SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૩ ૩૩૧ આથી, જૈનસંઘ અમુક-અમુક યુનિવર્સિટીઓમાં જૈનવિદ્યાના અધ્યયન માટેનું સ્વતંત્ર કેન્દ્ર ચલાવી શકાય એવી આર્થિક સહાય આપવા તૈયાર થાય તે પછી, સૌથી પહેલી મુશ્કેલી એ આવવાની કે આવાં અધ્યયનકેન્દ્રો સફળતાપૂર્વક ચલાવી શકે એવા વિદ્વાનો કેવી રીતે, ક્યાંથી મેળવવા? આવા વિદ્વાનો આપણે ત્યાં ઓછી સંખ્યામાં છે; અને તેમાં પણ વધારો નહીં, પણ ઘટાડો થતો જાય છે. તો પછી આવાં વિદ્યાકેન્દ્રો પોતાની કામગીરી કેવી રીતે કરી શકે ? પણ જૈન વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોના નવા વિદ્વાનો તૈયાર થતા ન હોય તો એમાં અભ્યાસીઓ કે બુદ્ધિશાળી વિદ્યાર્થીઓની એ ક્ષેત્ર તરફની ઉદાસીનતાને વિશેષ દોષ આપી શકાય એમ નથી. આ ઉદાસીનતારૂપ અનિષ્ટનું મૂળ કોલેજ-કક્ષાના અભ્યાસથી આગળ વધીને શાળાઓ(હાઈસ્કૂલોના અભ્યાસક્રમ સુધી આગળ વધેલું છે. એટલે આ ખામીને મૂળમાંથી દૂર કરવાનો સફળ પ્રયત્ન કરવામાં ન આવે, તો જૈનવિદ્યાનું ઉચ્ચ અધ્યયન છેક યુનિવર્સિટી-કક્ષા સુધી વિસ્તૃત થાય એવી અપેક્ષા ભાગ્યે જ રાખી શકાય; કારણ કે આ રીતે જૈનવિદ્યાના ક્ષેત્રમાં તૈયાર થનાર વિદ્વાનોને, આ વિદ્યાના અધ્યાપન માટે વ્યાવસાયિક ધોરણે સ્થાન મળી ન રહે, તો જૈન વિદ્યાના અધ્યયનસંશોધન તરફ વિદ્યાર્થીઓ ને આકર્ષાય તો એમને દોષપાત્ર કેવી રીતે લખી શકાય ? આનો અર્થ એ થયો, કે જો યુનિવર્સિટી-કક્ષાએ જેનવિદ્યાના ઉચ્ચ અધ્યયનનાં કેન્દ્રો સ્થપાય એમ આપણે સાચે જ ઇચ્છતા હોઈએ, તો એની શરૂઆત શાળા તથા મહાશાળા/કોલેજોની કક્ષાથી થવી જોઈએ. આથી ઊલટું, છેલ્લા દાયકાઓ દરમિયાન વિશેષ શોચનીય સ્થિતિ તો એ થઈ ગઈ છે કે પહેલાં શાળા અને મહાશાળાના ધોરણે, જૈન સંસ્કૃતિ અને વિદ્યાના દરેક કક્ષાના અધ્યયનના રાજમાર્ગરૂપ, પ્રાકૃતભાષા અને સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવતો હતો તે મોટા ભાગે બંધ થઈ ગયો છે. આમ થવામાં બીજા કારણોની સાથેસાથે ટૂંકી આર્થિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એ માટે કોને શું કહીએ? એક તરફ, જૈન વિદ્યાના ઉચ્ચ અધ્યયનને પ્રોત્સાહન મળે એ માટે પ્રાકૃતઅર્ધમાગધી ભાષા અને સાહિત્યના અભ્યાસને દરેક કક્ષાએ સજીવન કરવાની ખૂબ જરૂર છે, ત્યારે બીજી તરફ, જાણે સંસ્કૃતના અધ્યાપકોએ પ્રાકૃતના અધ્યયનને સમૂળગું ઉખેડી નાખવાનું કાવતરું રચ્યું હોય એમ, શાળા-મહાશાળાઓમાં પ્રાકૃતના અભ્યાસ અને અભ્યાસીને કોઈ જાતનું પ્રોત્સાહન આપવામાં આવતું નથીએટલું જ નહીં, કોઈ સ્વયં પ્રેરણાથી આવો ઉત્સાહ દાખવે તો એને ભાંગી નાખવામાં આવે છે. પણ પ્રાકૃત ભાષાના અભ્યાસને જાકારો આપવા માટે જાણે આટલું બસ ન હોય, એમ કૉલેજકક્ષાના સંસ્કૃતના વિદ્વાનો સાહિત્ય જગતમાં ગુનાહિત અકાર્ય કરતાં પણ અચકાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy