SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ જિનમાર્ગનું અનુશીલન પ્રતિનિધિઓને મળતો નથી; ભાષણ તૈયાર કરનારને પણ પોતાની સામગ્રી રજૂ કરવાનો સંતોષકારક અવસર મળતો નથી. આ મોટી ખામીને દૂર કરવા તરફ સત્વર ધ્યાન આપવાની જરૂર છે. “પાલિ અને બૌદ્ધધર્મ” વિભાગના અધ્યક્ષ હતા કટકની ઉત્કલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. પી. પ્રધાન. એમના ભાષણમાં જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના અભ્યાસીને ઉપયોગી થાય એવી પણ સામગ્રી હતી. ભાષણ બાદ તેઓ અને શ્રી દલસુખભાઈ માલવણિયા મળ્યા ત્યારે ડૉ. પ્રધાને એક વાત કહી તે બિલકુલ સાચી છે કે બૌદ્ધધર્મનો બરાબર અભ્યાસ હોય તો જૈનધર્મ અને સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ, જૈનધર્મનો બરાબર અભ્યાસ હોય તો બૌદ્ધ ધર્મ અને સાહિત્યને જાણવા જોઈએ; નહીં તો અભ્યાસ અધૂરો જ રહેવાનો. આ સૂચના સૌએ અપનાવવા જેવી છે. પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ હતા, જબલપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક જાણીતા વિદ્વાન ડૉ. હીરાલાલજી જૈન. તેઓ બીજી વાર આ વિભાગના અધ્યક્ષ ચૂંટાયા હતા. તેઓના ભાષણમાં પણ ઘણી માહિતી અને ઘણા જાણવા જેવા મુદ્દાઓ હતા. આ વિભાગમાં દસેક નિબંધો હતા. ઉપરાંત બીજા વિભાગોમાં પણ જૈન વિષયના નિબંધો આવ્યાનું દરેક વિભાગના નિબંધોના સંક્ષેપની યાદી ઉપરથી જાણી શકાય છે. ઈતર વિભાગોની જેમ જૈન વિભાગના નિબંધને અંતે જે મુદ્દાસરની ટૂંકી ચર્ચા કે પ્રશ્નોત્તરી થતી તે ખૂબ રોચક અને જિજ્ઞાસાને સંતોષે અને વધારે એવી હતી, અને ડૉ. હીરાલાલજી દરેક નિબંધને અંતે એનું સંક્ષિપ્ત છતાં માર્મિક પર્યાલોચન કરતા ત્યારે એમની વ્યાપક વિદ્વત્તા અને સૌમ્યતાનો વિશેષ પરિચય મળતો. આ કૉન્ફરન્સમાં જેનવિદ્યાની જુદીજુદી શાખાઓને લગતા જે નિબંધો આવ્યા હતા, તેની યાદી ઉપરથી જેનવિદ્યાના ક્ષેત્રમાં શું કામ ચાલી રહ્યું છે એનો કેટલોક ખ્યાલ આવી શકે છે; જોકે જેનવિદ્યાના ક્ષેત્રમાં કામ કરતા બધા કે મોટા ભાગના વિદ્વાનો આ કૉન્ફરન્સમાં આવી શકતા નથી, તેથી આ બાબતનો પૂરો ખ્યાલ તો એ બધાનાં કામોની માહિતી ઉપરથી જ આવી શકે. કૉન્ફરન્સમાં બધા વિભાગના મળીને ત્રણસોથી પણ વધુ નિબંધો આવેલા. જૈન વિષયો ઉપર જૈનેતર વિદ્વાનોના અને જૈનેતર વિષયો ઉપર જૈન વિદ્વાનોના નિબંધો પણ જોવા મળે છે. વિદ્યાનું અધ્યયન કેવી વ્યાપક દૃષ્ટિએ ચાલી રહ્યું છે, એનો ખ્યાલ આ ઉપરથી આવી શકે છે. આ ઉપરથી જૈન સમાજે બે વાત કરવા જેવી લાગે છે : એક તો આપણા વિદ્વાનું મુનિરાજોના નિબંધો કોન્ફરન્સમાં એમના પ્રતિનિધિઓ સાથે મોકલવામાં આવે, અને બીજું, આપણા મુનિવરો અને અન્ય વિદ્વાનો જે અધ્યયન કરી રહ્યા છે તે માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy