SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૪ ૧૧ “સંકટના વખતમાં તત્ત્વજ્ઞાનના મારા તલસ્પર્શી સંપર્કે મને સહારો આપ્યો હતો. મારે કબૂલ કરવું જોઈએ, કે ધર્મને લગતા ઘણાખરા વિચારો અને ભારતીય તત્ત્વજ્ઞાન – ખાસ કરીને સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના તત્ત્વજ્ઞાન – ના અભ્યાસમાંથી મળ્યા છે. છેલ્લાં થોડાંક વર્ષ દરમિયાન ધર્મે મારા મન ઉપર ઘેરો પ્રભાવ પાડ્યો હતો, અને એને લીધે મારામાં મોટું પરિવર્તન થયું હતું. છેવટે ૧૯૬૨ના મે મહિનામાં મેં મોસ્કોમાં રશિયાના ઓર્થોડોક્સ ચર્ચની સંસ્કાર-દીક્ષા લીધી. મારાં માતા-પિતા અને પૂર્વજો એ ધર્મને જ માનતા હતાં. મેં ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો એ ઘટના મારા માટે અંધ માનવીને ચક્ષુનો પ્રકાશ લાધે એના જેવી હતી. એક દિવસ એ માનવીનાં નેત્રો ઉઘાડે છે અને એ માનવી વિશ્વનાં, ગગનનાં પક્ષીઓનાં, વૃક્ષોનાં દર્શન કરે છે! ધર્મ અને સામ્યવાદ સાથોસાથ ટકી શકે એમ હું માનતી નથી.” જ દેશે ધર્મ તો ભાન ભુલાવનાર કેફ છે (Religion is opium) એવી દૃષ્ટિને ખૂબ-ખૂબ મહત્ત્વ આપીને ધર્મને અને ઈશ્વરને એક પ્રકારનો જાકારો આપ્યો હતો, એ દેશના સરમુખત્યારની પુત્રીના મુખથી ધર્મનો અને પરમેશ્વરનો મહિમા વર્ણવતા આવા ઉદ્ગારો સાંભળીને આપણને કે કોઈ પણ ધર્મપ્રેમી વ્યક્તિને હર્ષ થાય એ સ્વાભાવિક છે; પણ એટલું પૂરતું નથી. ધર્મનો અને પરમેશ્વરનો આવો મહિમા સાંભળ્યાનો સાચો ઉપયોગ તો એ જ ગણાય કે આપણે ધર્મને નામે ધમભાસ જેવી પ્રવૃત્તિઓ ચલાવતા હોઈએ, ધર્મના નામની અનેક ક્રિયાઓ અને વાતો કરવા છતાં ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે વ્યક્ત થતી જીવનશુદ્ધિથી દૂર ને દૂર જ રહેતા હોઈએ, અને છતાં પોતાની જાતને ધર્મી ગણાવવાના અભિમાનમાં રાચતા હોઈએ – એ બધાથી મુક્ત બનીને ધર્મના સાચા ઉપાસક બનવા પ્રયત્નશીલ બનીએ. પોતાને મળેલ ઈશ્વરશ્રદ્ધા અને ધર્મભાવનાના બળે જ સ્વંતલાનાએ જાહેર કર્યું – મારાં સંસ્મરણો લખતાં મને અહીં જે કંઈ કમાણી થશે તેમાંથી સારી એવી રકમ હું મારા સ્વર્ગસ્થ પતિ બ્રજેશસિંગના સ્મરણ નિમિત્તે, એમના (ભારતમાં ઉત્તપ્રદેશમાં આવેલ) જન્મસ્થાન કાલાકંકર ગામના લોકો માટે એક ફંડની સ્થાપના કરવા માટે આપવાની છું.” અંતમાં પરમેશ્વરના મહિમાનું પુનરુચ્ચારણ કરતાં સ્વંતલાનાએ ભાવપૂર્વક કહ્યું : પરમેશ્વર એ તો જીવનની અને ન્યાયની શક્તિ છે. આવી પરમેશ્વર-શ્રદ્ધા અને ધર્મશ્રદ્ધાનું સ્વાગત હો!” (તા. ૨૪-૬-૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy