SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન કારણે. વળી જ્યારે શાસ્ત્રનું અધ્યયન અથવા અવલોકન પોતાના મત કે મમતને પુરવાર કરવાની એકાંગી દૃષ્ટિએ થવા લાગે છે, ત્યારે પણ એનું હાર્દ ચૂકી જવાય છે, અને અર્થ વગરના શબ્દોનું ખોખું હાથમાં આવે છે. આવા એકાંગી શાસ્ત્રાધ્યયનને કારણે જૈનસંઘે અંદરોઅંદર ખૂબ સાઠમારી કરી છે. પણ હવે આવા ભારે ખોટના માર્ગેથી પાછા ફરીને શાસ્ત્રાભ્યાસ માટે કોઈક નક્કર યોજના ઘડી કાઢીને એનો દૃઢતાથી અમલ ક૨વાની જરૂર છે. ૩૪ આ યોજના કેવી હોઈ શકે, એનો અમલ કેવી રીતે કરી શકાય એની વિગતવાર ચર્ચા કરવાનું આ સ્થાન નથી; છતાં એ અંગે કેટલીક વિચારણા રજૂ કરવી ઇષ્ટ છે. જેમાં તીર્થંકર ભગવાનના ઉપદેશો-આદેશો સંગ્રહાઈને અત્યાર સુધી સચવાઈ રહ્યા છે તે આપણા આગમગ્રંથોને ચાર અનુયોગમાં વહેંચવામાં આવ્યા છે : દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ. આ ચારે અનુયોગોના અધ્યયન-પરિશીલનની પહેલી જરૂ૨ ગણાય. પણ એ પહેલાં એના પ્રવેશદ્વારરૂપ અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષાના પદ્ધતિસરના બોધની સૌથી મોટી જરૂર છે. અર્ધમાગધી પ્રકારની પ્રાકૃત ભાષા એ આપણા આગમગ્રંથોનો પ્રાણ છે. પણ આજે તેના અધ્યયનની પરંપરા સાધુ-સાધ્વીઓમાંથી સાવ ઓછી થઈ ગઈ છે. એ ભાષા જાણે પરાઈ હોય એવું ઉપેક્ષાભર્યું આપણું વલણ છે. જો જૈનો અર્ધમાગધી પ્રત્યે આવા ઉદાસીન હોય, તો બીજાઓ એનું અધ્યયન કરે અથવા કૉલેજો અને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એને સ્થાન મળે એવી અપેક્ષા આપણે કેવી રીતે રાખી શકીએ ? એટલે સાધુ-સાધ્વીઓના શાસ્ત્રાધ્યયનમાં અર્ધમાગધી ભાષાનો વ્યાકરણશુદ્ધ બોધ અનિવાર્ય અંગ હોવું જોઈએ. વળી, પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષાના જ્ઞાનને આધારે જ બરોબર જાણી શકાય એ પણ ધ્યાનમાં રહે. અર્ધમાગધીના બોધની સાથે કે એની પછી, પ્રકરણ-ગ્રંથોના અધ્યયનને સ્થાન મળવું જોઈએ, અને તે પછી સુબોધતા અને દુર્બોધતાના ક્રમ મુજબ આગમગ્રંથોના તેમ જ અન્ય શાસ્ત્રગ્રંથોના અધ્યયનની વ્યવસ્થા થવી જોઈએ. આવા વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસને માટે બે બાબતોની ગોઠવણ થવી જોઈએ : એક તો આવા શાસ્ત્રાભ્યાસનાં જુદેજુદે સ્થળે ખાસ કેન્દ્રો ઊભાં થવાં જોઈએ, અને ત્યાં સાધુ-સાધ્વીઓના વ્યવસ્થિત અધ્યયનને માટે અધ્યાપકોની તથા રહેવા વગેરેની પૂરી સગવડ થવી જોઈએ, જેથી તેઓ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જુદાજુદા શાસ્ત્રીય વિષયોનું અધ્યયન નિાંતે કરી શકે. આવું અધ્યયન વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ માટે કક્ષાવાર અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લઈને તેમાં ઉત્તીર્ણ થનારને પદવી આપવાની ગોઠવણ પણ કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy