SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૨ ઉદ્બોધ્યું છે; “ષદર્શન જિન અંગ ભણીજે'' (જિનેશ્વરના દર્શન કે પ્રવચનમાં છ યે દર્શનોનો સમાવેશ થઈ જાય છે) એમ જે કહ્યું, તેનો ભાવ આ જ છે. મહાતાર્કિક આચાર્ય સિદ્ધસેન દિવાકરે એમના સન્મતિપ્રકરણ' ગ્રંથમાં “બધાં ય મિથ્યાદર્શનોનો જેમાં સમાવેશ થઈ જાય છે, એવા અમૃતના સારરૂપ જિનશાસનનું કલ્યાણ થાઓ.' એમ કહીને જૈનધર્મની સર્વસંગ્રાહક દૃષ્ટિ અને વ્યાપક ભાવનાનો જે મહિમા વર્ણવ્યો છે તે હંમેશા દૃષ્ટિ સમક્ષ રાખવા જેવો છે. જે ધર્મગુરુ જૈનદર્શનની આવી ઉદાર દૃષ્ટિને સમજતા હોય, એમનું શાસ્ત્રાધ્યયન પણ એવું જ ઉદાર અને વ્યાપક બનવાનું. ધર્મશાસ્ત્રોનું આવી ઉદાર અને વ્યાપક દૃષ્ટિએ અધ્યયન કરવામાં આવે તો જ જીવનમાં સમતા અને જીવમાત્ર સાથે મિત્રતા કેળવવાની ભાવના પ્રગટે. છેવટે તો ધર્મશાસ્ત્રોના પરિશીલનનો હેતુ જીવનમાં ધર્મને જાગૃત કરવાનો અને જીવનને ધર્મમય – અહિંસા, કરુણા, સત્ય, સમતાથી પરિપૂર્ણ – બનાવવાનો જ છે. આપણા વર્તમાન સાધુ-સાધ્વીસમુદાયમાં ધર્મશાસ્ત્રોનું આવું અધ્યયન-અધ્યાપન કેટલા પ્રમાણમાં થાય છે એનો વિચાર કરવાની ખાસ જરૂર છે. અલબત્ત, અમુક સાધુ કે સાધ્વીઓ અત્યારે પણ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કરનારાં મળી જ આવવાનાં; પણ એમાં ય અન્ય ધર્મશાસ્ત્રો પ્રત્યે સમભાવપૂર્ણ અભ્યાસ-દૃષ્ટિ કેળવીને પોતાનાં ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરનારાં તો વિરલ. તે સિવાયનાં સાધુ-સાધ્વીઓમાં તો જ્યાં પોતાનાં ધર્મશાસ્ત્રોનું જ અધ્યયન-ચિંતન-મનન સાવ ઉપરછલ્લું કે નહિવત્ હોય, ત્યાં ઇતર ધર્મશાસ્ત્રોના અધ્યયનની તો વાત જ કયાં ? સાધુ-સાધ્વીઓના શાસ્ત્રાભ્યાસના પ્રમાણનો જો અત્યારે સાચો આંક આપણે મેળવી શકીએ, તો નિરાશા સાંપડે. આ સ્થિતિ સત્વર સુધારો માગે છે. ધર્મશાસ્ત્રોના વિશાળ અધ્યયન વગર પણ જો ધર્મની સાચી સમજણ જીવનમાં પ્રગટી શકતી હોત તો પછી ધર્મશાસ્ત્રોનો કોઈ ખાસ ઉપયોગ જ ન રહેત. જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: (જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ) પઢમં નાળું તો વા (પ્રથમ જ્ઞાન, પછી દયા) એવાં વચનો પણ નકામાં બની જાય. પણ તાત્ત્વિક રીતે, ધર્મશાસ્ત્રો ધર્મ સમજવામાં અને એનું પાલન કરવામાં અનિવાર્ય છે. આ સ્થિતિમાં પણ જો શાસ્ત્રાભ્યાસ પ્રત્યે બેદરકારી સેવવામાં આવે, તો તે કેવળ પોતાની જાતના અને જનસમૂહના હિતના ભોગે જ. આવા ઊંડા શાસ્ત્રીય અધ્યયનના અભાવમાં જ વ્યક્તિ અને સંઘ બંનેમાં અહંકાર, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સત્યવિમુખતા ફેલાય છે, અને આત્મોત્કર્ષનો સમૂળગો માર્ગ જ અવરાઈ જાય છે. શાસનમાં કે સંઘમાં ધર્મના પવિત્ર નામે ઠૂંસાતૂંસી, કદાગ્રહ, મમત, ઈર્ષ્યા, દ્વેષ અને ક્લેશનું વિષ ફેલાય છે, તે પણ આવા ગુણવૃદ્ધિસાધક શાસ્ત્રાભ્યાસના અભાવને Jain Education International ૩૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy