SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪ જૈન સંસ્કૃતિએ પોતાના ધર્મક્ષેત્રને વ્યાપક, લોકપ્રિય અને સમૃદ્ધ બનાવવા માટે, છેક જૂના સમયથી વિવિધ પ્રકારની કળાઓને જે આવકાર અને આશ્રય આપ્યો છે, એનો ઇતિહાસ જેવો રોચક છે, એવો જ ગૌરવશાળી છે – અને આ ગૌરવ પણ કેવળ જૈન સંપ્રદાયનું જ નહીં, પણ સમગ્ર દેશનું અને જાગતિક સંસ્કૃતિનું પણ ગૌરવ બની શકે એવું વ્યાપક છે. અન્ય સંપ્રદાયોની જેમ જૈન સંપ્રદાયે પણ ભક્તિરસ કે ભક્તિયોગને પણ ધર્મસાધનામાં સ્થાન આપેલું હોવાને કારણે આપણે ત્યાં સંગીત વગેરે કળાઓને ધર્મનો સ્થિર આશ્રય મળ્યો છે. પણ જૈન સંસ્કૃતિએ કળાની દૃષ્ટિએ દેશ-વિદેશમાં જે નામના મેળવી છે તે મુખ્યત્વે એની ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યકળાને આભારી છે; તેમાં ય અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, છેલ્લાં દોઢસો વર્ષ દરમિયાન, પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓ તેમ જ કળાઓનો તથા પૂર્વ-પશ્ચિમના વિદ્વાનો અને કળા-વિશારદોનો જે સમાગમ થયો, ત્યાર પછી જૈનાશ્રિત ચિત્રકળા અને શિલ્પકળાએ સૌનું સવિશેષ ધ્યાન દોર્યું છે; અને હવે તો જૈન જ્ઞાનભંડારો અને જૈન મંદિરો તેમ જ તીર્થસ્થાનો કળાના ચાહકો અને ઉપાસકોને માટે વિશેષ અભ્યાસ, પ્રેરણા અને આકર્ષણનું ધામ બની ગયાં છે. એટલે અહિંસાપ્રધાન જૈનધર્મને અને કળાની પુરસ્કર્તા અને આશ્રયદાતા જૈન સંસ્કૃતિને વિશેષ લોકાભિમુખ બનાવવા માટે અને જૈનધર્મે ઉદ્બોધેલી વ્યાપક ધર્મભાવનાનો પ્રચાર કરવા માટે અત્યારનો યુગ ખૂબ અનુકૂળ અને સોનેરી કહી શકાય એવો છે. જૈન કળા પ્રત્યેની જનસમૂહની આવી ચાહના અને જૈન સંસ્કૃતિ અને કળાને એના યથાર્થ રૂપમાં ૨જૂ ક૨વાની સમયની માગણીની સામે, એ જુવાળનો લાભ લઈ લેવાની દૃષ્ટિએ, આ દિશામાં આપણા તરફથી જે કંઈ કામ થઈ રહ્યું છે, તે માત્ર ‘પાશેરામાં પહેલી પૂણી' જેટલું જ થયું છે. અલબત્ત, અત્યાર સુધીમાં જે અલ્પ-સ્વલ્પ કામ થયું છે, તેનાથી આપણને લાભ જ થયો છે. એટલે જૈનકળાના ક્ષેત્રને અનુલક્ષીને, વ્યાપક દૃષ્ટિએ અને એક સુસ્થિર વ્યવસ્થાતંત્ર રૂપે કામ કરતી સંસ્થાને ધોરણે – એવી સંસ્થાની રાહબરી નીચે – કામ શરૂ કરવામાં આવે એનો સમય ક્યારનો પાકી ગયો છે, અને હવે વિના વિલંબે આ કામ હાથ ધરવામાં આવે એની જરૂર છે. આ દૃષ્ટિએ તા. ૨૪-૧૧-૧૯૬૮ના રોજ મુંબઈમાં આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી આદિનાં સાંનિધ્ય અને આશીર્વાદથી, અને ખાસ કરીને મુખ્યત્વે આપણા જાણીતા સાહિત્ય-કલાપ્રેમી મુનિવર્યશ્રી યશોવિજયજીનાં પ્રે૨ણાં અને પ્રયત્નથી, ‘જૈન-સંસ્કૃતિ-કલા-કેન્દ્ર'ની સ્થાપના થઈ એ એક આવકારપાત્ર ઘટના ગણાય. Jain Education International 333 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy