SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૩ વિરલ એવા પણ પ્રસંગો જોવામાં આવે છે. પણ ઇતર જીવસૃષ્ટિને તો, માનવીની ક્રૂરતા માટે ન કાંય ફરિયાદ કરવાની, ન કોઈની પાસેથી દાદ માગવાની; માનવી પોતાના સ્વાદ, સ્વાર્થ કે મોજશોખ ખાતર પોતાની ઉપર જે કંઈ દુઃખો વરસાવે તે મૂંગે મોઢે બરદાસ્ત કરી લેવાનાં ! પણ સમજી શકીએ તો આવી દયાહીનતા ઇતર જીવસૃષ્ટિ સાથે ખુદ માનવીને પોતાને પણ નુકસાનકારક બની રહે છે એમાં શંકા નથી. આવી દયાહીનતા આચરનાર માનવીની માનવતા જ નામશેષ થવા લાગે છે એ કંઈ એને પોતાને માટે જેવું-તેવું નુકસાન ન ગણાય. સુવર્ણમાંથી સુવર્ણપણું જ જતું રહે તો એનું મહત્ત્વ બાકી શું રહે ? એટલા માટે જ પ્રાણીદયા ખરી રીતે આપદયા જ લેખાવી જોઈએ; એથી જ એને પોતાની પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં સદા આવકા૨વી જોઈએ. ત્રણેક મહિના પહેલાં વિશ્વશાકાહાર કૉંગ્રેસનું ૨૧મું અધિવેશન હોલાન્ડ (નેધરલૅન્ડ)ની રાજધાની હેગ ખાતે સ્પેનના જીવદયાપ્રેમી શ્રી માર્કવીસ ઑફ સેન્ટ ઇન્સન્ટના પ્રમુખપદે મળ્યું હતું. આ સંસ્થા પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તા૨ ક૨વામાં એટલે કે માંસાહારના સ્થાને લોકો વનસ્પતિજન્ય આહા૨ને અપનાવે એટલા માટેનું અનુકૂળ વાતાવરણ દુનિયાના જુદા-જુદા દેશોમાં ઊભું કરવામાં જે કામગીરી બજાવી રહી છે, તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે, અને એનાં ફળ પણ નોંધપાત્ર પ્રમાણમાં દેખાવા લાગ્યાં છે. હેગની શાકાહાર-કૉંગ્રેસમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ડૉ. સ્કૉટ નિયરિંગે હાજરી આપી હતી. પંચાશી વર્ષ જેટલી જઈફ ઉંમરના ડૉ. સ્કૉટ પૂરા માનવતાવાદી અને પ્રાણીરક્ષાના હિમાયતી છે. તેઓએ વનસ્પતિ-આહારનાં આર્થિક અને નૈતિક પાસાં વિશે અધિવેશનમાં જે પ્રવચન આપ્યું હતું, તેનો સાર શ્રી મુંબઈ જીવદયા-મંડળીના માસિક ‘શ્રી જીવદયા’ના ગત સપ્ટેમ્બરના અંકમાં છપાયો છે. એમાં અત્યારની દુનિયા કેવી થઈ ગઈ છે અને કેવાં-કેવાં કારણે જીવહત્યા થઈ રહી છે, એનું ચિત્ર રજૂ કરીને તેઓએ બધા ય જીવોના જીવવાના અધિકારને માન્ય રાખીને માનવતાવાદી સંસ્કૃતિને અપનાવવાની જે હિમાયત કરી છે તે જાણવા-વિચારવા જેવી છે : ૩૦૯ “જે દુનિયામાં આજે આપણે વસીએ છીએ તેના ૫૨ માનવતાવાદીઓનું સામ્રાજ્ય નથી, પરંતુ હત્યારાઓની સત્તા જામેલી છે. સમગ્ર દુનિયા હત્યારાઓથી ભરેલી છે. નાનાં-મોટાં જીવજંતુઓથી માંડીને મનુષ્યો સુધીના જીવો ઉપરાંત વનસ્પતિ, ઝાડપાન અને જડચેતન સૃષ્ટિનો આપણે સંહાર કરીએ છીએ. વિશ્વની ચરાચર (જડચેતન) સૃષ્ટિ એ અખંડ ચૈતન્યના અંશ છે. જીવ પ્રત્યેનો આદર માત્ર જીવસૃષ્ટિના આદરમાં પર્યાપ્ત નથી; તે જડચેતન સમગ્ર સૃષ્ટિને લાગુ પડે છે. સૃષ્ટિના એક ભાગની હિંસાના પ્રત્યાઘાતો બીજા ભાગ પર પડે છે. અમેરિકામાં તે અંગે થયેલા અખતરાથી માલૂમ પડ્યું છે કે એક વનસ્પતિને કાપવાની અસર અન્ય વનસ્પતિ પર થતી હોવાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy