SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જન-વિધાધ્યયન : ૧ ૩૨૧ આપણા સમાજની દૃષ્ટિએ તો આપણા મહાન પંડિતો આપણને નાસ્તિક અને મનસ્વી લાગે છે; પછી તેઓની કદર કરવાની કે તેઓને માન આપવાની વાત જ ક્યાં રહી? દિગંબર સંપ્રદાય તેમના પંડિતોને પચાવવા સફળતાપૂર્વક શક્તિમાનું થયેલ છે, ત્યારે કોઈ અગમ્ય કારણોથી આપણે આપણા પંડિતોને સમજી શક્યા નથી, અગર તો આવા યોગ્ય પંડિતોનો લાભ ઉઠાવવા માટે આપણે લાયકાત કેળવી શક્યા નથી. આ માટેનાં કારણો શોધી કાઢવાં, અને તેમાં સુધારો થાય તેવાં પગલાં લેવાં એ આવી ધાર્મિક સંસ્થાઓનું કર્તવ્ય છે.” શ્રી મનસુખલાલભાઈએ એક દુઃખદાયક વાતનું સાચું દર્શન કરાવ્યું છે. અત્યાર લગી આવી સ્થિતિને નભાવી વિદ્યાવિકાસ અર્થે ઉચ્ચ કોટીના વિદ્વાનો મોટી સંખ્યામાં તૈયાર કરવાના ક્ષેત્રમાં તેમ જ ઉચ્ચ કોટિનું નવું સાહિત્ય તૈયાર કરવાના ક્ષેત્રમાં આપણે ભારે નુકસાન થવા દીધું છે. પરિણામે, જ્ઞાનનો ઉત્તમ વારસો આપણી પાસે હયાત હોવા છતાં, આપણે જ્ઞાનના ક્ષેત્રમાં પછાત જ રહ્યા છીએ. આમ થવાનું કારણ શું? જૈનધર્મમાં જ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવેલો હોવા છતાં, જ્ઞાનીનો આદર કરવાનું ભારપૂર્વક ઠેરઠેર કહેવામાં આવેલું હોવા છતાં અને જ્ઞાન નિમિત્તે આપણે ધનનો વ્યય પણ ઠીકઠીક કરતા હોવા છતાં, આપણે આપણા વિદ્વાનો પ્રત્યે કેમ આદર વગરના રહ્યા છીએ એ સવાલ જરૂર વિચારવા જેવો છે. શ્રી મનસુખભાઈએ આ અંગે બોલતાં કહ્યું છે કે “કોઈ અગમ્ય કારણોથી આપણે આપણા પંડિતોને સમજી શક્યા નથી.” તેમણે આ કારણોનો સ્ફોટ ન કરતાં એને “અગમ્ય કારણો' કહીને પોતાની વાત મોઘમ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આ “અગમ્ય કારણ' શાં હોઈ શકે એ સંબંધી કંઈક વિચાર કરવા જ અમે આ નોંધ જરૂરી લેખી છે. આપણા સ્વતંત્ર વિચારકો અને મૌલિક વિદ્વાનો પ્રત્યેની આપણી અનાદરવૃત્તિનું કારણ અમને તો એ જ લાગે છે, કે એક દિશા તરફની જૈન સમાજની અંધશ્રદ્ધામાંથી બીજી દિશા તરફ એને જે અંધ અશ્રદ્ધા જન્મી, એને કારણે જ પોતાનાં વિદ્વદ્રરત્નોની કદર કરવામાં અને તેમને સન્માનવામાં નિષ્ફળ ગયેલ છે. આ વાત જરા વધુ સ્પષ્ટતાથી કહેવી હોય તો એમ કહી શકાય કે “બાબાવાકય પ્રમાણ' જેવી સાધુસમુદાય પ્રત્યેની અંધશ્રદ્ધા આપણા સમાજના મોટા ભાગના દિલમાં વ્યાપી ગઈ. તેના પડઘારૂપે સમાજના દિલમાં એક એવી અંધ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ કે સાધુવર્ગ સિવાયના બીજા વિચારક પંડિતો જે કંઈ કહે તે ધર્મને નુકસન કરનારું કે શ્રદ્ધાને શિથિલ કરનારું જ નીવડે ! આપણા સાધુસમાજે સામાન્ય જનસમૂહના દિલમાં અંધ અશ્રદ્ધાનું નિરંતર પોષણ કરતાં રહીને જૈન સંસ્કૃતિનું તેજ ઓછું કર્યું છે એમ દુઃખ સાથે કહ્યા વગર ચાલતું નથી. આમ થવાથી આખા સમાજની જ્ઞાનની ભૂમિકા Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy