SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ જિનમાર્ગનું અનુશીલન નથી; અને સંસ્કૃતના બીજા વિદ્વાનોએ એની સામે અવાજ સરખો ઉઠાવ્યો હોય એવું જાણવા મળ્યું નથી ! સંસ્કૃત વિદ્વાનોએ કરેલું આ પાપમય અકાર્ય એટલે સંસ્કૃત નાટકોના મહાકવિ કાલિદાસ વગેરે અનેક સર્જકોએ જ્યાં પોતાનાં નાટકોમાં નીચલી કક્ષાનાં પાત્રો દ્વારા બોલાતી ભાષામાં બધે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે, તેને સ્થાને આ નાટકોની આધુનિક આવૃત્તિઓના સંપાદક સંસ્કૃતિના અધ્યાપકોએ એ પ્રાકૃત સંભાષણની સંસ્કૃત છાયા મૂકીને પ્રાકૃત ભાષાને એમાંથી રૂખસદ આપી દીધી છે તે ! વિદ્યાસાધના જેવા પવિત્ર ક્ષેત્રમાં પણ આપણે કેટલું પતન થયું છે! અત્યારના સમગ્ર વિદ્યાગની તેમ જ જૈનસંઘની પણ પ્રાકૃતના દરેક કક્ષાના અભ્યાસ તરફ આવી ખફાદષ્ટિ પ્રવર્તતી હોય, એવી સ્થિતિમાં યુનિવર્સિટી-કક્ષાએ જૈનવિદ્યાના અધ્યયન-સંશોધનને પ્રોત્સાહન કેવી રીતે મળી શકે? પ્રાકૃત ભાષા અને સાહિત્ય એ તો જૈન સંસ્કૃતિ અને જૈન વિદ્યાના અભ્યાસનો પ્રાણ છે. આથી જો યુનિવર્સિટી-કક્ષાએ નવિદ્યાનું ઉચ્ચ અધ્યયન-સંશોધન ચાલતું રહે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો શાળા અને મહાશાળાની કક્ષાથી પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસની સળંગસૂત્રતા પ્રસ્થાપિત થાય એ માટે જૈનસંઘના વિદ્યાપ્રેમી શ્રેષ્ઠીઓ, મોવડીઓ અને વિદ્વાનોએ મન દઈને પ્રયત્ન કરવો જોઈએ. (તા. ૧૧-૧-૧૯૭૫) (૪) જૈનસંસ્કૃતિ-કલાકેન્દ્રની સ્થાપના વ્યાપક વર્તુળમાં જેમ ઊર્મિલતાને જગાડીને તેનું પોષણ-સંવર્ધન કરવામાં ભક્તિયોગ વિશેષ કારગત બની શકે છે, તેમ વિશાળ જનસમૂહને ધર્મના એટલે કે જીવનસુધારણાના માર્ગે વાળવામાં કળા પણ એવો જ અગત્યનો ભાગ ભજવી શકે છે – પછી એ કળા ભલે ને ચિત્ર, સંગીત, નૃત્ય, અભિનય કે શિલ્પ-સ્થાપત્ય એમ ગમે તે રૂપે અભિવ્યક્ત થઈ હોય; એમાં શરત એટલી કે એનું સ્વરૂપ વિલાસિતાને ભડકાવી મૂકે એવું વિકૃત નહીં, પણ સંસ્કારિતાને જગાડે એવું હૃદયસ્પર્શી, સૌમ્ય અને સુરુચિપૂર્ણ હોવું જોઈએ; મતલબ કે કળાની ખાતર કળા નહીં, પણ જીવનની ખાતર કળા હોવી જોઈએ. વળી, આ રીતે જીવન-ઘડતરનું અંગ બની રહેતી કળા એ ભક્તિયોગનું પણ એક અંગ બની શકે, અને આવી કળાના વિકાસમાં ક્યારેક એવો તબક્કો પણ આવે, જ્યારે ભક્તિ અને કળા એકરૂપ બની જાય. ધર્મસાધનામાં વિવિધ કળાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે, તે આ દૃષ્ટિએ જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy