SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૨, ૩ ૩૨૫ સાધુ-સાધ્વી-સમુદાયમાં પરીક્ષા આપવાની પદ્ધતિ, બહુ જ ઓછા અપવાદને બાદ કરતાં, અસ્તિત્વમાં જ નથી એમ કહી શકાય. પણ હવે સમય એવો આવી લાગ્યો છે કે જ્યારે ધર્મશાસ્ત્રોના અને અન્ય વિદ્યાઓના) સુવ્યવસ્થિત બોધ વગર ધર્મગુરુઓ - પોતાનો પ્રભાવ ટકાવી શકવાના નથી. વિજ્ઞાનયુગમાં ઊછરતી અને શાળા-મહાશાળાવિશ્વવિદ્યાલયોમાં વિજ્ઞાનનું શિક્ષણ પામતી નવી પેઢીને ગમે તેમ કરીને ચૂપ કરી દઈ શકાય એ દિવસો હવે વહી ગયા છે. જે ધર્મગુરુ કે ધર્મગુરુણી રવ અને પર ધર્મશાસ્ત્રોનું વ્યાપક જ્ઞાન ધરાવતાં હશે, એમનો પ્રભાવ આપમેળે જ વિસ્તરશે; ખરેખર, વ્યાપક ધર્મજિજ્ઞાસાનો આ સુંદર યુગ છે. વળી અહિંસા અને વિશ્વશાંતિના ધ્યેયને વરેલ જૈનધર્મ માટે તો પોતાનો સાચો મહિમા વધારવાનો આ અનુપમ યુગ છે. પરીક્ષા પ્રત્યેની સાધુ-સાધ્વીઓની અરુચિ કે ઉપેક્ષાવૃત્તિને દૂર કરવાનો સમય પાકી ગયો છે. જૈન શાસ્ત્રોને અને આગળ ચાલીને ઇતર ધર્મશાસ્ત્રોને અનુલક્ષીને વિવિધ વિષયોના જુદીજુદી કક્ષાના અભ્યાસક્રમો યોજીને અને એની વ્યવસ્થિત પરીક્ષાઓ લઈને એમાં ઉત્તીર્ણ થનાર સાધુ-સાધ્વીઓને પદવીઓ આપવાનું યોજવું જોઈએ. (સ્થાનકવાસી ફિરકામાં “પાથરડી બોર્ડ તરફથી આવી પરીક્ષાઓ લેવામાં આવે છે.) આ માટે વિદ્વાન આચાર્યોની રાહબરી નીચે એક પરીક્ષા-બોર્ડ જેવી સંસ્થા સ્થાપી શકાય તો આ કામ જલદી ચાલુ થઈ સારી રીતે આગળ વધી શકે. જૈનસાહિત્યનો ભંડાર બહુ વિપુલ છે; પણ વ્યવસ્થિત અધ્યયનને અભાવે એના બોધની વાત તો દૂર રહી, એની માહિતીથી પણ આપણે વંચિત રહી જઈએ છીએ! વળી, આપણે ત્યાં મુનિરાજોને માત્ર તપપ્રધાન-ક્રિયાપ્રધાન જ યોગોદ્વહન દ્વારા ગણી, પંન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવીઓ અપાય છે. એ પદવીઓનું ગૌરવ સ્થાપવા માટે યોગોદ્વહનમાં અમુક શાસ્ત્રાભ્યાસને અનિવાર્ય બનાવવાની જરૂર છે. આના અભાવમાં અત્યારે આચાર્યપદ એકંદરે કેટલું નિસ્તેજ બની ગયું છે ! - (તા. ૯-૭-૧૯૬૬) (૩) જૈન-ચેર' સંબંધી વિચારણા જૈન આચાર કે જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતા કોઈ પણ પ્રાચીન ગ્રંથનું મહત્ત્વ એના મુખ્ય વિષયની દૃષ્ટિએ તો સૌ કોઈ સ્વીકારે જ છે; પણ હવે તો સમાજશાસ્ત્રીને માટે એમાં સચવાયેલ તે સમયની સમાજરચનાનું પ્રતિબિંબ પાડતી સામગ્રીની દૃષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy