SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ જિનમાર્ગનું અનુશીલન આ બધા ધર્મોની સરખામણીમાં જૈનધર્મ અને જૈનસંસ્કૃતિનો પ્રચાર અલ્પ છે; અને તેનું પરિણામ તેના અનુયાયીઓની સંખ્યામાં તેમ જ અન્ય બાબતોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આજે એવો સમય આવી પહોંચ્યો છે, કે જૈનસંઘે પોતાનાં ઉપકારક સુંદર તત્ત્વોનો, સુંદર વસ્તુઓનો વ્યાપકપણે વ્યવસ્થિત પ્રચાર કરવો જોઈએ. તો જ જગતના લાખો મનુષ્યો જૈનધર્મ અને જૈન સંસ્કૃતિ તરફ આકર્ષાશે અને તેનાં પરિણામો તેઓના વ્યક્તિગત જીવન ઉપરાંત સંઘ, સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વના કલ્યાણ માટે પણ સારાં આવશે. પણ આ કરશે કોણ? આ દિશામાં જે ઊંડી સુસ્તી છે, શાસનલક્ષી જીવનની પ્રધાનતાને બદલે સ્વલક્ષી જીવનની પ્રધાનતા વ્યાપક બની છે, ત્યારે ઘેરી ચિંતા થાય તેવું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ સાધુમુખો જ રહીને જીવન જીવવા માગે છે. એટલે મોટા ભાગે કોઈપણ પ્રવૃત્તિની આગેવાની સાધુઓ લે તો જ કાર્ય થાય, તો જ કાર્ય આગળ ધપે; પણ જો એ ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ શરૂ ન થાય, શરૂ થાય તો આગળ ન વધે, કદાચ આગળ વધે તો સંગીનતા ન આવે ! આ ચિહનો જરા ય સારાં નથી. સાધુ તો, બહુ બહુ તો, પ્રારંભ કરાવે, પાયો નાખી દે. એ તો વિહારી છે, પછીની જવાબદારીઓ કાર્યકર્તાઓએ ઉપાડતી રહી. - “આજે જૈન અહિંસા અને જૈન તત્ત્વજ્ઞાનને સમજવાની જનતાને ખૂબ ભૂખ લાગી છે, ત્યારે શ્રીસંઘે કે સમાજે વહેલી તકે, વ્યવસ્થિત ઢબે લાભ ઉઠાવવાની ખૂબ જરૂર છે. બીજી એક વાત કહી દઉં કે ઇતરોના પ્રચારક ગ્રન્થો, કલાને લગતા પ્રથો જોઉં છું, ત્યારે એમ થાય છે કે આટલાં વરસો બાદ, કરોડો રૂપિયા જિનમંદિરો પાછળ ખરચ્યા, પણ સમગ્ર ભારતનાં જૈન તીર્થો, જૈન મૂર્તિઓ, ઐતિહાસિક અને અન્ય ભવ્ય જૈનમંદિરો જેવી કલાકૃતિઓનું એક પુસ્તક પણ ન મળે ! આ દેવી-તેવી શરમની વાત નથી. “મારે આ સંસ્થાના કાર્યકર્તાઓને કહેવાનું એ છે કે અમે તો આજે છીએ ને કાલે નહિ હોઈએ; રખે એવું માની બેસતા કે જેટલું હું કહું છું તેટલું હું એકલો કરી શકીશ. મારા વિચારો તો પરિસ્થિતિનો કેટલોક ખ્યાલ આપવા માટે અને કંઈક પ્રેરણા મળે તે માટે જણાવ્યા છે – તેને કોઈ સાકાર બનાવનાર નીકળી આવે તે સારુ. બાકી હું સાધુ છું, અમને અમારી મર્યાદાઓ છે.” મુનિવર્ય શ્રી યશોવિજયજીએ પોતાના આ વક્તવ્યમાં કેટલીય જરૂરી અને ધ્યાન આપવા જેવી વાતો કહી છે, તેમાં ય તેમણે પોતાના સાધુધર્મની મર્યાદાઓનો ખ્યાલ આપીને સંસ્થાની જવાબદારી કાર્યકર્તાઓએ ઉપાડી લેવાની અને આ કાર્યને સાકાર બનાવનારાઓ આગળ આવે એ અંગે જે વાત કરી છે, તે સંસ્થાના વિકાસ અને લાંબા ગાળાના હિતની દૃષ્ટિએ બિલકુલ સાચી છે. આપણા સંઘ કે સમાજની સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓનો ઇતિહાસ તપાસીશું, તો આપણને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy