલ ભાષણનો મળવો જોઈએ તેટલો લાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy