SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪ ૩૩૫ જૈન કળાના ક્ષેત્રમાં ઉપર સૂચવ્યું તેવું કામ કરવા ઉપરાંત ખરેખરું કાર્ય તો છે આપણી ગ્રંથસ્થ ચિત્રકળાના ઉત્તમ નમૂનાઓને અને શિલ્પ-સ્થાપત્યમાં સચવાઈ રહેલી સજીવ કલાકૃતિઓને, દરેકનાં સમુચિત ઇતિહાસ, મૂલ્યાંકન અને વર્ણન સાથે, એના યથાર્થ રૂપમાં પ્રગટ કરવાનું. આ માટે અત્યારે એટલાં બધાં અસરકારક વૈજ્ઞાનિક સાધનો શોધાયાં છે, કે આપણે ઈચ્છીએ તો, આવી કલાકૃતિઓને આપણે એના હૂબહૂ સ્વરૂપમાં રજૂ કરી શકીએ. આ સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રમાં આ કાર્યનો પણ સમાવેશ કરેલો જ છે, એટલે અવશ્ય આશા રાખી શકાય કે આ દિશાની એની કામગીરી જરૂર વિશિષ્ટ જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારે એવી અને અત્યારના યુગની માગણીને અનુરૂપ હશે. આ સંસ્થાની સ્થાપનાના સમારોહમાં મુનિશ્રી યશોવિજયજીએ સંસ્થાનું કાર્યક્ષેત્ર, પ્રચારકાર્યની જરૂર તેમ જ એ પ્રત્યેની જૈનસંઘની ઉદાસીનતા અંગે પોતાની ભાવના તેમ જ વેદના વ્યક્ત કરતાં કહ્યું : “સંસ્થાનો કાર્યપ્રદેશ અત્યારે તો મર્યાદિત શબ્દોમાં જાહેર કર્યો છે; એમ છતાં, એનો સૂચિતાર્થ ઘણો વિશાળ છે. પરંતુ જાહેર કરેલા ઉદ્દેશને સંસ્થા ઠીકઠીક રીતે પહોંચી શકશે, તો વિશાળ ઉદ્દેશને અમલી બનાવવાની દિશામાં સંસ્થા ડગ ભરી શકશે. “અમારી એક ઇચ્છા એ છે કે સાત્ત્વિક અને ધર્મપોષક કલા પ્રત્યેની જે સામાજિક ઉપેક્ષા છે, ઉદાસીનતા છે અને અજ્ઞાન છે એમાં પલટો લાવવો. બીજી ઇચ્છા કલાનો ધર્મ સાથે સમન્વય સાધી, સંસ્કૃતિ અને કલાના આકર્ષક શબ્દોના ઓઠા નીચે જાહેર જનતાને અસંસ્કૃત, વિકૃત અને વાસનાપોષક – મનોરંજક નહિ પણ મનોભંજક – જે કંઈ પીરસાઈ રહ્યું છે તેથી જૈન જનતા બચે એ છે. “આ માટે જૈનોના ઘરેઘરે સુસંસ્કૃત, સંસ્કારપોષક, ધર્મપોષક પ્રતીકો, સાધનો અને સાહિત્ય પહોંચાડવું. આ તો જેનો પૂરતી વાત છે; પરંતુ જો તમારે અજૈન પ્રજા સુધી જૈન સંસ્કૃતિ અને જૈન કળાને પહોંચાડવી હોય તો આ માટે અનેક બળો કામે લગાડવાં પડશે. “હજુ આપણે ધર્મ-જ્ઞાનના પ્રચારની દિશામાં દીવાલો ઓળંગી શક્યા નથી. થોડીક પ્રગતિ દેખાઈ રહી છે, પણ હજુ ગણનાપાત્ર દેખાતી નથી. હજુ સુષુપ્ત છીએ. ક્રિશ્ચિયન ધર્મના પ્રચારને જોઉં છું, હમણાં હમણાં છેલ્લાં વીસ વરસથી બૌદ્ધ અને ઇસ્લામ પ્રચારને જોઉં છું, એમનાં વિવિધ ક્ષેત્રમાં સચિત્ર-અચિત્ર પ્રકાશનોને જોઉં છું, અને એની સામે આપણી પરિસ્થિતિ જોઉં છું, ત્યારે સંતાપ, વિષાદ અને શરમ અનુભવું જે સમાજ વિશાળ અને સમૃદ્ધ સાહિત્યનો ધરખમ અને નક્કર વારસો ધરાવે છે, જે સમાજ સંપત્તિ અને બુદ્ધિમાં સારું એવું સ્થાન ધરાવે છે, એ સમાજે શા માટે ધર્મ અને કલાના પ્રચાર તરફ ઉપેક્ષા દાખવવી જોઈએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy