SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિધાધ્યયન (૧) વિદ્વાનો પ્રત્યેની અંધ અશ્રદ્ધા ગયા મહિને ૭મી જૂનના રોજ મુંબઈમાં ઘાટકોપર મુકામે ભરાયેલ પાઠશાળાપરિષદના પ્રથમ અધિવેશનના ઉપપ્રમુખ તરીકે શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ જે ભાષણ આપ્યું હતું, તે તરફ જૈન સમાજનું ધ્યાન દોરીને એ મનનપૂર્વક વાંચવા સહુ ધાર્મિક-શિક્ષણપ્રેમીઓને ભારપૂર્વક વિનવીએ છીએ. આ ભાષણમાં અત્યારના સમયે ધાર્મિક શિક્ષણ અંગે જે અનેક પ્રશ્નો સામાન્ય જનતાના દિલમાં પેદા કર્યા છે, તેની તલસ્પર્શી રીતે નૂતન દૃષ્ટિએ છણાવટ કરવામાં આવી છે એ આ ભાષણની ધ્યાનપાત્ર વિશેષતા છે. જે સવાલો આજે અનેક વિચારવાનું વ્યક્તિઓના દિલમાં ધાર્મિક શિક્ષણ સંબંધમાં ઘોળાઈ રહ્યા છે અને જે વિચારોને જબાન કે કલમ ઉપર લાવતાં ઘણાખરાને સંકોચ થાય છે, એ વિચારો ઠીકઠીક સ્પષ્ટતાથી એમાં રજૂ કરાયા છે; તેથી એનું મૂલ્ય વધી જાય છે. આવા નિખાલસ અને માર્ગદર્શક વિચારો રજૂ કરવા બદલ શ્રી મનસુખલાલભાઈને ધન્યવાદ ઘટે છે. આ ભાષણમાં શ્રી મનસુખલાલભાઈએ બીજાબીજા પ્રશ્નોની સાથે આપણા પંડિતો પ્રત્યેના જે સમાજના બેદરકારીભર્યા વર્તન અંગે જે ટકોર કરી છે, તે અત્યારના તબક્કે અમને ખાસ ધ્યાન આપવા જેવી લાગી છે. તેઓએ કહેલું : ગઈ કાલે શ્રી મોતીલાલભાઈએ દિગમ્બર સંપ્રદાયના પંડિતો અને વિદ્યાર્થીઓની વાત આપણી સમક્ષ કરેલી. મને લાગે છે કે તેઓએ જે કહ્યું છે તે સત્ય છે, પરંતુ તે પૂર્ણ સત્ય નથી. દિગંબર સંપ્રદાયના પંડિતોને બાજુએ મૂકી દે તેવા એક નહીં પણ અનેક પંડિતો આપણે ત્યાં હતા અને છે, પણ જૈન સમાજ તેઓની કદર કરવામાં નિષ્ફળ ગયો છે. પ્રાકૃત ભાષાનો કોશ સ્વ. પંડિત હરગોવિંદદાસભાઈએ તૈયાર કર્યો છે. આવો જ કોશ યુરોપના કોઈ પંડિતે તૈયાર કર્યો હોત તો તે દેશની પ્રજાએ તે માટે તેને મોટું માન આપ્યું હોત. પરંતુ આપણે માત્ર ગુણગાન જ ગાવામાં સમર્થ છીએ – તે પણ આવાં મહાન કાર્યો કરી જનાર જ્યારે વિદાય લઈ બીજી દુનિયાને માર્ગે પડે છે ત્યારે; તે પહેલાં તો નહીં જ ! ગૂજરાત વિદ્યાપીઠ, કલકત્તા યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી આપણા પંડિતોની કદર કરી શકે છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy