SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ જિનમાર્ગનું અનુશીલન જ નહીં! દરેક નિબંધને અંતે વિભાગીય પ્રમુખ ખૂબ સમભાવ અને સહાનુભૂતિપૂર્વક એનું પર્યાલોચન કરે છે, અને કોઈ ખામી તરફ ધ્યાન દોરવું હોય, તો એ માટે પણ સંયમભરી અને સૌમ્ય ભાષા જ પ્રયોજાય છે. પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા ખાતર જ કે બીજાને ઉતારી પાડવા ખાતર વાણીનો દુરુપયોગ કરતાં જાણે સૌ ખમચાતા હોય એવું મધુર વાતાવરણ અહીં જોવા મળે છે. (નજીવી સામાજિક કે ધાર્મિક બાબતોમાં વાતવાતમાં ક્લેશ-દ્વેષમાં ઊતરી પડવા ટેવાઈ ગયેલા આપણા માટે આ કાર્યવાહી, ખરેખર, બોધદાયી છે.) જુદાજુદા ખંડોમાં એકીસાથે અનેક વિભાગોના નિબંધોનું વાચન ચાલતું હોય ત્યારે, એકાધિક વિદ્યાશાખાઓમાં રસ ધરાવતા જિજ્ઞાસને પોતે બધે એકસાથે કેવી રીતે પહોંચી જવું એની મૂંઝવણ થાય છે, અને જાણે પોતાને કોઈક સુંદર તક ગુમાવવી પડતી હોય એવી લાગણી અનુભવવી પડે છે. મારી પોતાની જ વાત કરું, તો મને પ્રાકૃત ભાષા અને જૈનધર્મ વિભાગ ઉપરાંત ઇતિહાસ, પુરાતત્ત્વ, કળા તેમ જ તત્ત્વજ્ઞાન અને ધર્મ જેવા વિભાગોમાં પણ એટલો જ રસ છે; પણ સમાંતર બેઠકોને કારણે એમાંથી ઘણું જતું કરવું પડ્યું! આનો ઇલાજ શો? આ પરિષદનો સૌથી મોટો અને અપૂર્વ લાભ તે ભારતીય કે અન્ય પ્રાચ્ય દેશોની વિદ્યાની જુદીજુદી શાખાઓના ૫૦૦-૭૦૦ વિદ્વાનો, જિજ્ઞાસુઓ અને પ્રેમીઓ એક સ્થાને ભેગા થઈને વિદ્યામય વાતાવરણમાં ત્રણ દિવસ સુધી એકબીજાને હળેમળે, વિદ્યાવિનોદ કરે અને નવાનવા સંપર્કો સાધે એ છે. એમાં વયોવૃદ્ધ, વિખ્યાત અને પીઢ વિદ્વાનો પણ હોય છે, અને નવોદિત કે ઉદયમાન તરુણ વિદ્યાસેવીઓ પણ હોય છે. વળી, એમાં જેમ પુરુષ-વિદ્વાનો હોય છે, તેમ વિદુષીઓ પણ સારી સંખ્યામાં આવે છે. આ વિદ્યાના ખેડાણમાં દેશના જુદાજુદા પ્રદેશોની બહેનો પણ કેટલી નિપુણ બની છે એનો આશ્ચર્યકારક છતાં આનંદજનક અને આશાપ્રેરક ખ્યાલ આ કોન્ફરન્સમાં આવ્યા વગર રહેતો નથી. કૉન્ફરન્સના અલીગઢ અધિવેશનમાં જવાનું એક વિશેષ આકર્ષણ એ હતું કે એના મુખ્ય પ્રમુખ સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધ (શ્રી આદિનાથ નેમિનાથ ઉપાધ્ય) હતા. કોન્ફરન્સના ૧૯૫૩માં અમદાવાદમાં મળેલ ૧૭મા અધિવેશન વખતે પહેલવહેલાં પૂ. પં. શ્રી સુખલાલજી પાસે ડૉ. ઉપાધ્ધનાં દર્શન થયાં અને એમનો અતિ અલ્પ પરિચય થયો, ત્યારથી જ મન ઉપર એવી છાપ પડી છે કે તેઓ એક સનિષ્ઠ અને આદર્શ વિદ્વાન છે. તે પછી તો એમનો નિકટનો પરિચય સાધવાના અનેક પ્રસંગો મળતા રહ્યા છે, અને ગુણવત્તા અને સચ્ચરિત્રતાથી સુરભિત એમની વિદ્વત્તાનાં વધુ ને વધુ સુભગ દર્શન થતાં રહ્યાં છે. મૃદુતા અને મધુરતાને તજ્યા વગર, સૌમ્યભાવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy