SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જિનમાર્ગનું અનુશીલના માનવી જોઈ શકે તો કુદરતની આ કરામત વિશ્વમાં બધે વ્યાપેલી છે. જે રશિયન સરમુખત્યારના રોમરોમમાં ધર્મ અને ઈશ્વર પ્રત્યે ઉત્કટ તિરસ્કાર ઊભરાતો હતો, તે સ્ટેલિનની પુત્રી સ્વંતલાનાના અંતરમાં જ ધર્મ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાનો પ્રાદુર્ભાવ થયો એ કુદરતની આવી કરામત નહીં તો બીજું શું કહેવાય? ભારતના એક સામ્યવાદી નવજુવાન બ્રજેશસિંગને રશિયામાં જ ફરી વાર પરણીને ટૂંક વખતમાં જ ફરી વાર વિધવા બનેલી સ્ટેલીનની ૪૨ વર્ષની પુત્રી સ્વંતલાના છેલ્લા ચાર-પાંચ મહિનામાં વિશ્વભરની જગબત્રીશીએ ઠીક-ઠીક ચડી ચૂકી છે ! છેલ્લા બે-એક મહિનાથી એ અમેરિકા પહોંચી ગઈ છે. પણ એની એ દુઃખ-વેદનાભરેલી કથાને મૂંગી રહેવા દઈએ, અને એણે પોતાના સ્વમુખે ધર્મમાં અને ઈશ્વરમાં જે આસ્થા દર્શાવી એને જ સમજવા પ્રયત્ન કરીએ. એણે પોતાના પહેલાંના સંતાનને સંભારીને, ઈશ્વરનું નામ લઈને, અમેરિકા પહોંચીને ગત એપ્રિલ માસનાં છેલ્લા અઠવાડિયામાં) અખબારનવેશોને કહેલું : મારે એક દીકરો અને એક દીકરી છે. મારાં એ સંતાનો મોસ્કોમાં છે એ વાત હું વીસરી શકતી નથી.... પરમેશ્વર એમને સહાય કરે ! હું જાણું છું કે તેઓ મારો ઈન્કાર નહીં કરે, અને એક દિવસ અમે અવશ્ય મળવાનાં છીએ – મારી એ ઝંખના છે.” એક રશિયન માંધાતાની પુત્રીના મુખેથી પરમેશ્વરનું નામ સાંભળવું અને એના હૃદયમાં આ રીતે શ્રદ્ધાભર્યો પરમેશ્વરનો વાસ હોવો એ બીના પરમેશ્વરની અને ધર્મની સનાતનતા, ઉપયોગિતા અને પરમ ઉપકારકતાની પ્રશસ્તિ બની રહે એવી છે. ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવતાં સ્વંતલાનાએ લાણીભીના સ્વરે કહ્યું: “છેક બચપણથી જ મને સામ્યવાદનું શિક્ષણ આપવામાં આવ્યું અને મને એમાં આસ્થા હતી. પણ જેમ-જેમ ઉંમર અને અનુભવ વધતાં ગયાં, એમ-એમ હું અને બીજાંઓ અમારી પોતાની જાતનો પણ વિચાર કરવા લાગ્યાં હતાં. મારામાં પરિવર્તન આણવામાં ધર્મે પણ ઘણો ફાળો આપ્યો છે. મારો ઉછેર એવા કુટુંબમાં થયો હતો કે જ્યાં પરમેશ્વર-સંબંધી વાતને કયારેય અવકાશ ન હતો. પણ જ્યારે હું ઉંમરલાયક થઈ, ત્યારે મને પ્રતીતિ થઈ કે હૃદયમાં પરમેશ્વરની પ્રતિષ્ઠા કર્યા વગર ટકી રહેવું અશકય છે. કોઈની સહાય કે કોઈના ઉપદેશ વગર મારી પોતાની મેળે જ હું આ નિર્ણય ઉપર પહોંચી હતી.” સંકટનો સામનો કરવામાં ધર્મે પોતાને કેવો સહારો આપ્યો, અને એ ધર્મભાવના પોતામાં કેવી રીતે પ્રગટી એ અંગે એણે અમેરિકામાં કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy