SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન આ પડને ભેદવાના પ્રારંભનો ઇતિહાસ જોતાં લાગે છે કે પશ્ચિમ યુરોપના અને ખાસ કરીને જર્મનીના વિદ્વાનોએ આમાં ભારે અને પરિશ્રમપૂર્ણ ફાળો આપ્યો છે. એમણે શરૂઆત કરી પછી તો ભારતમાં પણ એ વાતની કદર થવા લાગી. તે પહેલાં પણ આપણા કોઈકોઈ સાક્ષર એ વાત સ્વીકારતા હતા. તેમ છતાં એમાં વેગ તો પશ્ચિમના પંડિતોના પ્રયત્ન પછી જ આવ્યો. સ્વ. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર પણ આવા જ વિદ્વાનોમાંના એક હતા. જૈન જ્ઞાનભંડારો તરફ એમને પહેલેથી જ આકર્ષણ હતું, અને જ્યારે ઊંટની ભારે મુશ્કેલ સવારી કર્યા વગર જેસલમેર પહોંચવું અશકય હતું, તે કાળમાં પણ તેમણે જેસલમેરની વિકટ યાત્રા ખેડીને ત્યાંના જ્ઞાનભંડારોનું અવલોકન કર્યું હતું એ વાત તેમની જૈન સાહિત્ય પ્રત્યેની લાગણીની દ્યોતક છે. આ સ્થિતિમાં, ડૉ. ભાંડારકરે સ્થાપેલી આ કૉન્ફરન્સે પણ શરૂઆતથી જ જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્ય પ્રત્યે આદર કે રસ દાખવ્યો એ સાવ સ્વાભાવિક છે. આ કૉન્ફરન્સના પહેલા અધિવેશન વખતે જ પુરાતત્ત્વના આચાર્ય મુનિશ્રી જિનવિજયજીએ પોતાનો સુપ્રસિદ્ધ ‘મિદ્રાચાર્યય સમયનિર્ણય:' (હરિભદ્રાચાર્યનો કાળનિર્ણય) એ ઐતિહાસિક નિબંધ વાંચ્યો હતો એ બીના આ વાતની શાખ પૂરે છે. એટલે આ સંસ્થાના કામમાં જૈન વિદ્વાનો (ભલે સાવ અલ્પ સંખ્યામાં પણ) પહેલેથી જ રસ લેતા આવ્યા છે. પરિણામે, જૈન સાહિત્યની વિશેષતા અને જૈનધર્મની મૌલિકતા વિષેની માહિતી આપણા બીજા વિદ્વાનોમાં ઠીકઠીક પ્રમાણમાં ફેલાવા પામી છે. એટલે આ સંસ્થા સાથે જૈનોએ વધુ ને વધુ ગાઢ સંબંધ બાંધવો જોઈએ અને એના કાર્યમાં સવિશેષ ૨સ લેવો જોઈએ. આપણા સાહિત્યજ્ઞ મુનિવરોએ પણ એમાં ઊલટભેર સાથ આપવો જોઈએ એમ અમે ચોક્કસ માનીએ છીએ. જે કામ આપણે એકલે હાથે ભારે પ્રયત્નને અંતે પણ પાર ન પાડી શકીએ, તે આવી સાહિત્યસેવી સંસ્થાના સહકારથી સહજમાં પા૨ પાડી શકાય એમાં શક નથી. : પ્ Jain Education International ૩૩૯ આ સંસ્થાના કાર્યમાં જૈનોએ વિશેષ રસ લેવાનું એક બીજું પણ મહત્ત્વનું કારણ છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તો જૈન સાહિત્યનો બીજા સાહિત્ય સાથે સમાવેશ કરીને એની સાથેસાથે એ સાહિત્યનું વિવેચન-અવલોકન કરવામાં આવતું હતું. પણ જૈન સાહિત્યની વિપુલતા અને મહત્તાને પિછાણીને છેલ્લાં દસ વર્ષથી અર્થાત્ ૧૯૪૧ની સાલથી કૉન્ફરન્સે ‘જૈનધર્મ અને પ્રાકૃત ભાષા' નામે એક સ્વતંત્ર વિભાગ જ સ્થાપિત કર્યો છે, અને દરેક અધિવેશન વખતે એ વિભાગના, બીજા વિભાગોની જેમ, એક સ્વતંત્ર વિભાગીય પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. આ પ્રમાણે અત્યાર સુધીનાં છેલ્લાં ચાર અધિવેશનો દરમિયાન ચાર જૈન વિદ્વાનો આ વિભાગના પ્રમુખ બની ચૂક્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy