SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦. જિનમાર્ગનું અનુશીલન છે અને આ વર્ષના અધિવેશનમાં આ વિભાગના પ્રમુખ તરીકે સર્વ-દર્શન-સમન્વયના સમર્થ પંડિત પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી સંઘવીની વરણી કરવામાં આવી છે. આ ઉપરથી જોઈ શકાશે કે જૈન સમાજને અપનાવવા માટે અને જૈન ધર્મ તેમ જ જૈન સાહિત્યને તેના મોભા પ્રમાણેનું યોગ્ય સ્થાન આપવા માટે આ કોન્ફરન્સ પ્રયત્ન કર્યા કરે છે. આ સ્થિતિમાં જૈનોએ એના કાર્ય પ્રત્યે વધુ રસ અને વધુ આદર દાખવવો જરૂરી થઈ પડે છે. અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષાઓના પ્રચાર અને ઉત્કર્ષ માટે અને જૈન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસ અને આદર્શ પ્રકાશન માટે આ સંસ્થા નવાં નવાં સૂચનો કર્યા કરે છે, જે આપણે ગંભીર રીતે વિચારવા જેવાં છે. (તા. ૨૯-૯-૧૯૫૧) (૬) ઓરિયેન્ટલ કૉન્ફરન્સની વિધાયાત્રા, સાચે જ એ વિદ્યાયાત્રા હતી : યાદગાર, પ્રેરક અને આફ્લાદક. ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું ર૩મું અધિવેશન ગત (૧૯૬૬ની) ઑક્ટોબરની ૨૭, ૨૮, ૨૯ તારીખોએ, ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં ભરાવાનું હતું, એમાં મારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું હતું. અલ્પસ્વલ્પ વિદ્યાપ્રીતિ અને વિદ્વાનો તરફની યત્કિંચિત ભક્તિને કારણે આવી પરિષદ્ કે વિદ્યા અને વિદ્વાનોના મિલન સમાં આવા સમારંભ પ્રત્યે મનમાં સહેજે આકર્ષણ રહે છે. તેમાં ય ઓરિયેન્ટલ કૉન્ફરન્સનું ૧૭મું અધિવેશન જે સને ૧૯૫૩માં અમદાવાદમાં ભારતના વિશ્વવિદ્યુત વિદ્વાન અને ભાષાશાસ્ત્રી ડો. સુનીતિકુમાર ચેટર્જીના પ્રમુખપદે મળેલું, એને નજરે જોવાનો સુઅવસર મળ્યો, ત્યારથી હું આ કૉન્ફરન્સ પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવતો રહ્યો છું. એમાં પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનો તો મારો આ પહેલો જ પ્રસંગ હતો – વિદ્યાલયની મારા પ્રત્યેની મમતાને લીધે, અમદાવાદથી અમે છ મિત્રો આ વિદ્યાયાત્રાએ સાથે ગયાં હતાં: શ્રી દલસુખભાઈ માલવણિયા, ડો. હરિવલ્લભભાઈ ભાયાણી, ડૉ. મિસ સોલોમન, ડો છોટુભાઈ નાયક, પ્રોફેસર ફારૂકી અને હું અમદાવાદથી જયપુર સુધી શ્રી ભંવરમલજી સિંઘી સાથે હતાં. અલીગઢમાં ડો. ભોગીભાઈ સાંડેસરા, ડૉ. ઉમાકાંત શાહ, શ્રી કે. કા. શાસ્ત્રી વગેરે મિત્રો મળ્યા હતા, તેથી આ પ્રવાસ ખૂબ આનંદપ્રદ બન્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy