SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જિનમાર્ગનું અનુશીલન ઉન્નત થવાના બદલે નીચી ઊતરી ગઈ છે; એટલું જ નહીં, ખુદ સાધુસમુદાયના જ્ઞાનનું ઊંડાણ પણ ઓછું થતું ગયું છે. અને આપણા ઉત્તમ સાહિત્યને જગા ચોકમાં જે શોષાવું પડ્યું છે એની તો વાત જ શી કરવી ? આમ કરવાથી જૈન સાધુસમુદાય, જૈન આમ-સમાજ અને સમગ્ર જૈન સાહિત્યને ભારે હાનિ પહોંચી છે એ વાત કડવી છતાં સત્ય છે. ખરેખર તો આપણાં પંડિતરત્નોની કદર કરવાથી આપણી શ્રદ્ધા શિથિલ થવાના બદલે એમાંથી અંધપણાનો કચરો દૂર ચાલ્યો જવાથી એ વધુ સ્થિર અને તેજસ્વી જ બનત એ આપણે સમજવું જોઈતું હતું. આપણા મુનિવરોને અમે વિનવીએ છીએ કે સમાજમાં આપના પ્રત્યે આવી અંધશ્રદ્ધા અને પંડિતો પ્રત્યેની આવી અંધ અશ્રદ્ધા એ બંને તત્ત્વો સમાજને પીછેહઠ કરાવનારાં હોવાથી એના બદલે સાચી શ્રદ્ધા અને જ્ઞાનની પ્રતિષ્ઠા થવી જરૂરી છે. (તા. ૪-૭-૧૯૫૩) (૨) શાસ્ત્રાભ્યાસની યોજનાની જરૂર સામાન્ય માનવીને માટે ધર્મને જાણવાનું મુખ્ય સાધન ધર્મગુરુઓ છે. ધર્મગ્રંથોનું પરિશીલન પણ એમાં અવશ્ય ઉપયોગી થાય છે; પણ ધર્મગ્રંથો સુધી સીધેસીધા (કે કોઈની સહાયથી પણ) પહોંચી જવું સામાન્ય માનવીને માટે સરળ નથી. બીજી બાજુ ધર્મગુરુઓને માટે ધર્મને જાણવાનું મુખ્ય સાધન ધર્મશાસ્ત્રો જ છે; અલબત્ત, એમાં ગુરુની સહાયતા અવશ્ય બહુ ઉપયોગી થઈ રહે છે. પણ છેવટે તો ધર્મશાસ્ત્રોનું વ્યાપક અને ઊંડું અવગાહન એ જ એમને માટે ધર્મને -- ધર્મના આચરણરૂપ વિધિનિષેધોને અને ધર્માચરણના પાયારૂપ તત્ત્વજ્ઞાનને – જાણવાનું મુખ્ય સાધન છે. ધર્મશાસ્ત્રોના આવા તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન-પરિશીલનમાં પોતાના ધર્મના ધર્મશાસ્ત્રોનો સમાવેશ તો થાય જ છે; પણ સાથે-સાથે અન્ય ધર્મનાં શાસ્ત્રોનું તટસ્થ, સત્યશોધક અને જિજ્ઞાસુ બુદ્ધિથી જેટલા પ્રમાણમાં અધ્યયન-અધ્યાપન-પરિશીલન ક૨વામાં આવે તેટલા પ્રમાણમાં પોતાનાં ધર્મશાસ્ત્રોનો બોધ વિશદ થતો જાય છે અને અન્ય ધર્મોને પણ સમજી શકાય છે. વળી જૈનદર્શને તો અનેકાંતવાદ કે સ્યાદ્વાદ જેવી સત્યશોધક અને ગુણગ્રાહક પદ્ધતિની શોધ કરીને પોતાનો ધર્મ કે પારકો ધર્મ અથવા પોતાનાં શાસ્ત્રો કે પારકાનાં શાસ્ત્રો એવો કોઈ ભેદ સ્વીકાર્યા વગર, જ્યાંથી મળે ત્યાંથી સત્યનો સ્વીકાર કરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy